• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Tuesday, March 28, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ
Reading Time: 1 min read
123 2
A A
0
140
SHARES
519
VIEWS
Share on WhatsappShare on Facebook

જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આમ પણ સત્ય કદાપિ જડ ઇન્દ્રિયોની પકડમાં આવી શકે જ નહીં કેમકે ઇન્દ્રિયોની એક સીમા છે જ્યારે સત્ય અસીમ છે. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મને આધારે એટલે કે રંગ રૂપ આકાર વગેરેને આધારે ઓળખવા ટેવાયેલા છીએ. પરંતુ સત્યનો તો કોઈ આકાર કે રંગ રૂપ છે જ નહિ તો તે દેખાય કે ઓળખાય કેવી રીતે. સામાન્ય સમજણ અનુસાર જો સાક્ષાત્કાર શબ્દને સમજીએ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષ કે રૂબરૂ અને આકાર એટલે સ્વરૂપ. આમ કોઈ વસ્તુ, વ્યક્તિ કે તત્વને સ્વરૂપથી ઓળખવું કે રૂબરૂ થવું અથવા પ્રત્યક્ષ રીતે તે આકાર કે સ્વરૂપને જોવું તે સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાતકારના આપણા અર્થ અનુસાર સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવું કે અનુભવવું એટલે સત્યનો સાક્ષાત્કાર. વસ્તુ, વ્યક્તિ, તત્વ કે પરિસ્થિતિ જેવી છે તેવી જ જો સમજાય તો સત્ય પકડમાં આવ્યું કહેવાય. જીવનમાં સત્યનો સાક્ષાત્કાર જો એક વાર પણ થઈ જાય તો આપોઆપ જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓ તકલીફોનો અંત આવી જાય. પરંતુ મેં અગાઉ કહ્યું એમ સંસારમાં એકનું સત્ય બીજાને અસત્ય ભાસે છે કેમકે દરેક વસ્તુ કે પરિસ્થિતિને જોવા સમજવા કે અનુભવવા માટેની દરેકની ક્ષમતા જુદી જુદી હોય છે. આંધળાને જો જગત ન દેખાય કે સૂરજ-ચાંદ ન દેખાય તો એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. સામાન્ય રીતે આપણને જે દેખાય તેને જ આપણે સાચું માનતા હોઈએ છીએ પરંતુ દેખાવાની ક્ષમતાનો આધાર આંખોની શક્તિ પર રહેલો છે જે દરેકની જુદી જુદી હોઈ શકે. વળી ઈશ્વરની પ્રકૃતિમાં તો જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. જેથી સત્ય પકડમાં આવે કેવી રીતે?

વધુ આધ્યાત્મિક સ્તરે ન વિચારીએ તો પણ એ તો આપણા સૌનો અનુભવ હશે જ કે જે વ્યક્તિ એકાદ મુલાકાતમાં આપણને સારી દેખાય છે તે મોટે ભાગે લાંબે ગાળે સારી અનુભવાતી નથી જયારે કોઈ વ્યક્તિ પહેલી નજરે સારી ન લાગે પરંતુ અનુભવે લાંબે ગાળે સમજાતું હોય છે કે આના જેવી સજ્જન વ્યક્તિ તો મળવી મુશ્કેલ છે. આમ સત્ય આપણી પકડમાં યથાર્થ સમયે અને યથાર્થ સ્વરૂપે મોટે ભાગે આવતું હોતું નથી. કદાચ એટલે જ આધ્યાત્મિક જગત જણાવે છે કે સત્યને તેના યથાર્થ સ્વરૂપમાં જોવા દિવ્યચક્ષુની આવશ્યકતા છે. (દિવ્યચક્ષુ એ રાગ દ્વેષ વગરની સમ્યક દ્રષ્ટિ છે) જે આપણી પાસે ન હોવાને કારણે આપણે જીવ, જગત અને જગદીશને તેના સત્ય સ્વરૂપમાં પારખી શકતા નથી અને સાક્ષાત્કારના સુખથી વંચિત રહી જઈએ છીએ. એમ પણ જીવનમાં સાચું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અજ્ઞાનનું દુઃખ તો સહન કરવું જ પડતું હોય છે. જેમ કે કોઈ રોગની અસરકારક દવા ન મળે ત્યાં સુધી તે રોગની પીડા સહન કર્યા વગર છૂટકો ન જ હોય. કોરોના સામે લડવા અને ટકવા જ્યાં સુધી કારગત રસીની પ્રાપ્તિ ન થઇ ત્યાં સુધી કોરોના દુઃખી કરતો રહ્યો એ તો આપણે સૌએ અનુભવ્યું.

