• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, February 8, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    આંગણું 

    આંગણું 

    ખુલ્લો દરવાજો

    સાવ ખુદથી અજાણ રાખ્યા તા

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    આંગણું 

    આંગણું 

    ખુલ્લો દરવાજો

    સાવ ખુદથી અજાણ રાખ્યા તા

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    આંગણું 

    આંગણું 

    ખુલ્લો દરવાજો

    સાવ ખુદથી અજાણ રાખ્યા તા

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    આંગણું 

    આંગણું 

    ખુલ્લો દરવાજો

    સાવ ખુદથી અજાણ રાખ્યા તા

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
209 2
A A
0
237
SHARES
878
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં આવે છે (જેની પાસે મન હોય તેને માનવ કહેવાય) આપણા તમામ વ્યવહારો પછી ભલે તે ક્રિયાત્મક હોય વિચારાત્મક હોય કે વાણીમય સર્વે આપણી ઇન્દ્રિયો કે મનરૂપી સાધનો દ્વારા ચાલે છે. પરંતુ આપણને એ વિચાર ક્યારેય આવતો નથી કે આ ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે. જો આપણે એવું માનતા હોઈએ કે તમામ ઈન્દ્રિયો મનની પ્રેરણાથી ચાલે છે તો ફરી પ્રશ્ન થાય કે મનનો પ્રેરક કોણ છે. કેનોપનિષદના પ્રથમ ખંડમાં સમગ્રપણે આ એક જ પ્રશ્ન પર વિચાર થયેલ છે કે ઇન્દ્રિયોને કાર્યરત થવાની પ્રેરણા કોણ આપે છે અને મનનું પ્રેરકબળ કયું છે.

સાચું પુછો તો એવા શાસ્ત્રો કે એવું જ્ઞાન કે જે ધર્મ, નીતિ અને સદાચાર જેવા વિષયોની છણાવટ ન કરતું હોય કે આ વિષયો અંગેની સમજણ ન આપતું હોય અર્થાત જીવન કેવી રીતે જીવાય અને તેને સાર્થક કેવી રીતે કરાય તે ન જણાવતું હોય તે જ્ઞાન કે શાસ્ત્ર વ્યર્થ છે. હિન્દુશાસ્ત્રો જેમ કે વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે એવા વાસ્તવિક જ્ઞાનની છણાવટ કરે છે કે જેના દ્વારા જીવનમાં ઉત્સાહ વધે, કર્તવ્યપરાયણતા, સદાચાર, મૂલ્યો અને નીતિની સમજણ વધે કે જે દ્વારા યથાર્થ કર્મયોગની સાધના થઈ શકે. બ્રહ્મવિદ્યા એ જ સાચી વીર્યવતી વિદ્યા છે જે જીવનમાં ઉત્સાહપ્રેરક અને ઉપયોગી સાબિત થાય છે. જે અંતર્ગત પ્રથમ પ્રશ્ન એ ઉદભવે એ તો સ્વાભાવિક જ છે કે મારા અવયવો, વાણી, પ્રાણ, નેત્ર, કર્ણ, સામર્થ્ય અન્ય ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે કેમકે વર્ષોવર્ષ જીવનપર્યંત આપોઆપ આ સર્વે ચાલતાં જ રહે છે, ગતિમાન રહે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કોનું પ્રેરેલું મન વિષયો પ્રતિ જાય છે? કોણે પ્રેરેલો પ્રાણ અવિરત ચાલતો રહે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કોની પ્રેરણાથી થતી રહે છે? કોની પ્રેરણાથી વાણી બોલે છે? કોની પ્રેરણાથી કાન અને આંખ સાંભળવાનું અને જોવાનું કાર્ય કરે છે? જો આ તમામ મનની પ્રેરણાથી ચાલતા હોય તો પ્રશ્ન છે કે મન કોની પ્રેરણાથી ચાલે છે? કોની પ્રેરણાથી મન પોતાને ગમતા વિષયો તરફ ગતિ કરે છે? મનને ગતિની પ્રેરણા ક્યાંથી મળે છે? આવી પ્રેરણા પ્રત્યક્ષ છે કે પરોક્ષ?

