• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, December 1, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    હાથતાળી

    હાથતાળી

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    લાભ પાંચમ

    લાભ પાંચમ

    જિંદગી (ગઝલ)

    જિંદગી (ગઝલ)

    દિવાળી નો ઇતિહાસ

    દિવાળી નો ઇતિહાસ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    હાથતાળી

    હાથતાળી

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    દિવાળી નો ઇતિહાસ

    દિવાળી નો ઇતિહાસ

    પ્રકાશનો તહેવાર

    પ્રકાશનો તહેવાર

    રિટર્ન ગિફ્ટ

    રિટર્ન ગિફ્ટ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો

    સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો

    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    હાથતાળી

    હાથતાળી

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    લાભ પાંચમ

    લાભ પાંચમ

    જિંદગી (ગઝલ)

    જિંદગી (ગઝલ)

    દિવાળી નો ઇતિહાસ

    દિવાળી નો ઇતિહાસ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    હાથતાળી

    હાથતાળી

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આંસુઓનો ભાર લાગે છે અહીં

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    તમારા વગર એ કુંવારી જ રહેશે

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    આપણી ૧૪૮ જાતોનું વર્ણન

    It’s Ok ટીમ

    It’s Ok ટીમ

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

    દિવાળી નો ઇતિહાસ

    દિવાળી નો ઇતિહાસ

    પ્રકાશનો તહેવાર

    પ્રકાશનો તહેવાર

    રિટર્ન ગિફ્ટ

    રિટર્ન ગિફ્ટ

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો

    સવારે નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ, આ આદતને તરત સુધારી લો

    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
212 3
A A
0
241
SHARES
894
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં આવે છે (જેની પાસે મન હોય તેને માનવ કહેવાય) આપણા તમામ વ્યવહારો પછી ભલે તે ક્રિયાત્મક હોય વિચારાત્મક હોય કે વાણીમય સર્વે આપણી ઇન્દ્રિયો કે મનરૂપી સાધનો દ્વારા ચાલે છે. પરંતુ આપણને એ વિચાર ક્યારેય આવતો નથી કે આ ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે. જો આપણે એવું માનતા હોઈએ કે તમામ ઈન્દ્રિયો મનની પ્રેરણાથી ચાલે છે તો ફરી પ્રશ્ન થાય કે મનનો પ્રેરક કોણ છે. કેનોપનિષદના પ્રથમ ખંડમાં સમગ્રપણે આ એક જ પ્રશ્ન પર વિચાર થયેલ છે કે ઇન્દ્રિયોને કાર્યરત થવાની પ્રેરણા કોણ આપે છે અને મનનું પ્રેરકબળ કયું છે.

સાચું પુછો તો એવા શાસ્ત્રો કે એવું જ્ઞાન કે જે ધર્મ, નીતિ અને સદાચાર જેવા વિષયોની છણાવટ ન કરતું હોય કે આ વિષયો અંગેની સમજણ ન આપતું હોય અર્થાત જીવન કેવી રીતે જીવાય અને તેને સાર્થક કેવી રીતે કરાય તે ન જણાવતું હોય તે જ્ઞાન કે શાસ્ત્ર વ્યર્થ છે. હિન્દુશાસ્ત્રો જેમ કે વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે એવા વાસ્તવિક જ્ઞાનની છણાવટ કરે છે કે જેના દ્વારા જીવનમાં ઉત્સાહ વધે, કર્તવ્યપરાયણતા, સદાચાર, મૂલ્યો અને નીતિની સમજણ વધે કે જે દ્વારા યથાર્થ કર્મયોગની સાધના થઈ શકે. બ્રહ્મવિદ્યા એ જ સાચી વીર્યવતી વિદ્યા છે જે જીવનમાં ઉત્સાહપ્રેરક અને ઉપયોગી સાબિત થાય છે. જે અંતર્ગત પ્રથમ પ્રશ્ન એ ઉદભવે એ તો સ્વાભાવિક જ છે કે મારા અવયવો, વાણી, પ્રાણ, નેત્ર, કર્ણ, સામર્થ્ય અન્ય ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે કેમકે વર્ષોવર્ષ જીવનપર્યંત આપોઆપ આ સર્વે ચાલતાં જ રહે છે, ગતિમાન રહે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કોનું પ્રેરેલું મન વિષયો પ્રતિ જાય છે? કોણે પ્રેરેલો પ્રાણ અવિરત ચાલતો રહે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કોની પ્રેરણાથી થતી રહે છે? કોની પ્રેરણાથી વાણી બોલે છે? કોની પ્રેરણાથી કાન અને આંખ સાંભળવાનું અને જોવાનું કાર્ય કરે છે? જો આ તમામ મનની પ્રેરણાથી ચાલતા હોય તો પ્રશ્ન છે કે મન કોની પ્રેરણાથી ચાલે છે? કોની પ્રેરણાથી મન પોતાને ગમતા વિષયો તરફ ગતિ કરે છે? મનને ગતિની પ્રેરણા ક્યાંથી મળે છે? આવી પ્રેરણા પ્રત્યક્ષ છે કે પરોક્ષ?