મને તો લાગે છે કદાચ ઈશ્વર સમયે-સમયે આવી અનેક આફતો કે સમસ્યાઓ સર્જી આપણને સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર કરાવવાનો જ પ્રયત્ન કરતો હશે. પરંતુ આપણે મંદબુદ્ધિ જીવ એના ઈશારાને સમજી શકતા નથી અને પરેશાન થઈએ છીએ. જેમ આપણે દરરોજ એ જોતા હોઈએ કે સૂર્ય સમયસર ઉગે છે અને ચોક્કસ સમયે આથમે છે એવે વખતે કોઈ બુદ્ધિશાળી માણસ આપણને સમજાવે કે ભલા માણસ સૂર્ય ઉગતો પણ નથી અને આથમતો પણ નથી એ તો સ્થિર જ છે, માત્ર પૃથ્વી ગોળ-ગોળ ફરે છે. તો આપણે તેને સહજતાથી સ્વીકારી શકીશું નહીં કેમ કે આપણો પોતાનો અનુભવ આ વિધાનથી તદ્દન વિપરીત છે. વળી મંદબુદ્ધિ જીવને હંમેશા એ વિચાર આવશે જ કે પૃથ્વી ગોળ હોય અને તે સતત ગોળ ગોળ ફરતી હોય તો આપણે સ્થિર કેવી રીતે રહી શકીએ? ટૂંકમાં આપણી મંદબુદ્ધિ અથવા અંગત અહંકાર (અર્થાત પોતાને ખાસ કે બુદ્ધિશાળી સમજવાની ભૂલ) વાસ્તવિક હોશિયાર અને સમજદાર વ્યક્તિને સ્વીકારવા દેતો નથી અને આપણે તેને મૂર્ખ સમજી બેસીએ છીએ. આ રીતે બે વ્યક્તિના સત્ય જુદા પડે છે જેમાંથી સંઘર્ષ કે ઘર્ષણની યાત્રા શરૂ થાય છે જેનો કોઇ અંત છે નહિ કેમ કે બુદ્ધિશાળી માણસ પોતાનું સત્ય મંદબુદ્ધિને કદી સમજાવી શકતો નથી અથવા કહો કે મંદબુદ્ધિ માણસ કદાપિ કોઈ બાબતને સરળતાથી સમજી કે સ્વીકારી શકતો નથી. આપણા સૌની કમનસીબી કે કરુણતા એ છે કે આપણે આપણી પોતાની જાતને અણસમજુ, અજ્ઞાની કે મંદબુદ્ધિ સ્વીકારી શકતા જ નથી. ઈશ્વર દરરોજ આપણને એવા અનેક અનુભવો કરાવતો રહે છે જેમ કે કોઈ માણસને આપણે સાચો અને સારો સમજતા હોઈએ તે જુઠ્ઠો અને ખરાબ નીકળે, આપણી સાથે વિશ્વાસઘાત કરે, જેને આપણે પોતાના સમજતા હોઈએ તે જ આપણું અહિત કરે, આપણને દુઃખી કરે છતાં આપણે વાસ્તવિકતાને કે સત્યને સમજી શકતા નથી તેમ જ પોતાની જાતને અબોધ અજ્ઞાન કે મંદબુદ્ધિ સ્વીકારી પણ શકતા નથી. ઉલટું સામેવાળા પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ કે આ માણસ જ દંભી અને વિશ્વાસઘાતી છે જેથી હું તેને ઓળખી શક્યો નહીં.