આત્મનિરીક્ષણના માર્ગે તત્વનું સંશોધન કરતા અભ્યાસો જણાવે છે કે મન ઈન્દ્રિયોનું ચાલક છે. પરંતુ મન સંપૂર્ણ સ્વતંત્ર નથી તે આત્માને યોગે પ્રેરણા મેળવે છે. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો આ શરીરસંસ્થાનું તે મુખ્ય અધિકારી બની જાય. તો પછી આ સર્વ શક્તિશાળી અને અધિકારી મનની શુદ્ધતા અને અશુદ્ધતાનો પ્રશ્ન વધુ મૂંઝવે કેમ કે સંપૂર્ણ શક્તિશાળી અને કોઈ અધિકારી વગરનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું આ મન આપોઆપ ક્યારેક શુદ્ધ તો ક્યારેક અશુદ્ધ કેવી રીતે બની જાય તે સમજવું વધુ અઘરું બને. વળી જો મનનો કોઈ અધિકારી હોય જ નહીં તો મનની શુદ્ધિ કોણ કરે અને કેવી રીતે થાય એ પણ પ્રશ્ન સર્જાય. જો મન સંપૂર્ણ સ્વતંત્ર હોય તો તો મનને યોગ્ય લાગે તે જ નીતિ અને તે જ ધર્મ, મનને સાચું લાગે તે જ પરમાર્થ એ જ ન્યાય સ્વીકારવો પડે. પરંતુ એ સત્ય ન હોઈ શકે કેમકે મનનો ઇતિહાસ અને અનુભવ આનાથી ઊલટું દર્શાવે છે. મન એકલું સર્વ કંઈ પોતાનું ધાર્યું કરી શકતું નથી તેને પ્રેરણા કરનાર બીજું સમર્થ અસ્તિત્વ હોવું જ જોઈએ. આપણા સૌનો એ અનુભવ છે કે મન ક્યારેક ઉન્નતિના માર્ગે ચઢાવે છે તો ક્યારેક અવનતિના ખાડામાં ધકેલે છે જેથી મનને સંપૂર્ણપણે સ્વતંત્ર માની શકાય નહીં. નૈતિક ધાર્મિક અને પારમાર્થિક વિચારમાં મનના સ્વાતંત્ર્યનો પ્રશ્ન બહુ મહત્વનો છે. સાથે-સાથે પ્રાણને લગતી પ્રેરણા વિશેનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે કે પ્રાણ કોની પ્રેરણાથી ચાલે છે.

પ્રશ્નોપનિષદ અનુસાર પ્રાણ સર્વ પિંડબ્રહ્માંડનો ચાલક છે એ દૃષ્ટિએ દેહમાં પ્રાણ સ્વતંત્ર હોવો જોઈએ એવી ભ્રાંતિ થઈ શકે. મુંડક ઉપનિષદમાં પ્રાણ અને અંતઃકરણનું વિગતે વિશ્લેષણ જોવા મળે છે જેના દ્વારા પ્રાણ અને અંતકરણનું પ્રભુત્વ વિશેષ છે એવું સહજ લાગી શકે. પરંતુ એમાં એક ઠેકાણે એવું પણ જણાવાયું છે કે અંતઃકરણ કરતાં પ્રાણનું શ્રેષ્ઠત્વ છે. હવે કાં તો પ્રાણ શ્રેષ્ઠ અથવા અંતઃકરણ પરંતુ છતાં પ્રશ્ન ફરી ત્યાં જ રહે છે કે શું આ બંને સ્વતંત્ર છે કે તે બંનેને પ્રેરણા આપનાર તત્વ કોઈ બીજું પણ છે. એ તો સર્વવિદિત છે કે શ્વાસોશ્વાસ કે પ્રાણ એ એક બહારથી જણાનારી પ્રાણની ક્રિયા છે પરંતુ પ્રાણનું અંતર્ગત કાર્ય બહુ જ મોટું અને વ્યાપક છે. સર્વ સૃષ્ટિ પદાર્થનું અસ્તિત્વ પ્રાણશક્તિ પર જ અવલંબિત છે. હવે જો પ્રાણનું પૂર્ણ સ્વાતંત્ર્ય માન્ય રાખીએ તો પણ જીવન વ્યવહાર અંતર્ગત ધર્મ-અધર્મ, નિતી- અનિતી, યોગ્ય-અયોગ્ય, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય વગેરે બાબત સર્વાધિકારી માનેલા પ્રાણ ઉપર આધારિત માની શકાય ખરી? કેમ કે ઉપર જણાવેલ બાબતો જેવી કે ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ, યોગ્ય-અયોગ્ય વગેરેમાં તો બુદ્ધિને પ્રાધાન્ય આપવું પડે છે. જે અંતઃકરણનો એક ભાગ છે, તો શું બુદ્ધિ કે અંતઃકરણનું પ્રભુત્વ પ્રાણ ઉપર છે?