આત્મનિરીક્ષણના માર્ગે તત્વનું સંશોધન કરતા અભ્યાસો જણાવે છે કે મન ઈન્દ્રિયોનું ચાલક છે. પરંતુ મન સંપૂર્ણ સ્વતંત્ર નથી તે આત્માને યોગે પ્રેરણા મેળવે છે. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો આ શરીરસંસ્થાનું તે મુખ્ય અધિકારી બની જાય. તો પછી આ સર્વ શક્તિશાળી અને અધિકારી મનની શુદ્ધતા અને અશુદ્ધતાનો પ્રશ્ન વધુ મૂંઝવે કેમ કે સંપૂર્ણ શક્તિશાળી અને કોઈ અધિકારી વગરનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું આ મન આપોઆપ ક્યારેક શુદ્ધ તો ક્યારેક અશુદ્ધ કેવી રીતે બની જાય તે સમજવું વધુ અઘરું બને. વળી જો મનનો કોઈ અધિકારી હોય જ નહીં તો મનની શુદ્ધિ કોણ કરે અને કેવી રીતે થાય એ પણ પ્રશ્ન સર્જાય. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો તો મનને યોગ્ય લાગે તે જ નીતિ અને તે જ ધર્મ, મનને સાચું લાગે તે જ પરમાર્થ એ જ ન્યાય સ્વીકારવો પડે. પરંતુ એ સત્ય ન હોઈ શકે કેમકે મનનો ઇતિહાસ અને અનુભવ આનાથી ઊલટું દર્શાવે છે. મન એકલું સર્વ કંઈ પોતાનું ધાર્યું કરી શકતું નથી તેને પ્રેરણા કરનાર બીજું સમર્થ અસ્તિત્વ હોવું જ જોઈએ. આપણા સૌનો એ અનુભવ છે કે મન ક્યારેક ઉન્નતિના માર્ગે ચઢાવે છે તો ક્યારેક અવનતિના ખાડામાં ધકેલે છે જેથી મનને સંપૂર્ણપણે સ્વતંત્ર માની શકાય નહીં. નૈતિક ધાર્મિક અને પારમાર્થિક વિચારમાં મનના સ્વાતંત્ર્યનો પ્રશ્ન બહુ મહત્વનો છે. સાથે-સાથે પ્રાણને લગતી પ્રેરણા વિશેનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે કે પ્રાણ કોની પ્રેરણાથી ચાલે છે.

પ્રશ્નોપનિષદ અનુસાર પ્રાણ સર્વ પિંડબ્રહ્માંડનો ચાલક છે એ દૃષ્ટિએ દેહમાં પ્રાણ સ્વતંત્ર હોવો જોઈએ એવી ભ્રાંતિ થઈ શકે. મુંડક ઉપનિષદમાં પ્રાણ અને અંતઃકરણનું વિગતે વિશ્લેષણ જોવા મળે છે જેના દ્વારા પ્રાણ અને અંતકરણનું પ્રભુત્વ વિશેષ છે એવું સહજ લાગી શકે. પરંતુ એમાં એક ઠેકાણે એવું પણ જણાવાયું છે કે અંતઃકરણ કરતાં પ્રાણનું શ્રેષ્ઠત્વ છે. હવે કાં તો પ્રાણ શ્રેષ્ઠ અથવા અંતઃકરણ પરંતુ છતાં પ્રશ્ન ફરી ત્યાં જ રહે છે કે શું આ બંને સ્વતંત્ર છે કે તે બંનેને પ્રેરણા આપનાર તત્વ કોઈ બીજું પણ છે. એ તો સર્વવિદિત છે કે શ્વાસોશ્વાસ કે પ્રાણ એ એક બહારથી જણાનારી પ્રાણની ક્રિયા છે પરંતુ પ્રાણનું અંતર્ગત કાર્ય બહુ જ મોટું અને વ્યાપક છે. સર્વ સૃષ્ટિ પદાર્થનું અસ્તિત્વ પ્રાણશક્તિ પર જ અવલંબિત છે. હવે જો પ્રાણનું પૂર્ણ સ્વાતંત્ર્ય માન્ય રાખીએ તો પણ જીવન વ્યવહાર અંતર્ગત ધર્મ-અધર્મ, નિતી- અનિતી, યોગ્ય-અયોગ્ય, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય વગેરે બાબત સર્વાધિકારી માનેલા પ્રાણ ઉપર આધારિત માની શકાય ખરી? કેમ કે ઉપર જણાવેલ બાબતો જેવી કે ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ, યોગ્ય-અયોગ્ય વગેરેમાં તો બુદ્ધિને પ્રાધાન્ય આપવું પડે છે. જે અંતઃકરણનો એક ભાગ છે, તો શું બુદ્ધિ કે અંતઃકરણનું પ્રભુત્વ પ્રાણ ઉપર છે?