આપણે કોઈને ઓળખી ન શકીએ એ તો આપણી નબળાઈ કહેવાય જે દૂર કરવાનો પ્રયત્ન આપણે જ કરવો પડે. પરંતુ તેના બદલે ઉલટુ સામેવાળો ખરાબ છે એટલે હું ન ઓળખી શક્યો એમ કહી આપણે આપણા અજ્ઞાન પર પડદો પાડી દઈએ છીએ અને દોષનો ટોપલો સામેવાળા પર ઢોળી દઈએ છીએ જેના કારણે સત્યની અનુભૂતિ વધુ મુશ્કેલ બને છે અને સત્ય આપણાથી વધુ ને વધુ દૂર જતું જાય છે. સાક્ષાત્કાર માટે આપણે ધીરે-ધીરે અસમર્થ બનતા જઈએ છીએ. એટલા માટે શાસ્ત્રો જણાવે છે કે સત્યની અનુભૂતિ કરવી હોય કે ઇશ્વર સાક્ષાત્કાર કરવો હોય તો પોતાના દોષ અને અન્યના ગુણ જોતા શીખવું જોઈએ જેનાથી ફાયદો આપણને જ છે પરંતુ આવી સલાહ આપણા દિલને માફક આવતી નથી જેથી સત્ય પણ પકડમાં આવતું નથી. સત્ય એને જ કહેવાય કે જે અવિનાશી હોય, જેનો નાશ થાય તે કદાપિ સત્ય ન હોઈ શકે એ દૃષ્ટિએ માત્ર ઇશ્વર એક અવિનાશી છે, બાકી સમગ્ર જગત નાશવંત છે. જેથી સત્ય એ માત્ર ઈશ્વર જ છે. હવે ઈશ્વરરૂપી સત્યને પામવું એ જ સાક્ષાત્કાર. પરંતુ ઈશ્વરનો તો કોઈ આકાર કે સ્વરૂપ છે નહિ તો સાક્ષાત્કાર કોનો કરવો કે રૂબરૂ કોનાથી થવું એ પણ એક પ્રશ્ન રહે. એટલા માટે ઇશ્વરના વાસ્તવિકરૂપને ઓળખવો પડે કે તે કોઈ વ્યક્તિવિશેષ નથી કે જેથી તેનો કોઇ આકાર કે સ્વરૂપ હોય, તે તો સનાતન અસ્તિત્વ અને દિવ્યઉર્જા છે પરમશક્તિ છે. જે શક્તિ દ્વારા સમગ્ર જગત ગતિમાન છે. આમ પણ આપણે સૌ આધુનિક યુગના લોકો વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજીએ છીએ એટલે આપણને ખબર છે કે શક્તિ વગર ગતિ હોઈ શકે નહીં. શરીર ચલાવવા શક્તિ જોઈએ, સંબંધો ચલાવવા શક્તિ જોઈએ, ધન કમાવવું હોય તો પણ શક્તિ જોઈએ, કોઈ મશીન કે વાહન ચલાવવું હોય તો પણ શક્તિ જોઈએ. આ શક્તિ વ્યક્ત સ્વરૃપે એટલે કે નરી આંખે ભલે દેખાતી ન હોય પરંતુ તેની હયાતિ હંમેશા રહે છે. જેના કારણે જ સમગ્ર સંસાર ગતિમાન રહી શકે છે. એટલે જ આધ્યાત્મિક જગત કહે છે કે “કણ કણમાં ઈશ્વર છે” કારણ કે તેમને ખબર છે કે પ્રકૃતિના કણ-કણમાં ઊર્જા છે શક્તિ છે, જે ઈશ્વરની હયાતિનું પ્રમાણ છે. એને જોવી અને અનુભવવી એટલે સત્યની અનુભૂતિ અને ઈશ્વરનો સાક્ષાત્કાર.