એક બીજો પ્રશ્ન વાણીનો પણ છે. માનવીના જીવનમાં મન અને પ્રાણ જેટલી જ વાણીની યોગ્યતા છે કેમકે સર્વ પ્રકારનું બૌદ્ધિક સામર્થ્ય વાણી મારફતે જ પ્રગટ થાય છે અને પરિણામકારક બને છે. તો પછી આ વાણીને કોની તરફથી પ્રેરણા મળે છે તે પણ પ્રશ્ન ઉદ્ભવે છે. વેદોનું વિધાન છે કે આ દરેકને પ્રેરણા દેવ તરફથી મળે છે. તો ફરી પ્રશ્ન થાય કે આ દેવ કોણ છે કે જે આટલો બધો સામર્થ્યવાન અને સ્વતંત્ર છે કે દરેકને પ્રેરિત કરે છે. ઇન્દ્રિઓ, મન, બુદ્ધિ, વાણી દરેક જો અનિષ્ટ તરફ પ્રેરિત થાય તો શું તેને પણ દેવ જ પ્રેરિત કરે છે અને જો એવું હોય તો આવી વ્યક્તિ કે તત્વને દેવ કેવી રીતે કહેવાય? વળી વેદોનું એક એવું વિધાન પણ છે કે મન ઇન્દ્રાદિકને જેની તરફથી પ્રેરણા મળે છે તેનું જ્ઞાન સંપાદન કરવું અને તેની ઉપાસના કરવી એ જ ધ્યેય પ્રાપ્તિનો માર્ગ છે. એનો અર્થ એ થયો કે મન, પ્રાણ, વાણી, આંખ, કાન વગેરે દરેકને કોઈક એવા વિશેષ તત્ત્વ તરફથી પ્રેરણા મળે છે જેને ઓળખવો અને તેનું જ્ઞાન સંપાદન કરવું શ્રેયકર છે તેની ઉપાસના કરવી પણ કલ્યાણકારી ગણાય કેમકે તે જ તત્વ પરમ સામર્થ્યવાન અને સ્વતંત્ર છે જેની ઈચ્છાથી સર્વ કોઈ પ્રેરણા મેળવે છે અને ગતિમાન રહે છે. જેની ઉપાસના દ્વારા મનુષ્ય જીવનને સાર્થક અવશ્ય કરી શકાય અને જીવનના દરેક ઉદ્દેશ્યને હાંસલ પણ કરી શકાય.

કાનમાં સાંભળવાની શક્તિ ઉત્પન્ન કરનાર, મનમાં વિષયને જાણવાની શક્તિ ઉત્પન્ન કરનાર, વાણીમાં શબ્દોની શક્તિને ઉત્પન્ન કરનાર, આંખોમાં જોવાની શક્તિ ઉત્પન્ન કરનાર, પ્રાણમાં શ્વાસોશ્વાસની શક્તિ ઉત્પન્ન કરનાર પ્રેરકતત્વ કોઈ બીજું છે જે સર્વશ્રેષ્ઠ છે અને સ્વતંત્ર છે એટલે તો એની ગેરહાજરીમાં એટલે કે મૃત્યુ બાદ કોઈ ઈન્દ્રિયો, મન કે પ્રાણ કાર્યરત રહી શકતા નથી. આમ આંખ, કાન વગેરે ઈન્દ્રિયો બીજાની શક્તિથી કાર્યક્ષમ થાય છે તેમને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. પ્રાણ અને મન બીજી ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે છતાં તેમને પણ કાર્ય કરવાની સ્વતંત્રતા નથી. તેઓ પણ શક્તિ તો બીજા પાસેથી જ મેળવે છે. મન અને બુદ્ધિ મનુષ્ય પાસે રહેલા ઉત્તમ સાધનો છે કે જેના દ્વારા મનુષ્ય એ સર્વ શક્તિશાળી વિશિષ્ટ તત્વની ઓળખ મેળવી શકે છે કે જેના દ્વારા તમામ ઇન્દ્રિય પ્રેરણા મેળવે છે. એ દ્રષ્ટિએ મન અને બુદ્ધિ વિશિષ્ટ અવશ્ય છે. બુદ્ધિ પણ મનનો જ એક અંતર્ગત ભાગ છે. મન જેવું વિચારે છે બુદ્ધિ તેવો જ નિર્ણય લે છે. પરંતુ આ બંને પણ સંપૂર્ણ સ્વતંત્ર અને સામર્થ્યવાન નથી. ટૂંકમાં મન અને બુદ્ધિ પણ અન્ય ઇન્દ્રિયોની માફક પરપ્રેરિત જ છે. વેદો અનુસાર મન, પ્રાણ, બુદ્ધિ, વાણી વગેરે તમામ પ્રેરણા આત્મા પાસેથી મેળવે છે. આત્મતત્વનું જ્ઞાન થતાં જ તમામ પ્રશ્નો રહસ્યો અને સંશયોમાંથી મુક્તિ મળે છે.

