વણસતા માનવ સંબંધો અને કણસતી માણસાઈ વચ્ચે આખુ આયખુ અબોલા જીવો પાછળ ખર્ચી નાખીને સમગ્ર માનવજાત ને જીવદયા ની અનોખી મીશાલ આપનાર રાપર તાલુકા ના નાના એવા લખાગઢ ગામના ભીમાબાપા આજે ૧૦૦ વર્ષની ઉંમરે પણ અબોલ જીવો ને હર હર ની હાકલ કરે ત્યારે ચારે તરફથી શ્ચવાનો ના ધણ ઉમટતાં જોઈ તમને નવાઈ લાગશે અને પ્રથમ વખત કુતરાં નુ ધણ જોવાનો લાભ પણ તમને મળશે.
રાપર થી આડેસર જતાં ૩૦ કીમી દુર આવેલ ભીમાબાપા ના આશ્રમ માં પગ મુકો ને હ્રદયમાં આપોઆપ કરુણા નુ ઝરણુ વહેવા માંડે એવા પવિત્ર અને આહદલક વાતાવરણ વચ્ચે આવેલા આ આશ્રમ ની ભુમી પર જ્યાં જુઓ ત્યાં અબોલા જીવો નુ સામ્રાજ્ય ફેલાયું છે, અને આ તમામ જીવો નુ જાણે ભીમાબાપા થી કોઈ જન્મોજન્મ નુ ઋણાનુબંધન હોય એમ દરેક જીવને ભીમાબાપા ની નજીક ને વધુ નજીક રેહવા ની જાણે કે હોડ લાગતી હોય એમ આ કરુણામુર્તિ જ્યારે ઘંટનાદ કરે ત્યારે, એમાં સુર પુરાવતા શ્ચવાનો જાણે પરમ ને પ્રાર્થના કરતા હોય એવું તમારા માં થોડીઘણી પણ જો સંવેદના હોય તો તમે ચોક્કસ અનુભવી શકશો.
છેલ્લા સીતેર કરતાં પણ વઘુ વર્ષોથી હેતની હાટડી માંડી દરેક જીવ ને વ્હાલ વહેચતા આ યુવાવૃદધ ને ગળથુથી માં જનની એ પાયેલા જીવદયા ના સંસ્કારો ની સૌરભ આજે ૧૦૦ વર્ષની ઉંમરે પણ સમગ્ર ગુજરાત માં પ્રસરાવી ને ભીમાબાપા અડીખમ ઉભા છે, આજથી એંસી વર્ષ પહેલાં જ્યારે રોજગારી ના સાધનો ઓછાં પણ દાતારી ની ભાવના વધુ હતી અને આ દાતારી અચાનક નથી આવી ભીમાબાપા સેવા કરે એવડા થાય તે પહેલાં તો એમના પીતા દેવદાન આહિર અને માતા કોરીબહેને અનેક જીવોને આશરો આપીને પોતાનો આશરા ધર્મ ઉજળો કરી બતાવ્યો હતો, પીતા દેવદાન ના સ્વર્ગ વાસ પછી ભીમાબાપા સમજે એવડા થયા ત્યાં સુધી એકલા હાથે અબોલ જીવો ને આશરો આપીને કોરી બહેને પતિના પવિત્ર કાર્યને પુર્ણ નિષ્ઠા સાથે ચાલુ રાખ્યું જોકે કાળ ને પણ કોરી બહેન ની આ નિસ્વાર્થ સેવા ગમી જતાં પોતાની સાથે લઈ જવા હાથ લંબાવ્યો ત્યારે આ આહિરાણીયે દિકરા પાસેથી વચન લીધુ કે તુ આજીવન મારા આ તમામ અબોલા સંતાનો ની સેવા કરવાનુ મને વચન આપ અને માતાને અંતિમ વેળાએ આપેલા વચન ને પાળવા ભીમાબાપા એ આજીવન બ્રહ્મચર્ય વ્રત સાથે આ અબોલા જીવો નેજ પોતાનો પરીવાર માની લીધો જેમાં સાપ છે નોળીયા છે બીલાડાં છે અને શ્ચવાનો ના તો ધણજ છે અને આ દરેક જીવ આજે ભીમાબાપા ની દરેક ભાષાને સમજે છે બાપાની પીડાને અનુભવે છે બાપા ના હાકલે હાજર થઇ જાય છે ત્યારે એવુ લાગે કે જાણે માણસ અને પશુ વચ્ચે કદાચ બૌધીક ફર્ક હશે! પણ લાગણીઓ ને ક્યાં બુદધી ની જરુર હોય છે !?
આ બાબતે વધુ પ્રકાશ પાડતાં આ આશ્રમના વિકાસમાં જેમનુ મહત્વ નુ યોગદાન રહ્યુ છે એવા ભીમાસર ગામના રાજપુત અગ્રણી નટવરસિંહ રાજપુત કહે છે કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે પોતાની ૬૦ થી ૭૦ એકર જેટલી જમીન આ અબોલા જીવો ના નિભાવ માટે ફના કરી નાખ્યા પછી શેરીએ શેરીએ કાવડ ખંભે લઈ ને જીવદયા માટે રોટલો માગતા જેને શરમ નથી આવી એવા એક સાચા સાધુચરિત પુરુષ નો અમારી ધરતી પર અવતાર થયો છે.
આ સમગ્ર મુલાકાત દરમિયાન ભીમાસર સરપંચ સંકેતભાઈ રાજપુત, કરછ ભારતિય કિસાન સંઘ રાપર ના મંત્રી કુંભાભાઈ ચાવડા, ખેડુત અગ્રણી સામજીભાઈ ભુત મા આશાપુરા ન્યુઝ સાથે રહ્યા હતા અને તમેપણ જો ભાગ્ય હોય ને સમય મળેતો સાચા અર્થમાં કહેવાય એવા આ જીવદયા આશ્રમ ની મુલાકાત એક વાર ચોક્કસ લેજો માણસ અને પશુ વચ્ચે ની અનન્ય લાગણી ઓ આનાથી વધુ સારી રીતે બીજે ક્યાંય જોવા નહી મળે.
Related