મારી દ્રષ્ટિએ નીચેની બાબતો દ્વારા સત્યની અનુભૂતિ કે સાક્ષાત્કાર શક્ય બને છે.

૧) સંસારની માયાને સમજી અનુભવવી તે સાક્ષાત્કાર છે અર્થાત સંસાર એક આભાસ છે, છલાવો છે, મૃગજળ સમાન ભ્રમ છે, સર્વ કંઈ મિથ્યા છે કેમ કે અહી જે દેખાય છે તે કાયમી નથી એટલે સાચું નથી એ સમજવું એ સત્યની અનુભૂતિ કે સાક્ષાતકાર કહેવાય. જે સંસાર આપણને સુખમય ભાસે છે તે તો પળે-પળે જીવનમાં દુખ ભરે છે, જે આપણે અનુભવીએ છીએ છતાં સમજી શકતા નથી. એટલે જ સત્ય કે ઈશ્વરથી વિયોગ થાય છે. સત્ય અનુભવવા છતાં જો તેને સ્વીકારી ન શકીએ તો આપણા જેટલું કમનસીબ કે મૂર્ખ બીજું કોણ હોઈ શકે? દાખલા તરીકે સંબંધો અને સંતાનો આપણને સતત પીડે છે છતાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને તે ક્યારેક સુખ આપશે, તમને નથી લાગતું આ તો ભારે અજ્ઞાન કહેવાય. આગ પાસે ઠંડકની અપેક્ષા રાખવા જેવી વાત છે. સંસારનું દરેક ભૌતિક સુખ અંતે પીડાદાયક નીવડે છે એ આપણે અનેકવાર અનુભવીએ છે છતાં ઈચ્છીએ છીએ છે કે તે મને સુખી કરે. આ જ મૂર્ખતા છે, આ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ થઈ શકતી નથી. ટૂંકમાં સંસારની માયાને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી લેવી સત્યની અનુભૂતિ કે ઈશ્વર સાક્ષાત્કાર કહેવાય.

૨) કણ-કણમાં ઈશ્વરી શક્તિની અનુભૂતિ કરવી એ પણ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. પરંતુ આપણે પ્રકૃતિના કોઈ તત્વનું શાંતિથી નિરીક્ષણ કરી શકતા જ નથી કારણ કે આપણી પાસે એટલો સમય જ નથી. આપણે ફૂલની સુગંધનો આનંદ લઈએ છીએ પરંતુ એ ફૂલમાં સુગંધ ભરનાર અંગે વિચારી શકતા નથી. આપણે જ્યારે કોઈ બિલ્ડિંગને જોઈએ તો પહેલો પ્રશ્ન થાય છે કે ખૂબ સુંદર બિલ્ડીંગ છે કોણે બનાવ્યું હશે? એ જ પ્રકારનો પ્રશ્ન પ્રકૃતિના તત્વોને જોઈને ક્યારેય થતો નથી. જેના કારણે સત્ય કે ઈશ્વરને પામી શકાતું નથી.

૩) અનેકાન્તની અનુભૂતિ દ્વારા પણ સત્યને પામી શકાય કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે પરંતુ આપણે ક્યારેય વિરોધી મંતવ્યને સ્વીકારી જ શકતા નથી. જેના કારણે ઘર્ષણ કે સંઘર્ષ સર્જાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે બે વિરોધી તત્વોને કારણે જ સમગ્ર અસ્તિત્વ સમતુલામાં રહે છે. સૂર્ય પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે અને પૃથ્વી સૂર્યથી દૂર જવા પ્રયત્ન કરે છે આ આકર્ષણ અને અપાકર્ષણથી બ્રહ્માડની સમતુલા ટકે છે. સ્ત્રી પુરુષ જેવા બે વિરોધી તત્વોથી સર્જન શક્ય બને છે. પોઝિટિવ અને નેગેટિવ એટલે કે ધન અને ઋણ ભાર દ્વારા જ અસ્તિત્વ ટકેલું છે. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું સંયોજન જ પરિણામલક્ષી બની શકે. કોઈ એકની ગેરહાજરી અન્યના અસ્તિત્વને પણ ખતમ કરી દેતી હોય છે એ વાતની સમજણ એ જ અનેકાન્તની સમજણ છે. જેના દ્વારા સત્ય સરળતાથી પકડવામાં આવી જાય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય બને છે.

૪) વિરોધી તત્વો જેવા કે સુખ-દુઃખ, પ્રતિકૂળતા-અનુકૂળતા, હર્ષ-શોક, જન્મ-મરણ વગેરે પ્રકૃતિના સનાતન તત્વો છે. જેનો સ્વીકાર એ જ સત્યનો સ્વીકાર કહેવાય. એમાંથી એકનો અસ્વીકાર થતા બીજું આપોઆપ છૂટી જતું હોય છે. વળી સુખ-દુખરૂપી તરંગો એ જ જીવન છે કેમ કે જીવન તરંગાત્મક છે. તમે જોયું હશે ECG મશીનમાં તરંગ વગરની સીધી લીટી મૃત્યુ દર્શાવે છે. જ્યાં સુધી શરીરમાં તરંગોનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ જીવન છે. જીવનમાં તરંગો (ups-down) એટલે જ સુખ અને દુખ. હવે કહો કે આવા તરંગોથી દૂર રહેવાનો પ્રયત્ન એ તો મૃત્યુની અપેક્ષા રાખવા જેવી વાત કહેવાય. જીવન અને મૃત્યુ બંને સાથે કેવી રીતે સંભવી શકે? પણ આપણે તે ઈચ્છીએ છીએ એ જ અજ્ઞાન છે. જેના કારણે સત્યની અનુભૂતિ અશક્ય અને ઈશ્વર સાક્ષાત્કાર અસંભવ બને છે.

૫) જીવનમાં કશું જ કાયમી નથી એનો સ્વીકાર અને સમજણ એ સત્યની પ્રાપ્તિ છે. આપણું શરીર સંબંધો સાંસારિક સ્થિતિ પળે-પળે બદલાય છે તેમ છતાં આપણે સત્ય સમજી શકતા નથી કે આ જીવનમાં થતા તમામ યોગ વાસ્તવમાં વિયોગ માટે જ છે. આપણે જેને પણ મળીએ તે છૂટા પડવા માટે જ હોય છે, છુટા પડવા માટે જ મિલન સર્જાતું હોય છે. હું તમારા ઘરે આવું તમને મળું તે પરિણામે તો છુટા પડવાની જ વ્યવસ્થા છે. જે પહેલેથી આપણે જાણીએ છીએ છતાં વિયોગને સ્વીકારી નથી શકતા એટલે દુઃખ થઈએ છીએ. અજ્ઞાનસભર દુખની સ્થિતિમાં સત્યનો સાક્ષાત્કાર તો અશક્ય જ હોય ને. સત્યને જોવાની કે સમજવાની આપણામાં શક્તિ જો ન હોય તો દુખ ઉદ્ભવવું સ્વાભાવિક છે.

૬) આત્માનો કોઈ અંત નથી કેમકે તે અવિનાશી તત્ત્વ છે, એની જો અનુભૂતિ થઈ જાય તો સત્યનો સાક્ષાતકાર થયો કહેવાય. જેના દ્વારા મૃત્યુ જેવી અસહ્ય પીડા કે જે કાલ્પનિક છે, અજ્ઞાનવશ પ્રાપ્ત થાય છે તેનાથી મુક્ત થઈ શકાય. આમ આત્માની અમરતાની અનુભૂતિ એ પણ સત્યનો સાક્ષાત્કાર છે