આત્મતત્વનું જ્ઞાન થતા માનવીની બુદ્ધિ અત્યંત નિર્મળ બને છે અને પૂર્ણ વિકસિત થાય છે. આવી નિર્મળ અને સંપૂર્ણ વિકસિત બુદ્ધિ એટલે પ્રજ્ઞાબુદ્ધિ અર્થાત જાગૃતતા જે અમૃતત્વનું દ્વાર છે. મન અને આત્મા વચ્ચે બુદ્ધિ તો એક દ્વારરૂપ છે. ઇન્દ્રિયોને આત્મા તરફથી જે પ્રેરણા મળે છે તે બુદ્ધિ મારફતે જ મળે છે. આત્મતત્વ અંગે જ્યાં સુધી મનુષ્યને સંશય રહે છે ત્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ થઈ શકતી નથી. જ્યાં સુધી બુદ્ધિ વિકસિત અને નિર્મળ ન થાય ત્યાં સુધી આત્માની ઓળખ થઇ શકતી નથી. એટલા માટે હિન્દુશાસ્ત્રોમાં ઈશ્વર પરની શ્રદ્ધાને અતિ મહત્વનું પરિબળ ગણવામાં આવ્યું છે કેમ કે તેના દ્વારા તમામ સંશયો દૂર થાય છે, બુદ્ધિ વિકસિત અને પૂર્ણ બને છે, જે આત્માની ઓળખના કાર્યને સરળ અને સહજ બનાવે છે. સંશયગ્રસ્તને સ્વયં પ્રકાશરૂપ આત્મતત્વ પ્રાપ્ત થવું શક્ય જ નથી. આત્મતત્વથી પ્રકાશિત થનાર બુદ્ધિ ઉપર સંશયનું આવરણ હાનિકારક છે. આંખ બંધ રાખીને પ્રકાશને કદાપિ જોઈ ન શકાય અને સૂર્ય અસ્તિત્વ ધરાવતો જ નથી એવી જડ માન્યતા સૂર્યનું દર્શન કદાપિ ન થવા દે એ તો સમજી શકાય તેવી વાત છે. આપણા સૌનો અનુભવ છે કે જે વસ્તુ આપણે જોવા માગતા નથી તે ક્યારેય દેખાતી નથી. માત્ર યથાર્થ જોવાની ઈચ્છા સંપૂર્ણ હકારાત્મકતા સાથે કોઈ પૂર્વગ્રહ વગર થાય તો સત્યની પ્રાપ્તિ દૂર નથી એટલું તો હું અવશ્ય કહીશ.

