• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Thursday, September 28, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ
Reading Time: 1 min read
127 1
A A
0
144
SHARES
533
VIEWS
Share on WhatsappShare on Facebook

જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આમ પણ સત્ય કદાપિ જડ ઇન્દ્રિયોની પકડમાં આવી શકે જ નહીં કેમકે ઇન્દ્રિયોની એક સીમા છે જ્યારે સત્ય અસીમ છે. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મને આધારે એટલે કે રંગ રૂપ આકાર વગેરેને આધારે ઓળખવા ટેવાયેલા છીએ. પરંતુ સત્યનો તો કોઈ આકાર કે રંગ રૂપ છે જ નહિ તો તે દેખાય કે ઓળખાય કેવી રીતે. સામાન્ય સમજણ અનુસાર જો સાક્ષાત્કાર શબ્દને સમજીએ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષ કે રૂબરૂ અને આકાર એટલે સ્વરૂપ. આમ કોઈ વસ્તુ, વ્યક્તિ કે તત્વને સ્વરૂપથી ઓળખવું કે રૂબરૂ થવું અથવા પ્રત્યક્ષ રીતે તે આકાર કે સ્વરૂપને જોવું તે સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાતકારના આપણા અર્થ અનુસાર સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવું કે અનુભવવું એટલે સત્યનો સાક્ષાત્કાર. વસ્તુ, વ્યક્તિ, તત્વ કે પરિસ્થિતિ જેવી છે તેવી જ જો સમજાય તો સત્ય પકડમાં આવ્યું કહેવાય. જીવનમાં સત્યનો સાક્ષાત્કાર જો એક વાર પણ થઈ જાય તો આપોઆપ જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓ તકલીફોનો અંત આવી જાય. પરંતુ મેં અગાઉ કહ્યું એમ સંસારમાં એકનું સત્ય બીજાને અસત્ય ભાસે છે કેમકે દરેક વસ્તુ કે પરિસ્થિતિને જોવા સમજવા કે અનુભવવા માટેની દરેકની ક્ષમતા જુદી જુદી હોય છે. આંધળાને જો જગત ન દેખાય કે સૂરજ-ચાંદ ન દેખાય તો એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. સામાન્ય રીતે આપણને જે દેખાય તેને જ આપણે સાચું માનતા હોઈએ છીએ પરંતુ દેખાવાની ક્ષમતાનો આધાર આંખોની શક્તિ પર રહેલો છે જે દરેકની જુદી જુદી હોઈ શકે. વળી ઈશ્વરની પ્રકૃતિમાં તો જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. જેથી સત્ય પકડમાં આવે કેવી રીતે?

વધુ આધ્યાત્મિક સ્તરે ન વિચારીએ તો પણ એ તો આપણા સૌનો અનુભવ હશે જ કે જે વ્યક્તિ એકાદ મુલાકાતમાં આપણને સારી દેખાય છે તે મોટે ભાગે લાંબે ગાળે સારી અનુભવાતી નથી જયારે કોઈ વ્યક્તિ પહેલી નજરે સારી ન લાગે પરંતુ અનુભવે લાંબે ગાળે સમજાતું હોય છે કે આના જેવી સજ્જન વ્યક્તિ તો મળવી મુશ્કેલ છે. આમ સત્ય આપણી પકડમાં યથાર્થ સમયે અને યથાર્થ સ્વરૂપે મોટે ભાગે આવતું હોતું નથી. કદાચ એટલે જ આધ્યાત્મિક જગત જણાવે છે કે સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં જોવા દિવ્યચક્ષુની આવશ્યકતા છે. (દિવ્યચક્ષુ એ રાગ દ્વેષ વગરની સમ્યક દ્રષ્ટિ છે) જે આપણી પાસે ન હોવાને કારણે આપણે જીવ, જગત અને જગદીશને તેના સત્ય સ્વરૂપમાં પારખી શકતા નથી અને સાક્ષાત્કારના સુખથી વંચિત રહી જઈએ છીએ. એમ પણ જીવનમાં સાચું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અજ્ઞાનનું દુઃખ તો સહન કરવું જ પડતું હોય છે. જેમ કે કોઈ રોગની અસરકારક દવા ન મળે ત્યાં સુધી તે રોગની પીડા સહન કર્યા વગર છૂટકો ન જ હોય. કોરોના સામે લડવા અને ટકવા જ્યાં સુધી કારગત રસીની પ્રાપ્તિ ન થઇ ત્યાં સુધી કોરોના દુઃખી કરતો રહ્યો એ તો આપણે સૌએ અનુભવ્યું.