એક બીજો પ્રશ્ન વાણીનો પણ છે. માનવીના જીવનમાં મન અને પ્રાણ જેટલી જ વાણીની યોગ્યતા છે કેમકે સર્વ પ્રકારનું બૌદ્ધિક સામર્થ્ય વાણી મારફતે જ પ્રગટ થાય છે અને પરિણામકારક બને છે. તો પછી આ વાણીને કોની તરફથી પ્રેરણા મળે છે તે પણ પ્રશ્ન ઉદ્ભવે છે. વેદોનું વિધાન છે કે આ દરેકને પ્રેરણા દેવ તરફથી મળે છે. તો ફરી પ્રશ્ન થાય કે આ દેવ કોણ છે કે જે આટલો બધો સામર્થ્યવાન અને સ્વતંત્ર છે કે દરેકને પ્રેરિત કરે છે. ઇન્દ્રિઓ, મન, બુદ્ધિ, વાણી દરેક જો અનિષ્ટ તરફ પ્રેરિત થાય તો શું તેને પણ દેવ જ પ્રેરિત કરે છે અને જો એવું હોય તો આવી વ્યક્તિ કે તત્વને દેવ કેવી રીતે કહેવાય? વળી વેદોનું એક એવું વિધાન પણ છે કે મન ઇન્દ્રાદિકને જેની તરફથી પ્રેરણા મળે છે તેનું જ્ઞાન સંપાદન કરવું અને તેની ઉપાસના કરવી એ જ ધ્યેય પ્રાપ્તિનો માર્ગ છે. એનો અર્થ એ થયો કે મન, પ્રાણ, વાણી, આંખ, કાન વગેરે દરેકને કોઈક એવા વિશેષ તત્ત્વ તરફથી પ્રેરણા મળે છે જેને ઓળખવો અને તેનું જ્ઞાન સંપાદન કરવું શ્રેયકર છે તેની ઉપાસના કરવી પણ કલ્યાણકારી ગણાય કેમકે તે જ તત્વ પરમ સામર્થ્યવાન અને સ્વતંત્ર છે જેની ઈચ્છાથી સર્વ કોઈ પ્રેરણા મેળવે છે અને ગતિમાન રહે છે. જેની ઉપાસના દ્વારા મનુષ્ય જીવનને સાર્થક અવશ્ય કરી શકાય અને જીવનના દરેક ઉદ્દેશ્યને હાંસલ પણ કરી શકાય.

