આપણે માનવજાત જીવનમાં બદલાવ રસ લાવવા તહેવારોનું મહત્વ જાણી એને ઉજવીએ છીએ તેથી એક ધારા ચાલ્યા કરતાં ધન લાલસાની દોડમાં થોડું રોકાઈ ને ભક્તિ ભાવ કે સમયને રંગીનપણાંમાં માણીએ છીએ. આ બદલાવ જરુરી છે.. એકની એક ચાલે ચાલી કદીક જીવનમાં નિરસતા આવી જાય જેથી હતાશા અનુભવી અજુગતું વિચારી બેસાય…
આમ તો આપણાં ભારત દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં જાણીતી છે… ધર્મ પ્રિયતા થી માણસનું માંહ્યલું તહેવારો નાં અનુરૂપ જાગે છે. દેશમાં રાષ્ટ્રીય અને ધાર્મિક એમ બે રીતનાં તહેવારો ઉજવાય છે. જે તે અનુસાર આપણે એને જાણીએ, સમજીએ ને માણીએ… આપણે મનાવીશું તો આગલી પેઢીનાં બાળકો પણ એને જાણશે મનાવશે. ધાર્મિક તહેવારોમાં આપણાં દેવ દેવી ઓના સાચા ભાવ જાણી ભક્તિ કરી શકીએ છીએ હોળી માં રંગ ઉડાડી, દિવાળીમાં ફટાકડા ફોડી, આદાન પ્રદાન કરી રીત રીવાજ થી હળી મળી એકતા થી આનંદ માણી એ છીએ. આજની યુવા પેઢીમાં થોડી નિરસતા આવી છે જેથી તેને રસમય કરવા જરુરી છે. જાગૃત કરવા જોઈએ. અહીં કહું ભારત ની સંસ્કૃતિ પરદેશ માં જાગૃત થઈ રહી છે અને ભારતીય લોકો થોડા પરદેશી બની રહ્યાં છે…. એ સંસ્કૃતિ જગાવવી જરુરી છે કોઈ તહેવાર મોટો નાનો નથી હોતો…. આનંદ જીવનમાં જરુરી છે તેથી સર્વે તહેવારો ઉજવી એનું મહત્વ જાળવી રાખવું જોઈએ.
આજે વાત કરું માતાજીનાં નવ નવરાત્રિ પૂરાં થતાં દશમા દિવસે દશેરા નો તહેવાર આવે છે. આ દિવસ ને વિજયા દશમી પણ કહેવાય છે. એક વાત અનુસાર રામે આસો સુદ દશમ નાં દિવસે રાવણ સાથે લડતાં વિજયી થયાં રાવણ ને માર્યો.. એ દશેરા પર્વ થયો.. આ તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મનો વિજય રાવણ અધર્મથી સીતાનું હરણ કરી ગયો હતો… ને આ યુધ્ધ થયું… અહીં કહું આપણું મન પણ કદી કદી રાવણ મય વિચારોનાં વિકારથી દૂષિત થાય છે ને એથી કોઈ અજુગતું હીન કામ થઈ જાય છે.. ત્યારે આ તહેવાર બતાવે છે જૂની કથા સાર પણ… આજે હર માનવનાં મનમાં કળિયુગ પ્રવેશી ચૂક્યો છે ને એથી કુવિચારનાં જાળમાં ખુદ શ્રેષ્ઠી છતાં ખોટાં કામો કરી પતન લાવે છે… દશેરા એટલે વિજય ભાવના. તેથી હર ઘરમાં ફૂલોનાં તોરણ લગાવી મીઠાઇ ઓ બને છે.. સંસ્કૃતિ રેલી નીકળે છે સૌ ભેગાં મળી રાવણ જેવા દાનવ નેપુતળા રુપે બાળે છે. અને વિજયા દસમી મનાવે છે. પણ ખરેખર આવા ખોટા દેખાવા કરતાં સાચી વાત સમજી મન ભિતર ની રાવણ વૃત્તિને મારવી બાળવી જોઈએ જેથી સમાજ માં સૌ સુરક્ષિત બને. શુશિક્ષિત બને તો આ શક્ય છે. માણસ ને લોભ મોહ દંભ લાંચ રુશ્વત ક્રોધ કુરિવાજો રુપી દૂષણો ને કાઢી બાળી.. ટાળી નાંખતા મનનો અંધકાર દૂર થઈ એમાં સંસ્કારનો અજવાસ પ્રવેશી સદગુણ પ્રગટે છે. દુષિત વિચારો હંમેશા સદ્ ગુણો ને ડુબાડી દાબી દે છે. માનવ ચતુર છે પણ.. માનવતા ભૂલી રહી અધમ માર્ગ પરધન સતાની લાલસાએ..
ચાલી જતો દેખાય છે સૌને ખબર છે ઠાલા આવ્યા ને ઠાલું જ જવાનું છે પણ.. સમજણ નથી આવતી. બસ અધર્મ નાં લોભામણાં માર્ગ પર દોડી જઇ સર્વં નાશ ને નોતરે છે સારું કાંઇ કર્યું હશે તો તે ચિર કાળ યાદ રહે છૈ.. દુષ્કર્મ કરનાર નફરતથી બદનામ થઈ જાય છે. અહીં જાત માટે જાગૃત થવું અઘરું છે પણ ન થાય એવું નથી.
હર દેવી દેવતાઓને જોતાં સમજાય છે એમનાં અવતાર સામાન્ય લોકોને રાક્ષસ રુપી દૈત્યોથી મુક્ત કરવાનો હેતુથી જન્મ લઈ ધર્મ સ્થાપના.. ભાવના જગાડે છે. મા દુર્ગાએ અનેક રાક્ષસો ને મારવા જ જન્મ લીધેલો. આપણાં મનમાં રામ પણ છે ને રાવણ પણ છે કોને પ્રગટ કરવો એ આપણાં મન ઉપર આધારિત છે… તો તહેવારો ને સાચા અર્થમાં જાણી એને સમજી ને મહત્વ બહાર લાવો તો આવનારી પેઢી સારી બની શકે.. સમાજમાં પ્રેમ ભાવના પસરાવી રાવણી વૃતિ વાળો હૈયે બેઠેલા આતમ રિમ જગાડો. ખોટાં આડંબરોનો ત્યાગ કરો. આ માનવ જનમ ફરી ક્યારે મળશે જાણતાં નથી તો આ જન્મ માં જાગી રહી સદ્દભાવના ને રોપી હૈયામાં નાં દૂષણો ત્યાગો આવ્યા ને ગયા નો આ માનવ ફેરો ફોગટ ના જાય એ જાણો… હર પુરુષને સીતા જોઈએ છે પણ સમજો તમે રામ જેવા છો? ના… તો બનો રામ જેવા પછી જરુર સીતા મળશે… સ્ત્રી એ પણ રામ મેળવવા સીતા અનુરુપ બનવું જોઈએ… જરુર સાચું પ્રગટશે… ને ખરા અર્થ માં તહેવારો સમજાશે ઉજવાશે.. આ આવી ઊભેલી વિજયા દશમી પર્વ ને ચાલો સૌ જાગી આપણાથી જ શરુઆત કરી આપણી જાતને સુધારીએ…. જરુર જગ સુધરશે… મારાં મિત્રો ચાલો સૌને વિજયા દશમી દશેરા પર્વ ની શુભકામના શુભેચ્છા… સૌ સફળ સ્વસ્થ.. સુખ રુપ જીવન ને પામે સદ્દભાવના સદવિચારને અનુસરે એવી આશા સાથે વિરમું.
અસ્તુ.


















