મને તો લાગે છે કદાચ ઈશ્વર સમયે-સમયે આવી અનેક આફતો કે સમસ્યાઓ સર્જી આપણને સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર કરાવવાનો જ પ્રયત્ન કરતો હશે. પરંતુ આપણે મંદબુદ્ધિ જીવ એના ઈશારાને સમજી શકતા નથી અને પરેશાન થઈએ છીએ. જેમ આપણે દરરોજ એ જોતા હોઈએ કે સૂર્ય સમયસર ઉગે છે અને ચોક્કસ સમયે આથમે છે એવે વખતે કોઈ બુદ્ધિશાળી માણસ આપણને સમજાવે કે ભલા માણસ સૂર્ય ઉગતો પણ નથી અને આથમતો પણ નથી એ તો સ્થિર જ છે, માત્ર પૃથ્વી ગોળ-ગોળ ફરે છે. તો આપણે તેને સહજતાથી સ્વીકારી શકીશું નહીં કેમ કે આપણો પોતાનો અનુભવ આ વિધાનથી તદ્દન વિપરીત છે. વળી મંદબુદ્ધિ જીવને હંમેશા એ વિચાર આવશે જ કે પૃથ્વી ગોળ હોય અને તે સતત ગોળ ગોળ ફરતી હોય તો આપણે સ્થિર કેવી રીતે રહી શકીએ? ટૂંકમાં આપણી મંદબુદ્ધિ અથવા અંગત અહંકાર (અર્થાત પોતાને ખાસ કે બુદ્ધિશાળી સમજવાની ભૂલ) વાસ્તવિક હોશિયાર અને સમજદાર વ્યક્તિને સ્વીકારવા દેતો નથી અને આપણે તેને મૂર્ખ સમજી બેસીએ છીએ. આ રીતે બે વ્યક્તિના સત્ય જુદા પડે છે જેમાંથી સંઘર્ષ કે ઘર્ષણની યાત્રા શરૂ થાય છે જેનો કોઇ અંત છે નહિ કેમ કે બુદ્ધિશાળી માણસ પોતાનું સત્ય મંદબુદ્ધિને કદી સમજાવી શકતો નથી અથવા કહો કે મંદબુદ્ધિ માણસ કદાપિ કોઈ બાબતને સરળતાથી સમજી કે સ્વીકારી શકતો નથી. આપણા સૌની કમનસીબી કે કરુણતા એ છે કે આપણે આપણી પોતાની જાતને અણસમજુ, અજ્ઞાની કે મંદબુદ્ધિ સ્વીકારી શકતા જ નથી. ઈશ્વર દરરોજ આપણને એવા અનેક અનુભવો કરાવતો રહે છે જેમ કે કોઈ માણસને આપણે સાચો અને સારો સમજતા હોઈએ તે જુઠ્ઠો અને ખરાબ નીકળે, આપણી સાથે વિશ્વાસઘાત કરે, જેને આપણે પોતાના સમજતા હોઈએ તે જ આપણું અહિત કરે, આપણને દુઃખી કરે છતાં આપણે વાસ્તવિકતાને કે સત્યને સમજી શકતા નથી તેમ જ પોતાની જાતને અબોધ અજ્ઞાન કે મંદબુદ્ધિ સ્વીકારી પણ શકતા નથી. ઉલટું સામેવાળા પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ કે આ માણસ જ દંભી અને વિશ્વાસઘાતી છે જેથી હું તેને ઓળખી શક્યો નહીં.