શાસ્ત્રો અંતર્ગત મંત્રના રૂપમાં શબ્દો (વાણી) વડે જે ક્રિયા દર્શાવી છે તે ક્રિયાને બુદ્ધિ સાથે જ સંબંધ છે. જે દ્વારા આત્માની ઓળખ શક્ય બને છે. ટૂંકમાં વાણી, બુદ્ધિ, મન અને આત્મા એકબીજા સાથે સંકળાયેલા છે. વાણી, બુદ્ધિ, પ્રાણ અને મન દ્વારા આત્માને ઓળખી અને પામી શકાય છે. આ તમામ ઉમદા સાધનો (વાણી, મન, બુદ્ધિ, પ્રાણ) પરમાત્માની કૃપાથી મળેલ પરમાત્માને પામવાની જ વ્યવસ્થા છે પરંતુ આપણી એ કમનશીબી છે કે આવા અમૂલ્ય સાધનોનો આપણે યથાર્થ ઉપયોગ કરી શકતા નથી. જેના જ્ઞાને કરીને બુદ્ધિ સંશયમુક્ત અને શુદ્ધ થાય છે, મનુષ્ય બ્રહ્મપદને પામે છે તે બ્રહ્મ જ સર્વનો પ્રેરક છે. અર્થાત્ તે જ આત્મા છે એવું અહી નિર્વિવાદ સિદ્ધ થાય છે. પ્રેરણાસામર્થ્યનું ખરેખર ઉત્તમ સ્થાન આત્મતત્વ જ છે પરંતુ આ આત્મતત્વની આજુબાજુ આપણે કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચ, સ્વાર્થ, ઈર્ષા, અહંકારના એટલા અશુદ્ધ આવરણો ઢાંકી રાખ્યા છે કે આત્મતત્વની પ્રેરણા આપણા સુધી પહોંચી શકતી નથી. તમામ અયોગ્ય સંસ્કાર, ખોટી આદતો, યુગોની વાસનાઓ ઇચ્છાઓ રાગ-દ્વેષ જો છૂટી જાય તો અશુદ્ધિરૂપ આ બધા આવરણો આત્માને રૂંધી શકે નહીં, રોકી શકે નહીં અને તેની પ્રેરણા આપણી બુદ્ધિ-મન-વાણી-પ્રાણ સરળતાથી સહજ રીતે મેળવી શકે. પરિણામ સ્વરૂપ જીવન સુખ-શાંત, આનંદમય અને ઉત્સાહપ્રેરક બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મુશ્કેલી એ છે કે આત્મા પણ વ્યવહારિકધર્મોથી યુક્ત છે. મનુષ્યના મનોવિકાર આત્માની આત્મપ્રેરણાની સાથે સાહચાર્ય ધરાવે છે જેથી વ્યભિચારી ધર્મ બની જાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે કંઈ પણ અશુદ્ધિ યુક્ત મિશ્રણ થાય તો તેનો રંગ બદલાઈ જાય છે. જેથી આવું અશુદ્ધિ યુક્ત મિશ્રણ આત્મા પર ન પડે તે જોવું બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્યની પ્રથમ ફરજ બને છે. આપણી ઇન્દ્રિયોને સમજાય એવો એક પણ ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જગતમાં અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આત્મસ્વરૂપને મન અને શબ્દોથી સમજાવવું શક્ય બનતું નથી. આ કારણે જ આત્મતત્વનું પૂર્ણ જ્ઞાન શબ્દ કે ધર્મ દ્વારા થઈ શકતું નથી અને મનુષ્યજાતિ આત્મતત્વની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આંખો, વાણી, મન વગેરે આત્મતત્વ પર્યંત જઈ શકતા નથી જેથી તે આંખો વડે જોઈ શકાતું નથી, શબ્દો વડે વર્ણવી શકાતું નથી કે મન વડે તેની કલ્પના થઈ શકતી નથી. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મોથી ઓળખવા ટેવાયેલા છે પરંતુ આત્મતત્વનો તો કોઈ ગુણધર્મ જ ન હોવાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી. ટૂંકમાં આ તત્વને ઓળખવાનો આપણી પાસે એક જ રસ્તો છે અને તે છે પૂર્ણ શ્રદ્ધા અને સાથે-સાથે દુર્ગુણોનો ત્યાગ તેમ જ સંપૂર્ણ સદાચરણયુક્ત જીવન. એ સિવાય પ્રજ્ઞાબુદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી કે જે દ્વારા તમામ ઈન્દ્રિયો અને મનના પ્રેરકબળ સમાન આત્માને ઓળખી શકાય.