કાનમાં સાંભળવાની શક્તિ ઉત્પન્ન કરનાર, મનમાં વિષયને જાણવાની શક્તિ ઉત્પન્ન કરનાર, વાણીમાં શબ્દોની શક્તિને ઉત્પન્ન કરનાર, આંખોમાં જોવાની શક્તિ ઉત્પન્ન કરનાર, પ્રાણમાં શ્વાસોશ્વાસની શક્તિ ઉત્પન્ન કરનાર પ્રેરકતત્વ કોઈ બીજું છે જે સર્વશ્રેષ્ઠ છે અને સ્વતંત્ર છે એટલે તો એની ગેરહાજરીમાં એટલે કે મૃત્યુ બાદ કોઈ ઈન્દ્રિયો, મન કે પ્રાણ કાર્યરત રહી શકતા નથી. આમ આંખ, કાન વગેરે ઈન્દ્રિયો બીજાની શક્તિથી કાર્યક્ષમ થાય છે તેમને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. પ્રાણ અને મન બીજી ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે છતાં તેમને પણ કાર્ય કરવાની સ્વતંત્રતા નથી. તેઓ પણ શક્તિ તો બીજા પાસેથી જ મેળવે છે. મન અને બુદ્ધિ મનુષ્ય પાસે રહેલા ઉત્તમ સાધનો છે કે જેના દ્વારા મનુષ્ય એ સર્વ શક્તિશાળી વિશિષ્ટ તત્વની ઓળખ મેળવી શકે છે કે જેના દ્વારા તમામ ઇન્દ્રિય પ્રેરણા મેળવે છે. એ દ્રષ્ટિએ મન અને બુદ્ધિ વિશિષ્ટ અવશ્ય છે. બુદ્ધિ પણ મનનો જ એક અંતર્ગત ભાગ છે. મન જેવું વિચારે છે બુદ્ધિ તેવો જ નિર્ણય લે છે. પરંતુ આ બંને પણ સંપૂર્ણ સ્વતંત્ર અને સામર્થ્યવાન નથી. ટૂંકમાં મન અને બુદ્ધિ પણ અન્ય ઇન્દ્રિયોની માફક પરપ્રેરિત જ છે. વેદો અનુસાર મન, પ્રાણ, બુદ્ધિ, વાણી વગેરે તમામ પ્રેરણા આત્મા પાસેથી મેળવે છે. આત્મતત્વનું જ્ઞાન થતાં જ તમામ પ્રશ્નો રહસ્યો અને સંશયોમાંથી મુક્તિ મળે છે.

આત્મતત્વનું જ્ઞાન થતા માનવીની બુદ્ધિ અત્યંત નિર્મળ બને છે અને પૂર્ણ વિકસિત થાય છે. આવી નિર્મળ અને સંપૂર્ણ વિકસિત બુદ્ધિ એટલે પ્રજ્ઞાબુદ્ધિ અર્થાત જાગૃતતા જે અમૃતત્વનું દ્વાર છે. મન અને આત્મા વચ્ચે બુદ્ધિ તો એક દ્વારરૂપ છે. ઇન્દ્રિયોને આત્મા તરફથી જે પ્રેરણા મળે છે તે બુદ્ધિ મારફતે જ મળે છે. આત્મતત્વ અંગે જ્યાં સુધી મનુષ્યને સંશય રહે છે ત્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ થઈ શકતી નથી. જ્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ ન થાય ત્યાં સુધી આત્માની ઓળખ થઇ શકતી નથી. એટલા માટે હિન્દુશાસ્ત્રોમાં ઈશ્વર પરની શ્રદ્ધાને અતિ મહત્વનું પરિબળ ગણવામાં આવ્યું છે કેમ કે તેના દ્વારા તમામ સંશયો દૂર થાય છે, બુદ્ધિ વિકસિત અને પૂર્ણ બને છે, જે આત્માની ઓળખના કાર્યને સરળ અને સહજ બનાવે છે. સંશયગ્રસ્તને સ્વયં પ્રકાશરૂપ આત્મતત્વ પ્રાપ્ત થવું શક્ય જ નથી. આત્મતત્વથી પ્રકાશિત થનાર બુદ્ધિ ઉપર સંશયનું આવરણ હાનિકારક છે. આંખ બંધ રાખીને પ્રકાશને કદાપિ જોઈ ન શકાય અને સૂર્ય અસ્તિત્વ ધરાવતો જ નથી એવી જડ માન્યતા સૂર્યનું દર્શન કદાપિ ન થવા દે એ તો સમજી શકાય તેવી વાત છે. આપણા સૌનો અનુભવ છે કે જે વસ્તુ આપણે જોવા માગતા નથી તે ક્યારેય દેખાતી નથી. માત્ર યથાર્થ જોવાની ઈચ્છા સંપૂર્ણ હકારાત્મકતા સાથે કોઈ પૂર્વગ્રહ વગર થાય તો સત્યની પ્રાપ્તિ દૂર નથી એટલું તો હું અવશ્ય કહીશ.

શાસ્ત્રો અંતર્ગત મંત્રના રૂપમાં શબ્દો (વાણી) વડે જે ક્રિયા દર્શાવી છે તે ક્રિયાને બુદ્ધિ સાથે જ સંબંધ છે. જે દ્વારા આત્માની ઓળખ શક્ય બને છે. ટૂંકમાં વાણી, બુદ્ધિ, મન અને આત્મા એકબીજા સાથે સંકળાયેલા છે. વાણી, બુદ્ધિ, પ્રાણ અને મન દ્વારા આત્માને ઓળખી અને પામી શકાય છે. આ તમામ ઉમદા સાધનો (વાણી, મન, બુદ્ધિ, પ્રાણ) પરમાત્માની કૃપાથી મળેલ પરમાત્માને પામવાની જ વ્યવસ્થા છે પરંતુ આપણી એ કમનશીબી છે કે આવા અમૂલ્ય સાધનોનો આપણે યથાર્થ ઉપયોગ કરી શકતા નથી. જેના જ્ઞાને કરીને બુદ્ધિ સંશયમુક્ત અને શુદ્ધ થાય છે, મનુષ્ય બ્રહ્મપદને પામે છે તે બ્રહ્મ જ સર્વનો પ્રેરક છે. અર્થાત્ તે જ આત્મા છે એવું અહી નિર્વિવાદ સિદ્ધ થાય છે. પ્રેરણાસામર્થ્યનું ખરેખર ઉત્તમ સ્થાન આત્મતત્વ જ છે પરંતુ આ આત્મતત્વની આજુબાજુ આપણે કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, સ્વાર્થ, ઈર્ષા, અહંકારના એટલા અશુદ્ધ આવરણો ઢાંકી રાખ્યા છે કે આત્મતત્વની પ્રેરણા આપણા સુધી પહોંચી શકતી નથી. તમામ અયોગ્ય સંસ્કાર, ખોટી આદતો, યુગોની વાસનાઓ ઇચ્છાઓ રાગ-દ્વેષ જો છૂટી જાય તો અશુદ્ધિરૂપ આ બધા આવરણો આત્માને રૂંધી શકે નહીં, રોકી શકે નહીં અને તેની પ્રેરણા આપણી બુદ્ધિ-મન-વાણી-પ્રાણ સરળતાથી સહજ રીતે મેળવી શકે. પરિણામ સ્વરૂપ જીવન સુખ-શાંત, આનંદમય અને ઉત્સાહપ્રેરક બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મુશ્કેલી એ છે કે આત્મા પણ વ્યવહારિકધર્મોથી યુક્ત છે. મનુષ્યના મનોવિકાર આત્માની આત્મપ્રેરણાની સાથે સાહચાર્ય ધરાવે છે જેથી વ્યભિચારી ધર્મ બની જાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે કંઈ પણ અશુદ્ધિ યુક્ત મિશ્રણ થાય તો તેનો રંગ બદલાઈ જાય છે. જેથી આવું અશુદ્ધિ યુક્ત મિશ્રણ આત્મા પર ન પડે તે જોવું બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્યની પ્રથમ ફરજ બને છે. આપણી ઇન્દ્રિયોને સમજાય એવો એક પણ ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જગતમાં અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આત્મસ્વરૂપને મન અને શબ્દોથી સમજાવવું શક્ય બનતું નથી. આ કારણે જ આત્મતત્વનું પૂર્ણ જ્ઞાન શબ્દ કે ધર્મ દ્વારા થઈ શકતું નથી અને મનુષ્યજાતિ આત્મતત્વની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આંખો, વાણી, મન વગેરે આત્મતત્વ પર્યંત જઈ શકતા નથી જેથી તે આંખો વડે જોઈ શકાતું નથી, શબ્દો વડે વર્ણવી શકાતું નથી કે મન વડે તેની કલ્પના થઈ શકતી નથી. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મોથી ઓળખવા ટેવાયેલા છે પરંતુ આત્મતત્વનો તો કોઈ ગુણધર્મ જ ન હોવાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી. ટૂંકમાં આ તત્વને ઓળખવાનો આપણી પાસે એક જ રસ્તો છે અને તે છે પૂર્ણ શ્રદ્ધા અને સાથે-સાથે દુર્ગુણોનો ત્યાગ તેમ જ સંપૂર્ણ સદાચરણયુક્ત જીવન. એ સિવાય પ્રજ્ઞાબુદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી કે જે દ્વારા તમામ ઈન્દ્રિયો અને મનના પ્રેરકબળ સમાન આત્માને ઓળખી શકાય.