આપણે કોઈને ઓળખી ન શકીએ એ તો આપણી નબળાઈ કહેવાય જે દૂર કરવાનો પ્રયત્ન આપણે જ કરવો પડે. પરંતુ તેના બદલે ઉલટુ સામેવાળો ખરાબ છે એટલે હું ન ઓળખી શક્યો એમ કહી આપણે આપણા અજ્ઞાન પર પડદો પાડી દઈએ છીએ અને દોષનો ટોપલો સામેવાળા પર ઢોળી દઈએ છીએ જેના કારણે સત્યની અનુભૂતિ વધુ મુશ્કેલ બને છે અને સત્ય આપણાથી વધુ ને વધુ દૂર જતું જાય છે. સાક્ષાત્કાર માટે આપણે ધીરે-ધીરે અસમર્થ બનતા જઈએ છીએ. એટલા માટે શાસ્ત્રો જણાવે છે કે સત્યની અનુભૂતિ કરવી હોય કે ઇશ્વર સાક્ષાત્કાર કરવો હોય તો પોતાના દોષ અને અન્યના ગુણ જોતા શીખવું જોઈએ જેનાથી ફાયદો આપણને જ છે પરંતુ આવી સલાહ આપણા દિલને માફક આવતી નથી જેથી સત્ય પણ પકડમાં આવતું નથી. સત્ય એને જ કહેવાય કે જે અવિનાશી હોય, જેનો નાશ થાય તે કદાપિ સત્ય ન હોઈ શકે એ દૃષ્ટિએ માત્ર ઇશ્વર એક અવિનાશી છે, બાકી સમગ્ર જગત નાશવંત છે. જેથી સત્ય એ માત્ર ઈશ્વર જ છે. હવે ઈશ્વરરૂપી સત્યને પામવું એ જ સાક્ષાત્કાર. પરંતુ ઈશ્વરનો તો કોઈ આકાર કે સ્વરૂપ છે નહિ તો સાક્ષાત્કાર કોનો કરવો કે રૂબરૂ કોનાથી થવું એ પણ એક પ્રશ્ન રહે. એટલા માટે ઇશ્વરના વાસ્તવિકરૂપને ઓળખવો પડે કે તે કોઈ વ્યક્તિવિશેષ નથી કે જેથી તેનો કોઇ આકાર કે સ્વરૂપ હોય, તે તો સનાતન અસ્તિત્વ અને દિવ્યઉર્જા છે પરમશક્તિ છે. જે શક્તિ દ્વારા સમગ્ર જગત ગતિમાન છે. આમ પણ આપણે સૌ આધુનિક યુગના લોકો વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજીએ છીએ એટલે આપણને ખબર છે કે શક્તિ વગર ગતિ હોઈ શકે નહીં. શરીર ચલાવવા શક્તિ જોઈએ, સંબંધો ચલાવવા શક્તિ જોઈએ, ધન કમાવવું હોય તો પણ શક્તિ જોઈએ, કોઈ મશીન કે વાહન ચલાવવું હોય તો પણ શક્તિ જોઈએ. આ શક્તિ વ્યક્ત સ્વરૃપે એટલે કે નરી આંખે ભલે દેખાતી ન હોય પરંતુ તેની હયાતિ હંમેશા રહે છે. જેના કારણે જ સમગ્ર સંસાર ગતિમાન રહી શકે છે. એટલે જ આધ્યાત્મિક જગત કહે છે કે “કણ કણમાં ઈશ્વર છે” કારણ કે તેમને ખબર છે કે પ્રકૃતિના કણ-કણમાં ઊર્જા છે શક્તિ છે, જે ઈશ્વરની હયાતિનું પ્રમાણ છે. એને જોવી અને અનુભવવી એટલે સત્યની અનુભૂતિ અને ઈશ્વરનો સાક્ષાત્કાર.

મારી દ્રષ્ટિએ નીચેની બાબતો દ્વારા સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર શક્ય બને છે.