પિંડબ્રહ્માંડ ઉપર અવલંબિત વિજ્ઞાન એ જ આત્મજ્ઞાનનું મુખ્ય સાધન છે. જે તત્વ આપણા પિંડ એટલે કે દેહમાં છે તે જ તત્વ બ્રહ્માંડમાં છે. તેને ઓળખવાના વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન દ્વારા આત્મતત્વને ઓળખી શકાય છે. પિંડ અને બ્રહ્માંડમાં વ્યાપી રહેલ તત્વને પિંડની અપેક્ષા એ આત્મા અને બ્રહ્માંડની અપેક્ષાએ બ્રહ્મ કહેવામાં આવે છે. આમ બ્રહ્મ અને આત્મા એક જ છે. બ્રહ્મ ઉપાસના જ જીવન માટે પરમ શ્રેયસ્કર છે. મનનુ વિચારસામર્થ્ય જેની પ્રેરણાથી પ્રગટ થાય છે તે બ્રહ્મ જ ખરું સાધ્ય છે અને તેનું જ્ઞાન સંપાદન કરવું જીવનની તમામ પીડામાંથી મુક્ત થવા અનિવાર્ય છે. બ્રહ્મજ્ઞાન મનથી સંપાદીત થતું હોવાથી શાસ્ત્રો મનને બંધન અને મુક્તિ બંનેનું કારક કહ્યું છે. ક્રમે-ક્રમે શુદ્ધ અનુભવ લઈને બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન પૂર્ણ થાય છે જેથી જ ઈશ્વર આપણને ૮૪ લાખ ફેરા ફેરવે છે કે આપણે સાચું જ્ઞાન આ દ્વારા સંપાદિત કરી શકીએ. આંખ ઉપર બહારની વસ્તુનું પ્રતિબિંબ પડતાં તેની સંવેદના અંતઃકરણને પહોંચે છે જેથી જોઈ શકાય છે. જ્ઞાનતંતુનો નેત્ર સાથેનો સંબંધ દર્શનશક્તિ ઉત્પન્ન કરે છે. જેની પ્રેરણાથી નેત્રને દર્શનશક્તિ મળે છે તે બ્રહ્મ જ છે પરંતુ જે વસ્તુ દૃષ્ટિગોચર થાય છે તે બ્રહ્મ નથી. એટલા માટે આ સંસારને મિથ્યા કે મૃગજળ સમાન શાસ્ત્રો કહે છે. જગત વાસ્તવમાં એક આભાસ છે કેમકે જે દેખાય છે (સંસાર) એ છે નહીં અને જે છે (બ્રહ્મશક્તિ) તે દેખાતું નથી. સંસારમાં જે અવ્યક્ત છે એ જ વાસ્તવમાં વ્યક્ત છે બાકી બધુ અવ્યક્ત છે. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદા, અલ્પ બુદ્ધિ અને અનેક પ્રકારની અશુદ્ધિને કારણે આ સનાતન સત્ય સમજવું કઠિન બને છે. તો આવો ઉપર જણાવેલ ત્રણ સાધનોના ત્રિવેણી સંગમ દ્વારા આત્મતત્વને ઓળખી પામી અનન્ય જીવનને સાર્થક કરીએ.

 

~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahએસો.પ્રોફેસર HKBBA કોલેજશિલ્પા શાહ
SendShare95Tweet59Scan
ADVERTISEMENT
Previous Post

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા નો આજે જન્મદિવસ

Next Post

ડિવોર્સી

Related Posts

આંગણું 

by iGujju
0
324
આંગણું 
માઈક્રોફિક્શન

આજ થી વીસ વરસ પેલા આંગણા નું ખૂબ મહત્વ હતું મારી , ઇટ,કપચી ,રેતી ,અથવા છાણ થી બનેલા આંગણા માં એક તુલસી નો ક્યારો જેમાં એક દીવો ને વડ, પીપળા,બદામ નું મોટું ઝાડ સવારે ચાર વાગ્યે વહુ ઉઠે કે સૌથી પેલા આંગણા ને સાફ કરી તુલસી ને દીવો કરે એની કાચ ની બંગડીઓ , ને છન છન કરતા જાંજર નો રણકાર આહાહા આખું આંગણું જીવી ઉઠે સાસરી મા પેહેલા ગમન એજ આંગણિયે થાય વરસ ના પાપડ ,અથાણાં ,મરચા સારેવડા બધું જ ત્યાં બને જન્માષ્ટમી ,હોડી ,દિવાળી નવલા નોરતા ની રમઝટ એ પણ આજ આંગણે શુભ લગ્ન માં તો પીઠી ,...