૭) કાળ એટલે કે ભૂતકાળ ભવિષ્યકાળ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે જ નહી એ વાત જો સમજાઈ જાય તો સત્યનો સાક્ષાત્કાર થયો કહેવાય. વાસ્તવમાં આપણે કોઈ બાબતને સળંગ જોઈ શકતા નથી એટલે સમયને ટુકડામાં વહેંચીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભૂત અને ભવિષ્ય જેવા ભ્રમ એમાંથી જ પેદા થાય છે. દાખલા તરીકે ભગવાન જગત્નાથની રથયાત્રા આકાશમાંથી જોઈએ તો તે સળંગ દેખાય, બાકી સરસપુરથી યાત્રા નીકળી ગઈ એ ભૂતકાળ, દરિયાપુર પહોંચી તે વર્તમાનકાળ અને સાંજે કાલુપુર પહોંચશે તે ભવિષ્યકાળ. પરંતુ વાસ્તવમાં એવા કોઈ કાળ હોતાં જ નથી. આ વાસ્તવિકતા જેને સમજાય તેને સત્યનો સાક્ષાત્કાર એક પળમાં થઈ જાય. જેના દ્વારા ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતાનો જીવનમાંથી છેદ ઊડી જાય.

આમ સત્યની અનુભૂતિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર એ કોઈ ધાર્મિક આધ્યાત્મિક લોકો માટેનું વિષયવસ્તુ નથી. જે વ્યક્તિ આ જગતને સંસારને તેના સાચા અર્થમાં જોઇ કે સમજી લે છે, જીવ જગત અને જગદીશની પરિકલ્પનાને પામી લે છે તેના માટે સત્યનો સાક્ષાત્કાર અતિ સહજ અને સરળ છે. વળી સાક્ષાતકાર માત્ર મનુષ્ય માટે જ શક્ય છે એટલે જ તો કહેવાય છે કે મનુષ્ય જીવન માણવાની નહીં જાણવાની ચીજ છે કેમ કે સત્યને અને ઈશ્વરને જાણવાની શક્તિ માત્ર તેનામાં છે. મનુષ્યયોની વાસ્તવમાં સત્ય કે ઈશ્વરને ઓળખવાની અને તેના અસ્તિત્વને પામવાની જ વ્યવસ્થા છે જે દરેક સમજદાર માણસ માટે શક્ય છે પછી તે આસ્તિક હોય કે નાસ્તિક. આપણે કોઈ એવા માણસને શોધતા હોઈએ કે જેને આપણે કદાપિ મળ્યા નથી કે જોયા નથી તો શક્ય છે રસ્તામાં મળી જાય તો પણ ન ઓળખી શકાય. પરંતુ કોઈ કહે કે તમે જેને શોધો છો એ આ જ વ્યક્તિ છે, તો આપણે સામાન્ય રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ. એ જ રીતે ધર્મશાસ્ત્રોના ઈશ્વર વિશેના ઈશારાને જો સહજતાથી સ્વીકારી લઈએ તો કદાચ ઇશ્વર સાક્ષાત્કાર રમતા-રમતા થઈ જાય. પરંતુ આપણે તે માની નથી શકતા જેથી એવી વ્યક્તિને શોધવા ભટકતા રહીએ છીએ કે જે વાસ્તવમાં આપણી પાસે જ છે. આમ પણ કોઈ વ્યક્તિને તમે શોધતા હો અને જ્યારે તમને કોઈ કહે કે આ એ જ છે પણ જો તમે ન સ્વીકારો તો સતત એ વ્યક્તિને શોધતા રહેવાનું પ્રારંબ્ધ તમે પોતે જ નિર્ધારિત કરો છો. આ વાત જેટલી સરળતાથી સમજાય છે એટલી જ સરળતાથી જો ઇશ્વર સાક્ષાત્કારની વાત પણ સમજાઈ જાય તો જીવન સ્વર્ગ સમાન અવશ્ય બની જાય.

~ શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahશિલ્પા શાહ
SendShare56Tweet35Scan
ADVERTISEMENT
Previous Post

માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

Next Post

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

Related Posts

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

by iGujju
0
432
વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
સાહિત્ય અને કલા સમાચાર

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે. ઇતિહાસ વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા...