૧) સંસારની માયાને સમજી અનુભવવી તે સાક્ષાત્કાર છે અર્થાત સંસાર એક આભાસ છે, છલાવો છે, મૃગજળ સમાન ભ્રમ છે, સર્વ કંઈ મિથ્યા છે કેમ કે અહી જે દેખાય છે તે કાયમી નથી એટલે સાચું નથી એ સમજવું એ સત્યની અનુભૂતિ કે સાક્ષાતકાર કહેવાય. જે સંસાર આપણને સુખમય ભાસે છે તે તો પળે-પળે જીવનમાં દુખ ભરે છે, જે આપણે અનુભવીએ છીએ છતાં સમજી શકતા નથી. એટલે જ સત્ય કે ઈશ્વરથી વિયોગ થાય છે. સત્ય અનુભવવા છતાં જો તેને સ્વીકારી ન શકીએ તો આપણા જેટલું કમનસીબ કે મૂર્ખ બીજું કોણ હોઈ શકે? દાખલા તરીકે સંબંધો અને સંતાનો આપણને સતત પીડે છે છતાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને તે ક્યારેક સુખ આપશે, તમને નથી લાગતું આ તો ભારે અજ્ઞાન કહેવાય. આગ પાસે ઠંડકની અપેક્ષા રાખવા જેવી વાત છે. સંસારનું દરેક ભૌતિક સુખ અંતે પીડાદાયક નીવડે છે એ આપણે અનેકવાર અનુભવીએ છે છતાં ઈચ્છીએ છીએ છે કે તે મને સુખી કરે. આ જ મૂર્ખતા છે, આ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ થઈ શકતી નથી. ટૂંકમાં સંસારની માયાને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી લેવી સત્યની અનુભૂતિ કે ઈશ્વર સાક્ષાત્કાર કહેવાય.

૨) કણ-કણમાં ઈશ્વરી શક્તિની અનુભૂતિ કરવી એ પણ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. પરંતુ આપણે પ્રકૃતિના કોઈ તત્વનું શાંતિથી નિરીક્ષણ કરી શકતા જ નથી કારણ કે આપણી પાસે એટલો સમય જ નથી. આપણે ફૂલની સુગંધનો આનંદ લઈએ છીએ પરંતુ એ ફૂલમાં સુગંધ ભરનાર અંગે વિચારી શકતા નથી. આપણે જ્યારે કોઈ બિલ્ડિંગને જોઈએ તો પહેલો પ્રશ્ન થાય છે કે ખૂબ સુંદર બિલ્ડીંગ છે કોણે બનાવ્યું હશે? એ જ પ્રકારનો પ્રશ્ન પ્રકૃતિના તત્વોને જોઈને ક્યારેય થતો નથી. જેના કારણે સત્ય કે ઈશ્વરને પામી શકાતું નથી.

૩) અનેકાન્તની અનુભૂતિ દ્વારા પણ સત્યને પામી શકાય કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે પરંતુ આપણે ક્યારેય વિરોધી મંતવ્યને સ્વીકારી જ શકતા નથી. જેના કારણે ઘર્ષણ કે સંઘર્ષ સર્જાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે બે વિરોધી તત્વોને કારણે જ સમગ્ર અસ્તિત્વ સમતુલામાં રહે છે. સૂર્ય પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે અને પૃથ્વી સૂર્યથી દૂર જવા પ્રયત્ન કરે છે આ આકર્ષણ અને અપાકર્ષણથી બ્રહ્માડની સમતુલા ટકે છે. સ્ત્રી પુરુષ જેવા બે વિરોધી તત્વોથી સર્જન શક્ય બને છે. પોઝિટિવ અને નેગેટિવ એટલે કે ધન અને ઋણ ભાર દ્વારા જ અસ્તિત્વ ટકેલું છે. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું સંયોજન જ પરિણામલક્ષી બની શકે. કોઈ એકની ગેરહાજરી અન્યના અસ્તિત્વને પણ ખતમ કરી દેતી હોય છે એ વાતની સમજણ એ જ અનેકાન્તની સમજણ છે. જેના દ્વારા સત્ય સરળતાથી પકડવામાં આવી જાય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય બને છે.

૪) વિરોધી તત્વો જેવા કે સુખ-દુઃખ, પ્રતિકૂળતા-અનુકૂળતા, હર્ષ-શોક, જન્મ-મરણ વગેરે પ્રકૃતિના સનાતન તત્વો છે. જેનો સ્વીકાર એ જ સત્યનો સ્વીકાર કહેવાય. એમાંથી એકનો અસ્વીકાર થતા બીજું આપોઆપ છૂટી જતું હોય છે. વળી સુખ-દુખરૂપી તરંગો એ જ જીવન છે કેમ કે જીવન તરંગાત્મક છે. તમે જોયું હશે ECG મશીનમાં તરંગ વગરની સીધી લીટી મૃત્યુ દર્શાવે છે. જ્યાં સુધી શરીરમાં તરંગોનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ જીવન છે. જીવનમાં તરંગો (ups-down) એટલે જ સુખ અને દુખ. હવે કહો કે આવા તરંગોથી દૂર રહેવાનો પ્રયત્ન એ તો મૃત્યુની અપેક્ષા રાખવા જેવી વાત કહેવાય. જીવન અને મૃત્યુ બંને સાથે કેવી રીતે સંભવી શકે? પણ આપણે તે ઈચ્છીએ છીએ એ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ અશક્ય અને ઈશ્વર સાક્ષાત્કાર અસંભવ બને છે.

૫) જીવનમાં કશું જ કાયમી નથી એનો સ્વીકાર અને સમજણ એ સત્યની પ્રાપ્તિ છે. આપણું શરીર સંબંધો સાંસારિક સ્થિતિ પળે-પળે બદલાય છે તેમ છતાં આપણે સત્ય સમજી શકતા નથી કે આ જીવનમાં થતા તમામ યોગ વાસ્તવમાં વિયોગ માટે જ છે. આપણે જેને પણ મળીએ તે છૂટા પડવા માટે જ હોય છે, છુટા પડવા માટે જ મિલન સર્જાતું હોય છે. હું તમારા ઘરે આવું તમને મળું તે પરિણામે તો છુટા પડવાની જ વ્યવસ્થા છે. જે પહેલેથી આપણે જાણીએ છીએ છતાં વિયોગને સ્વીકારી નથી શકતા એટલે દુઃખ થઈએ છીએ. અજ્ઞાનસભર દુખની સ્થિતિમાં સત્યનો સાક્ષાત્કાર તો અશક્ય જ હોય ને. સત્યને જોવાની કે સમજવાની આપણામાં શક્તિ જો ન હોય તો દુખ ઉદ્ભવવું સ્વાભાવિક છે.

૬) આત્માનો કોઈ અંત નથી કેમકે તે અવિનાશી તત્ત્વ છે, એની જો અનુભૂતિ થઈ જાય તો સત્યનો સાક્ષાતકાર થયો કહેવાય. જેના દ્વારા મૃત્યુ જેવી અસહ્ય પીડા કે જે કાલ્પનિક છે, અજ્ઞાનવશ પ્રાપ્ત થાય છે તેનાથી મુક્ત થઈ શકાય. આમ આત્માની અમરતાની અનુભૂતિ એ પણ સત્યનો સાક્ષાત્કાર છે

૭) કાળ એટલે કે ભૂતકાળ ભવિષ્યકાળ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે જ નહી એ વાત જો સમજાઈ જાય તો સત્યનો સાક્ષાત્કાર થયો કહેવાય. વાસ્તવમાં આપણે કોઈ બાબતને સળંગ જોઈ શકતા નથી એટલે સમયને ટુકડામાં વહેંચીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભૂત અને ભવિષ્ય જેવા ભ્રમ એમાંથી જ પેદા થાય છે. દાખલા તરીકે ભગવાન જગત્નાથની રથયાત્રા આકાશમાંથી જોઈએ તો તે સળંગ દેખાય, બાકી સરસપુરથી યાત્રા નીકળી ગઈ એ ભૂતકાળ, દરિયાપુર પહોંચી તે વર્તમાનકાળ અને સાંજે કાલુપુર પહોંચશે તે ભવિષ્યકાળ. પરંતુ વાસ્તવમાં એવા કોઈ કાળ હોતાં જ નથી. આ વાસ્તવિકતા જેને સમજાય તેને સત્યનો સાક્ષાત્કાર એક પળમાં થઈ જાય. જેના દ્વારા ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતાનો જીવનમાંથી છેદ ઊડી જાય.

આમ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર એ કોઈ ધાર્મિક આધ્યાત્મિક લોકો માટેનું વિષયવસ્તુ નથી. જે વ્યક્તિ આ જગતને સંસારને તેના સાચા અર્થમાં જોઇ કે સમજી લે છે, જીવ જગત અને જગદીશની પરિકલ્પનાને પામી લે છે તેના માટે સત્યનો સાક્ષાત્કાર અતિ સહજ અને સરળ છે. વળી સાક્ષાતકાર માત્ર મનુષ્ય માટે જ શક્ય છે એટલે જ તો કહેવાય છે કે મનુષ્ય જીવન માણવાની નહીં જાણવાની ચીજ છે કેમ કે સત્યને અને ઈશ્વરને જાણવાની શક્તિ માત્ર તેનામાં છે. મનુષ્યયોની વાસ્તવમાં સત્ય કે ઈશ્વરને ઓળખવાની અને તેના અસ્તિત્વને પામવાની જ વ્યવસ્થા છે જે દરેક સમજદાર માણસ માટે શક્ય છે પછી તે આસ્તિક હોય કે નાસ્તિક. આપણે કોઈ એવા માણસને શોધતા હોઈએ કે જેને આપણે કદાપિ મળ્યા નથી કે જોયા નથી તો શક્ય છે રસ્તામાં મળી જાય તો પણ ન ઓળખી શકાય. પરંતુ કોઈ કહે કે તમે જેને શોધો છો એ આ જ વ્યક્તિ છે, તો આપણે સામાન્ય રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ. એ જ રીતે ધર્મશાસ્ત્રોના ઈશ્વર વિશેના ઈશારાને જો સહજતાથી સ્વીકારી લઈએ તો કદાચ ઇશ્વર સાક્ષાત્કાર રમતા-રમતા થઈ જાય. પરંતુ આપણે તે માની નથી શકતા જેથી એવી વ્યક્તિને શોધવા ભટકતા રહીએ છીએ કે જે વાસ્તવમાં આપણી પાસે જ છે. આમ પણ કોઈ વ્યક્તિને તમે શોધતા હો અને જ્યારે તમને કોઈ કહે કે આ એ જ છે પણ જો તમે ન સ્વીકારો તો સતત એ વ્યક્તિને શોધતા રહેવાનું પ્રારંબ્ધ તમે પોતે જ નિર્ધારિત કરો છો. આ વાત જેટલી સરળતાથી સમજાય છે એટલી જ સરળતાથી જો ઇશ્વર સાક્ષાત્કારની વાત પણ સમજાઈ જાય તો જીવન સ્વર્ગ સમાન અવશ્ય બની જાય.

~ શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Continue Reading
Tags: shilpa shahશિલ્પા શાહ
SendShare58Tweet36Scan
ADVERTISEMENT
Previous Post

માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

Next Post

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

Related Posts

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

by iGujju
0
195
ઝાંઝવાના જળ પીધાંની વાત છે
કલા-સાહિત્ય

ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા

Read more

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

by iGujju
0
332
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો
સમાચાર

આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા. 500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ...

Read more

ગણપતિ

by iGujju
0
333
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

by iGujju
0
352
પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે
કવિતા

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી

Read more

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

by iGujju
0
327
ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે
ધર્મ અને આધ્યાત્મિકતા

નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...

Read more

દુઃખોનો પહાડ

by iGujju
0
389
દુઃખોનો પહાડ
વાર્તા અને લેખ

"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...

Read more

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

by iGujju
0
249
પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
ધર્મ અને આધ્યાત્મિકતા

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...

Read more

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

by iGujju
0
64
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન
સાહિત્ય અને કલા સમાચાર

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....

Read more

સમુદ્રમંથન કથા

by iGujju
0
234
સમુદ્રમંથન કથા
શ્રાવણ

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...

Read more

જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

by iGujju
0
326
જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે
જાણવા જેવું

રસોડામાં પડેલી દરેક વસ્તુ કોઇને કોઇ કામમાં આવતી હોય છે. રસોડામાં પડેલી દરેક વસ્તુનું મહત્વ પણ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે રસોડામાં પડેલી વસ્તુનું આ રીતે ધ્યાન રાખો છો તો તમારે પૈસાની બચત થાય છે તમારું બજેટ પણ ખોરવાતું નથી. પેનને સાફ કરીને જમવાનું બનાવો જમવાનું  બનાવો એ પહેલા પેનને ફરીથી સાફ કરો. એની પર પાણી જરા પણ ના હોવું જોઇએ. આ માટે તમે કિચન ટોવેલનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા ગેસની બચત થાય છે. હંમેશા ઢાંકીને જમવાનું બનાવો તમે જ્યારે પણ શાક બનાવો કે દાળ બનાવો ત્યારે હંમેશા ઢાંકીને બનાવો. આમ કરવાથી જમવાનું જલદી બને છે...

Read more
Load More
Next Post
ખુલ્લો દરવાજો

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

આંગણું 

આંગણું 

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

દીકરી અને વહુ

દીકરી અને વહુ

ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!