બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આજે પોતાનો 60મો રાઈઝિંગ ડે રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી ભવ્ય રીતે ઉજવ્યો. માનનીય કેન્દ્રિય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહએ પરંપરાગત પરેડનું નિરીક્ષણ કર્યું અને દેશના પ્રથમ સુરક્ષા પ્રહરીઓની વીરતા, શિસ્ત અને અસાધારણ સમર્પણને સન્માનિત કર્યું. ત્યારબાદ ભુજ ખાતે યોજાયેલા વિશેષ ગાલા ડિનર દરમિયાન બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી દલજીત સિંહ ચૌધરીએ લિમિટેડ એડિશન કોફી-ટેબલ બુક “ઓપરેશન સિંદૂર – અ સાગા ઓફ વિક્ટરી” નું વિમોચન કર્યું. આ પુસ્તક ભારત–પાકિસ્તાન સરહદ પર હાથ ધરાયેલી સૌથી નિર્ણાયક અને સંકલિત ઓપરેશનલ કામગીરીનો વ્યાપક દસ્તાવેજ છે. કાશ્મીરથી લઈને ગુજરાત સુધીની પુરી સરહદ આવરી લેતું આ સંકલન બીએસએફની શાનદાર સિદ્ધિઓનું વર્ણન કરે છે—હજારો હાનિકારક ડ્રોન અને મિસાઇલોને નિષ્ફળ બનાવવાથી લઈને પાકિસ્તાન તથા પાકિસ્તાને કબજે રાખેલા કાશ્મીર (PoK) વિસ્તારમાં દુશ્મનના અનેક પોસ્ટોને નષ્ટ કરવાની કામગીરી સુધી. આ પુસ્તક બીએસએફ જવાનોની વીરતા, વ્યૂહાત્મક કુશળતા અને અડગ પ્રતિબદ્ધતાને સમર્પિત એક જીવંત સ્મારકરૂપે ઉભું રહ્યું છે.

આ મહત્ત્વપૂર્ણ પ્રકાશનનું સર્જન ડીજી શ્રી દલજીત સિંહ ચૌધરીના દુરંદેશી નેતૃત્વ હેઠળ પૂર્ણ થયું, જ્યારે વ્યૂહાત્મક માર્ગદર્શન એડિજીએ શ્રી સતીશ ખાંડારે દ્વારા આપવામાં આવ્યું. રાજસ્થાન ફ્રન્ટિયર ના આઈજી શ્રી એમ. એલ. ગર્ગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી—ઓપરેશનલ દસ્તાવેજો સુધી ઍક્સેસ સુલભ કરાવવાથી લઈને મેદાન મુલાકાતો અને વાસ્તવિક પરિસ્થિતિઓના firsthand inputs ઉપલબ્ધ કરાવીને, જેનાથી પુસ્તકનુ ઊંડાણ વધ્યું. જામ્મુ ફ્રન્ટિયર ના આઈજી શ્રી શશાંક કુમારે ઉત્તર તરફની સરહદ પરથી મળતી ઓપરેશનલ બ્રીફિંગ્સને સુગમ બનાવીને ઉચ્ચ તીવ્રતાવાળા સંઘર્ષોના દસ્તાવેજીકરણમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો.

દસ્તાવેજીકરણ પ્રક્રિયા દરમિયાન એસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પપ્પુ જાટ (ફ્રન્ટિયર હેડક્વાર્ટર, BSF રાજસ્થાન) અને સબ ઇન્સ્પેક્ટર સોનિયા ચતુર્વેદી (BSF)ના યોગદાનની પણ વિશેષ નોંધ લેવામાં આવી.
પુસ્તક વિકાસ ટીમે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એકત્રિત કર્યા. લેખક રવિ ભટ્ટે મેદાની અહેવાલો, ગુપ્ત બ્રીફિંગ્સ અને ઓપરેશનલ કેસ સ્ટડીને સચોટ, અસરકારક અને ભાવનાત્મક રીતે શક્તિશાળી વર્ણનમાં ફેરવીને અનન્ય યોગદાન આપ્યું. ગ્રાફિક કમી્યુનિકેશન ડિઝાઈનર શ્રદ્ધા મોજીદ્રાએ આખા પુસ્તકની દૃશ્ય રચનાને વ્યાવસાયિકતા, ગૌરવ અને ઊંડા દૃશ્યઅનુભવ સાથે આકાર આપ્યો. આ પુસ્તકના ડિજિટલ મીડિયા, ફ્યુચરિસ્ટિક પબ્લિશિંગ ટેક્નોલોજી અને QR ઇન્ટિગ્રેશન માટે વિઝન રાવલે સમગ્ર પ્રોડક્શન પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કર્યું. આ સમગ્ર રાષ્ટ્રીય પ્રોજેક્ટના કોર્ડીનેટર તરીકે ડૉ. તેજસ મોજીદ્રાએ પ્રોજેક્ટ સ્ટ્રેટેજિસ્ટ અને રિસર્ચ લીડ તરીકેનું કાર્યભાર સંભાળ્યું. તેમણે બહુવિધ BSF ફ્રન્ટિયર્સ સાથે સંકલન કર્યું, સંવેદનશીલ ઓપરેશનલ માહિતી એકત્રિત કરી, મેદાન સ્તરે તેની તપાસ-ખાતરી કરી અને ઓપરેશનલ વાસ્તવિકતા ચકાસી. તેમણે આ પ્રોજેક્ટમાં લેખક, ડિઝાઇનર, ડિજિટલ નિષ્ણાતો અને BSF અધિકારીઓ વચ્ચે કમ્યુનિકેશનનો સેતુ બનીને આ રાષ્ટ્રીય દસ્તાવેજીકરણ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ભાગ ભજવ્યો.

“ઓપરેશન સિંદૂર – અ સાગા ઑફ વિક્ટરી” આજે માત્ર એક પુસ્તક નથી, પરંતુ બીએસએફની અદ્વિતીય વીરતા, ભારતના સરહદી જવાનોને સમર્પિત શ્રદ્ધાંજલિ અને ભાવિ પેઢીઓ માટેની એક ઐતિહાસિક સ્મૃતિરૂપે ઉભું છે.
આ ઉપરાંત સમારોહ દરમિયાન શ્રી અમિતભાઈ શાહએ આવનાર વર્ષ દરમિયાન બીએસએફના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો અને ઉજવણીઓ યોજાશે તેવી માહિતી આપી.


















































