વાવ એટલે પગથિયાં વાળો કૂવો. આપડા દેશમાં ઘણી એવી વાવ છે. જેનો ઉપયોગ પાણી નો સંગ્રહ કરવા થતો હતો અને આજે પણ થાય છે.પરંતુ સમય જતાં એ વાવ જાળવણી ના અભાવ ના કારણે કાં તો પુરાઈ જય છે કે જર્જરિત થઈ તૂટી જાય છે.
સુરત શહેર માં પણ ઘણી વાવ છે જેના વિશ લોકોને ખબર જ નથી તોહૂ આજે સુરત ની એક જીવંત વાવ વિશે જણાવું છું .
આ વાવ સુરત શહેર ના મોટી વેડ વિસ્તારમાં માં આવેલ મોટી બહુચરાજી ના મંદિર માં આવેલી છે.આ વાવ નો કોઈ ઇતિહાસ માલુમ પડતો નથી પરંતુ આ મંદિર ના પૂજારી એવા ભગવતીબેન ના જણાવ્યા અનુસાર આ વાવ સુરત ના બહારથી આવેલ વણજારાઓ એ બંધાવી છે એ સમય માં મોટા પ્રમાણમાં વણજરાઓ સુરત માં આવતા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડાવો નાખી રહેતા હતા. તેઓ તેમની પાણી ની જરૂરીયાત માટે વાવનું બાંધકામ કરતા હતા.ત્યાં રહેતા એક વણજારાનાં સ્વપ્નમાં માતાજી આવતા એણે મોટી વેડમાં આ વાવ નું નિર્માણ કર્યું. ત્યારબાદ વાવ પર બહુચરા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એનો અર્થ એમ કે સૌ પ્રથમ ત્યાં વાવ બાંધવામાં આવી અને પછી મંદિર.આજે આ વાવ માં ૪ ભગવાન બિરાજમાન છે.
આ વાવ માં આવેલ પાણી હજીય પીવાલાયક છે. પાણીમાં કાચબા જેવા જલીય જીવ પણ જોવા મળે છે.
લેખિકા Mansi Desai


















