પિંડબ્રહ્માંડ ઉપર અવલંબિત વિજ્ઞાન એ જ આત્મજ્ઞાનનું મુખ્ય સાધન છે. જે તત્વ આપણા પિંડ એટલે કે દેહમાં છે તે જ તત્વ બ્રહ્માંડમાં છે. તેને ઓળખવાના વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન દ્વારા આત્મતત્વને ઓળખી શકાય છે. પિંડ અને બ્રહ્માંડમાં વ્યાપી રહેલ તત્વને પિંડની અપેક્ષા એ આત્મા અને બ્રહ્માંડની અપેક્ષાએ બ્રહ્મ કહેવામાં આવે છે. આમ બ્રહ્મ અને આત્મા એક જ છે. બ્રહ્મ ઉપાસના જ જીવન માટે પરમ શ્રેયસ્કર છે. મનનુ વિચારસામર્થ્ય જેની પ્રેરણાથી પ્રગટ થાય છે તે બ્રહ્મ જ ખરું સાધ્ય છે અને તેનું જ્ઞાન સંપાદન કરવું જીવનની તમામ પીડામાંથી મુક્ત થવા અનિવાર્ય છે. બ્રહ્મજ્ઞાન મનથી સંપાદીત થતું હોવાથી શાસ્ત્રો મનને બંધન અને મુક્તિ બંનેનું કારક કહ્યું છે. ક્રમે-ક્રમે શુદ્ધ અનુભવ લઈને બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન પૂર્ણ થાય છે જેથી જ ઈશ્વર આપણને ૮૪ લાખ ફેરા ફેરવે છે કે આપણે સાચું જ્ઞાન આ દ્વારા સંપાદિત કરી શકીએ. આંખ ઉપર બહારની વસ્તુનું પ્રતિબિંબ પડતાં તેની સંવેદના અંતઃકરણને પહોંચે છે જેથી જોઈ શકાય છે. જ્ઞાનતંતુનો નેત્ર સાથેનો સંબંધ દર્શનશક્તિ ઉત્પન્ન કરે છે. જેની પ્રેરણાથી નેત્રને દર્શનશક્તિ મળે છે તે બ્રહ્મ જ છે પરંતુ જે વસ્તુ દૃષ્ટિગોચર થાય છે તે બ્રહ્મ નથી. એટલા માટે આ સંસારને મિથ્યા કે મૃગજળ સમાન શાસ્ત્રો કહે છે. જગત વાસ્તવમાં એક આભાસ છે કેમકે જે દેખાય છે (સંસાર) એ છે નહીં અને જે છે (બ્રહ્મશક્તિ) તે દેખાતું નથી. સંસારમાં જે અવ્યક્ત છે એ જ વાસ્તવમાં વ્યક્ત છે બાકી બધુ અવ્યક્ત છે. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદા, અલ્પ બુદ્ધિ અને અનેક પ્રકારની અશુદ્ધિને કારણે આ સનાતન સત્ય સમજવું કઠિન બને છે. તો આવો ઉપર જણાવેલ ત્રણ સાધનોના ત્રિવેણી સંગમ દ્વારા આત્મતત્વને ઓળખી પામી અનન્ય જીવનને સાર્થક કરીએ.

 

~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahએસો.પ્રોફેસર HKBBA કોલેજશિલ્પા શાહ
SendShare96Tweet60Scan
ADVERTISEMENT
Previous Post

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા નો આજે જન્મદિવસ

Next Post

ડિવોર્સી

Related Posts

હાથતાળી

by iGujju
0
347
હાથતાળી
કલા-સાહિત્ય

ઉત્તર કાશીની ટનલમાંથી સકુશળ બહાર આવેલ તમામ 41 શ્રમિક ભાઈઓના સ્વાગત સહ એક શુભેચ્છા ગઝલ પ્રસ્તુત છે... મોતને દઈ હાથતાળી, લ્યો, અમે આવી ગયા, આજ ઘરમાં થઈ દિવાળી, લ્યો, અમે આવી ગયા.. દેવદિવાળી અમે પરિવાર સહ ઉજવીશું આજ, પૂર્ણ થઈ છે રાત કાળી, લ્યો, અમે આવી ગયા.. ત્યાં થયેલી ગૂંગળામણ પર વધુ શું બોલીએ! જાણે બળતી હો પરાળી, લ્યો, અમે આવી ગયા.. મૂલ્ય શું ખુલ્લી હવાનું છે? - હવે સમજ્યા અમે, એ વધુ લાગે હૂંફાળી, લ્યો, અમે આવી ગયા.. જિંદગી તો ત્યાંય હિંમતથી બધા જીવ્યા ખરા, પણ, હતી એ ઓશિયાળી, લ્યો, અમે આવી ગયા.. રેટ માઇનર્સ, સૈન્ય ને સરકારને ભૂલાય...

