ઝાંઝવાના જળ પીધાંની વાત છે
ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા