ત્યાં જ તેને એક અનોખો પત્ર આવ્યો. તેને તે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, “નેહા! મને ખબર છે તું અત્યારનાં પરસેવો પાડીને ઘણી મહેનત કરતી હોઈશ. પર્વત જેવી મુશ્કેલીઓ તારી સામે ઉભી હશે પણ તારે હારવાનું નથી. તને તો યાદ જ હશે તે કરોળિયો પણ કેટલી વાર હારે છે પણ તેટલી જ વાર પાછો ચડે છે. કીડી પણ કેટલી નાની છે પણ તેને પોતાની ભૂખને પૂરી કરવા માટે મહેનત તો કરવી જ પડે છે. તું કદી હારીશ નહિ એવી હું આશા રાખું છું. જ્યારે જીવનમાં દુઃખના વાદળાં આવે ત્યારે આત્મવિશ્વાસની છત્રી ખોલી નાખજે અને આગળ વધજે. જયારે કોઈ તારી સાથે નહિ હોય ત્યારે પણ તારો પડછાયો તો તારી સાથે જ હશે. તે યાદ રાખજે. સમાજમાં બધા પોપટ જેવા છે. મીઠું બોલીને કામ કઢાવી લે. પણ તું કદી મૂર્ખ ન બનતી. ખબર છે કે મારા અક્ષર તેટલા સારા નથી પણ તું મારી ભાવનાઓ સમજી શકીશ. તેવી મને આશા છે.
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