Read more

આંસુઓનો ભાર લાગે છે અહીં

by iGujju
0
212
આંસુઓનો ભાર લાગે છે અહીં
કવિતા

આંસુઓનો ભાર લાગે છે અહીં, દર્દની આ મોકાણ લાગે છે અહીં, માત્ર બે ડગલાં હશે અંતર છતાં, આવતાં તો વાર લાગે છે અહીં , તું નથી, કાઈ નથી સંસારમાં, જિંદગી બેકાર લાગે છે અહીં, છે વિરહની વેદના હવે તો ઘણી જો સુનો સંસાર લાગે છે અહીં, જિંદગી શોભાવવા માટે હવે, પ્રેમનો શણગાર લાગે છે અહીં, હિંમતસિંહ ઝાલા

Read more

આપણી ૧૪૮ જાતોનું વર્ણન

by iGujju
0
282
આપણી ૧૪૮ જાતોનું વર્ણન
જાણવા જેવું

બ્રાહ્મણની રસોઈ ને રાજપૂતની રીત, વાણિયાનો વેપાર ને પારસીની પ્રીત, નાગરની મુત્સદી ને વ્યાસની ભવાઈ, લોહાણાની હુંસાતુંસી ને ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ ને ચારણની ચતુરાઈ, મેમણની મક્કારી ને સૈયદની લુચ્ચાઈ, કણબીની ખેતી ને સંધીની ઉઘરાણી, પઠાણનું વ્યાજ ને ઘાંચીની ઘાણી, મેરનો રોટલો ને પૂજારીનો થાળ, કોળીની કરકસર ને ભક્તોની માળ, વહિવંચાની બિરદાવળી ને ઢાઢીનાં વખાણ, ભાટની કવિતા ને માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી ને વાંઝાનો વણાટ, ખવાસની ચાકરી ને ખત્રીનો રંગાટ, સીદ્દીઓનો મસીરો ને કાગદીની શાઈ, ખોજાના ડાળિયા ને કંદોઈની મિઠાઈ, ચુંવાળિયાનું પગેરૂં ને વાઘેરની કરડાઈ, આડોડિયાની ઝડઝપટ ને તરકની તોછડાઈ, અબોટીનાં કીર્તન ને બદાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો ને ઘંટિયાની ખેપ,...

Read more

તમારા વગર એ કુંવારી જ રહેશે

by iGujju
0
1
તમારા વગર એ કુંવારી જ રહેશે
ગઝલ

તમારા વગર એ કુંવારી જ રહેશે, તમારી કબર તો તમારી જ રહેશે. તમે ઘર કે શેરી બદલશો પરતું, ભીંતોની વફા એકધારી જ રહેશે. આ બારીથી થઈ ના શકાશે બગીચો, એ છેવટ સુધી માત્ર બારી જ રહેશે. ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી, કે ખારી જમીનો તો ખારી જ રહેશે. પગેરું હયાતીનું જોયું છે કોણે? કે એ તો ફરારી ફરારી જ રહેશે. આ હું, આ પથારી ને આ પાસાંબાજી, છે જૂનાં જુગારી, જુગારી જ રહેશે. Ramesh Parekh ~ છ અક્ષરનું નામ

Read more

It’s Ok ટીમ

by iGujju
0
327
It’s Ok ટીમ
ખેલ જગત

‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બોડી લેંગવેજ નેગેટીવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી અને ફાઈનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ક્રિકેટ ફેન’ તરીકે આપણી inconsistency છે. મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે, ત્યાં નિરાશાઓ પણ રહેવાની. ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક કયાં...

Read more

Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર

by iGujju
0
323
Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર
ખેલ જગત

પળમાં માવઠું દુકાળ પળમાં પળમાં મૂશળધાર Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર અમે ચાહીએ ક્રિકેટને કરીએ રમનારની પૂજા ક્રિકેટ fever ચડતો ત્યારે કામ ભૂલીએ દૂજા અમે લખેલું ભૂલી જાશું શું શું આજે કે’શું જેમને Superhero કહ્યા’તા એમને ગાળો દેશું વિવેક ને સંયમનો લેશે ભોગ આજ ઉન્માદ જેને જે ફાવે તે કહીશું કશું ન રાખશું યાદ ક્રિકેટ અમારા કોર્સમાં છે અમે MBA છીએ એમાં શું સાચું શું ખોટું છે, Mને Bધું Aaવડે જેમાં - તુષાર શુક્લ