Read more

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

by iGujju
0
425
ખુલ્લો દરવાજો
કલા-સાહિત્ય

સાવ ખુદથી અજાણ રાખ્યા તા બે'ક ભાથામાં બાણ રાખ્યા તા કોક ઝૂલતો રૂમાલ રાખેને ! એમ ખિસ્સામાં પ્રાણ રાખ્યા તા કોક દોડી હલેસા લઈ આવ્યું કોકે તૈયાર વહાણ રાખ્યા તા બચ્ચ કહેતા જ માર્ગ ચીરી દે એમ ઘોડે પલાણ રાખ્યા તા તારા ખંજરની આબરૂ ખાતર દાગ મેં લોહીઝાણ રાખ્યા તા Chandresh Makwana

Read more

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

by iGujju
0
513
સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર
ધર્મ અને આધ્યાત્મિકતા

જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આમ પણ સત્ય કદાપિ જડ ઇન્દ્રિયોની પકડમાં આવી શકે જ નહીં કેમકે ઇન્દ્રિયોની એક સીમા છે જ્યારે સત્ય અસીમ છે. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મને આધારે એટલે કે રંગ રૂપ આકાર વગેરેને આધારે ઓળખવા ટેવાયેલા છીએ. પરંતુ સત્યનો તો કોઈ આકાર કે રંગ રૂપ છે જ નહિ તો તે દેખાય કે ઓળખાય કેવી રીતે. સામાન્ય સમજણ અનુસાર જો સાક્ષાત્કાર શબ્દને સમજીએ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષ કે રૂબરૂ અને...

Read more

માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

by iGujju
0
432
માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ
જાણવા જેવું

માર્કેટિંગ એટલે કે માર્કેટમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસને સફળતા પૂર્વક પદાર્પણ કરાવવાની કળાં. માર્કેટિંગ ફક્ત કળા જ નહિ પરંતુ ઊંડું વિજ્ઞાન છે, જેમ વિજ્ઞાનની અંદર દરેક પદાર્થના ગુણધર્મો ચકાસી અને તે પ્રમાણે રિએક્શન ઉદ્ભવતા હોય છે તેમ માર્કેટિંગમાં પણ પ્રોડક્ટના કે સર્વિસના ગુણધર્મો તપાસી તેને સાંકળતી ચેનલ શોધી અને વિજ્ઞાપિત કરવામાં આવતા હોય છે. "માર્કેટિંગ એ પ્રવૃત્તિ, સંસ્થાઓનો સમૂહ અને ઓફરિંગ બનાવવા, વાતચીત કરવા, પહોંચાડવા અને વિનિમય કરવા માટેની પ્રક્રિયાઓ છે જે ગ્રાહકો, ગ્રાહકો, ભાગીદારો અને સમાજ માટે મોટા પ્રમાણમાં મૂલ્ય ધરાવે છે." - અમેરિકન માર્કેટિંગ એસોસિએશન "માર્કેટિંગ એ વ્યક્તિગત અને સંસ્થાકીય ધ્યેયોને સંતોષતા એક્સચેન્જો બનાવવા માટે કલ્પના, કિંમત, પ્રમોશન...

Read more

11 બાળકોનાં ઉખાણાં

by iGujju
0
324
11 બાળકોનાં ઉખાણાં
બાળ વિશેષ

કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...

Read more

એક બાળકનો વિશ્વાસ

by iGujju
0
333
એક બાળકનો વિશ્વાસ
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ.   ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...

Read more

છોગાળા હવે તો છોડો

by iGujju
0
324
છોગાળા હવે તો છોડો
બાળ વિશેષ

છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...

Read more

મારી દીકરી ક્યાં?

by iGujju
0
427
મારી દીકરી ક્યાં?
મહિલા વિશેષ

આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક

Read more

બદમાશ

by iGujju
0
499
બદમાશ
કલા-સાહિત્ય

બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...

Read more

દલો તરવાડી ~ વાર્તા

by iGujju
0
645
દલો તરવાડી ~ વાર્તા
બાળ વિશેષ

એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...

Read more
Load More
Next Post
ડિવોર્સી

ડિવોર્સી

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
એક પથ્થરની – સિદ્દીકભરૂચી.

ઘૂઘવતાં પૂર

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

તારી આંખો ને જોઉં તો યાદ પણ બની જાય.

હું એક નારી છું…!!

દીવો કરવાનું કોઈ વૈજ્ઞાનિક મહત્વ ખરું?

દીવો કરવાનું કોઈ વૈજ્ઞાનિક મહત્વ ખરું?

આંગણું 

આંગણું 

ખુલ્લો દરવાજો

સાવ ખુદથી અજાણ રાખ્યા તા

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

સત્યની અનુભૂતિ એ જ સાક્ષાત્કાર

માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

માર્કેટિંગ એક્સપર્ટ તરફથી માર્કેટિંગની મુખ્ય વ્યાખ્યાઓ

11 બાળકોનાં ઉખાણાં

11 બાળકોનાં ઉખાણાં

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!