Read more

રંગમંચે આ સૌએ જીવી જવાનું

by iGujju
0
323
રંગમંચે આ સૌએ જીવી જવાનું
કલા-સાહિત્ય

અજવાળું અંધારું ઝાંખપ તેજ લીસોટો... મોહરા ચહેરે યોગ્ય અયોગ્ય... સત્ય જૂઠ અવિરત દોડ ક્યારેક પોરો ... અમાપ સૃષ્ટિ ને છતાં સંકડાશ ને પછી સંવાદે બંધન-મૂક્તિ.... આંસુના દરિયામાં ઉજળાં એકજ સ્મિતે.... ઝળહળે છે જીવન રંગમંચ.... રચના: નિલેશ બગથરિયા "નીલ" રંગમંચે આ સૌએ જીવી જવાનું આપેલું જ પાત્ર ભજવી જવાનું.

Read more

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

by iGujju
0
366
કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે
જાણવા જેવું

ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. 'વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત...

Read more

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

by iGujju
0
335
ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુ સંસ્કૃતિમાં આપણે બાળપણથી વડીલોના મુખે શિવજીના ત્રીજા નેત્રની કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે અને સર્વસ્વ ભસ્મ થઈ જાય છે. બચપણમાં તો હું ત્રીજા નેત્રથી ખૂબ ડરતી, આપણી સંસ્કૃતિમાં બાળકોમાં ઇશ્વરનો ડર પેદા કરી તેમને અનૈતિક કાર્યો કે પાપોથી (દુર્ગુણોથી) દૂર રાખવાની કદાચ આ વ્યવસ્થા હશે. પરંતુ હવે જ્યારે આ ઉંમરે આધ્યાત્મિક સમજણ ઈશ્વર કૃપાથી થોડી કેળવાઈ છે ત્યારે સમજાય છે કે ત્રીજું નેત્ર વાસ્તવમાં છે શું અને તે કોણ મેળવી શકે અથવા તો તે કેવી રીતે મેળવી શકાય. ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે અધિકાર સિદ્ધ ચોક્કસ કરવો પડે પરંતુ તે પ્રાપ્ત...

Read more

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

by iGujju
0
263
મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા
કલા-સાહિત્ય

ત્યાં જઈને આવ્યો જ્યાં થી સપના ની શરૂઆત થઈ હતી ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપના રમે છે ના લખોટી ને ના અડી અડીને છુટ્ટા , પણ ત્યાં મોબાઇલ જમે છે હતી શાંતિ જાણે સમય ને ખરીદી ને બેઠા હોય લગાવ એટલો જાણે તેને લક્ષ્મણ ના રામ કહેતા હોય હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ? ત્યાં છોડીને ને ગયો જ્યાં મન શાંતી સાથે હાથ મિલાવ્યા કરતું વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ...

Read more

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

by iGujju
0
319
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
જાણવા જેવું

આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...

Read more

કોઇ દીકરી પારકી નથી !!!

by iGujju
0
341
કોઇ દીકરી પારકી નથી !!!
મહિલા વિશેષ

દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...

Read more

તમે તો કહો કે stress નહીં લેવાનું

by iGujju
0
434
તમે તો કહો કે stress નહીં લેવાનું
બાળ વિશેષ

તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...

Read more

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

by iGujju
0
62
જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...

Read more

આંખ વરસી જાય એવું છે હવે

by iGujju
0
406
આંખ વરસી જાય એવું છે હવે
યુવા વિશેષ

વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા

Read more
Load More
Next Post
ખુલ્લો દરવાજો

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

આંગણું 

આંગણું 

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

શ્રી યંત્ર

શ્રી યંત્ર

મા બહુચરાજીનો પ્રાગટ્ય દિવસ – ચૈત્રી પૂનમ

મા બહુચરાજીનો પ્રાગટ્ય દિવસ – ચૈત્રી પૂનમ

તાંબુ આપશે લાંબુ જીવન : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદાઓ વિશે જાણો

તાંબુ આપશે લાંબુ જીવન : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદાઓ વિશે જાણો

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

રંગમંચે આ સૌએ જીવી જવાનું

રંગમંચે આ સૌએ જીવી જવાનું

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!