Read more

લાભ પાંચમ

by iGujju
0
234
લાભ પાંચમ
દિવાળી

એક પડખે ઊંઘ પૂરી થાય તો છે લાભ પાંચમ, સ્વપ્નમાં પણ દર્દ ના વર્તાય તો છે લાભ પાંચમ.. સ્વાદ અનુસાર અન્ન ખુદની થાળીમાં સૌ લે ભલે, પણ, એક પંગતમાં જ સ્વજનો ખાય તો છે લાભ પાંચમ.. વાહવાહી ગામમાં કેવળ કરે સૌ, કામનું શું? માવતર ઘરમાં જરીક હરખાય તો છે લાભ પાંચમ.. ધન મળે મહેનત વગરનું - એ વિચાર આવે ન ક્યારેય, દેહ પરસેવાથી પૂરો ન્હાય તો છે લાભ પાંચમ.. કાયમી શાસ્ત્રાર્થ થોડો થાય એ આદર્શ છે, પણ, નિર્વિવાદે દિ' પૂરો થઈ જાય તો છે લાભ પાંચમ.. હાથ નાખું ત્યાં મળે ધન - એ નથી દિલને અપેક્ષિત, રોગ પાછળ ના રકમ...

Read more

જિંદગી (ગઝલ)

by iGujju
0
332
જિંદગી (ગઝલ)
કલા-સાહિત્ય

જિંદગીતો એક સુંદર સાજ છે હાસ્યએ તો જિંદગીનો રાગ છે. આજ આવી વિપદા તો શું થયું? આવનારી કાલ પણ સોગાત છે મોહ માયા જિંદગીની આશ છે, જીવને તો ખૂબ એની પ્યાસ છે. સાર તો ગીતા તણો સુંદર ઘણો, આ સાર તો ઈશ'નો ઉપહાર છે. મોતતો આ તનનું એ તો સત્ય છે પણ અમરતા એ આત્માનો તાજ છે. જાગૃતિ કૈલા, 'ઊર્જા'

Read more

દિવાળી નો ઇતિહાસ

by iGujju
0
423
દિવાળી નો ઇતિહાસ
જાણવા જેવું

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના...

Read more

પ્રકાશનો તહેવાર

by iGujju
0
233
પ્રકાશનો તહેવાર
દિવાળી

દીવા: રંગબેરંગી વિવિધ પ્રકારના માટીના કોડિયાં;  અને કેટલાકમાં મારી બહેનોના હાથથી કરેલું ચિત્રકામ પણ છે. અમુક ફકત કોળિયા છે અને અન્યમાં મીણ ભરેલું છે.   મારા ટોપલામાં દીવા જ સાબિતી આપે છે કે દિવાળી છે, નહીં તો હું અને મારો આઠ સભ્યોનો પરિવાર ક્યારેય કંઈપણ ઉજવવાની સ્થિતિમાં નથી હોતા. અમને તહેવારોનો અર્થ જ નથી ખબર. તમે એકદમ સચોટ અનુમાન લગાવ્યું. અમે નિરાધાર છીએ, એટલા ગરીબ કે રોજ કૂવો ખોદો અને રોજ પાણી પીવો. તેથી, નવા કપડાં, મીઠાઈઓ અને ફટાકડાનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. અમે એવી દયનીય પરિસ્થિતિમાં જીવીએ છીએ કે જાતે બનાવેલા દીવાથી અમારી ઝૂંપડીને શણગારવાનું પણ પોસાય...

Read more
Load More
Next Post
ડિવોર્સી

ડિવોર્સી

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
ક્ષિતિજની પેલે પાર   (વાર્તા ) ~ પલાશ બારોટ

ક્ષિતિજની પેલે પાર – 2

ગુરુ વંદના

ગુરુ વંદના

દાદા ને દાદીનું વ્હાલ

દાદા ને દાદીનું વ્હાલ

ઘડપણ આવ્યું

ઘડપણ આવ્યું

ક્ષિતિજની પેલે પાર   (વાર્તા ) ~ પલાશ બારોટ

ક્ષિતિજની પેલે પાર (વાર્તા ) ~ પલાશ બારોટ

હાથતાળી

હાથતાળી

આંસુઓનો ભાર લાગે છે અહીં

આંસુઓનો ભાર લાગે છે અહીં

આપણી ૧૪૮ જાતોનું વર્ણન

આપણી ૧૪૮ જાતોનું વર્ણન

તમારા વગર એ કુંવારી જ રહેશે

તમારા વગર એ કુંવારી જ રહેશે

It’s Ok ટીમ

It’s Ok ટીમ

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!