• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

આવો આજે દેવઊઠી અગિયારસ નિમિત્તે એકાદશીનું વિજ્ઞાન સમજીએ

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, તહેવાર વિશેષ, દિવાળી, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, સમાચાર, સાહિત્ય અને કલા સમાચાર
Reading Time: 1 min read
122 1
A A
0
139
SHARES
513
VIEWS
Share on WhatsappShare on Facebook

આવો આજે દેવઊઠી અગિયારસ નિમિત્તે એકાદશીનું વિજ્ઞાન સમજીએ
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

સનાતન હિન્દુધર્મમાં એકાદશીનું અનેરૂ મહત્વ છે. ઊંડી વૈજ્ઞાનિક સમજણ ધરાવતા હિન્દુધર્મમાં અગિયારસને જો આટલું વિશેષ મહત્વ અપાયું હોય તો એક વાત તો નક્કી જ છે કે તેની વૈજ્ઞાનિક અગત્યતા અવશ્ય હોવી જોઈએ કેમકે હિન્દુધર્મના કોઈપણ વિધિ-વિધાન, ક્રિયાઓ કે તહેવારો વૈજ્ઞાનિક સમજણ વગરના છે જ નહીં. શાસ્ત્રો અનુસાર અતિ ફળદાયી અને પુણ્યદાયી તિથી જો કોઈ હોય તો તે એકાદશી છે. દરેક વ્રતમાં સર્વશ્રેષ્ઠ વ્રત એકાદશીને ગણવામાં આવ્યું છે. લાખો ગાયોના દાન કરતાં પણ વધુ પુણ્યશાળી એકાદશી મનાય છે. યજ્ઞ-દાન-જપ-તપ કરતા અનેકગણી વધુ ફળદાયી એકાદશીને માનવામાં આવી છે. એકાદશીને પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વના સંદર્ભમાં સમજવી જોઈએ. શાસ્ત્રોમાં એકાદશીનું મહત્વ પૌરાણિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સરળતાથી મળી રહે છે પરંતુ આજનો આધુનિક યુગ વૈજ્ઞાનિક મહત્વના સંદર્ભમાં જ દરેક બાબતને સમજવા ઈચ્છે છે. જો તેવોને તેનું વૈજ્ઞાનિક મહત્વ ન સમજાય તો આધુનિક યુવાપેઢી અતિ મહત્વની ધાર્મિક ક્રિયાઓમાંથી રસ અને વિશ્વાસ ગુમાવી દે છે. એ દૃષ્ટિએ એકાદશીના મહાત્મ્યને આધુનિક યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવું અનિવાર્ય બને છે.

વર્ષમાં કુલ ૨૬ એકાદશી આવે છે. વર્ષના મહિના બાર અને દર મહિને બે એકાદશી એટલે વાર્ષિક કુલ ચોવીસ એકાદશીઓ ઉપરાંત અધિક માસની બે વધારાની એકાદશી આ રીતે કુલ છવ્વીસ એકાદશી તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. જેમ કે

૧) કારતકસુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે – પ્રબોધ એટલે જાગૃતિ. મોહરૂપી સુષુપ્તિમાંથી જે અમૃતમયી જાગૃતિ તરફ લઇ જાય તેને પ્રબોધિની એકાદશી કહેવાય.
૨) કારતકવદ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તે પુણ્યને ઉત્પન્ન કરતી એકાદશી છે.
૩) માગશરસુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહે છે જે નામ પ્રમાણે મોક્ષદાયક છે.
૪) માગશરવદ અગિયારસને સફલા એકાદશી કહે છે કેમ કે તે દરેક પ્રકારની સફળતા બક્ષે છે.
૫) પોષસુદ અગિયારસને પુત્રદા એકાદશી કહે છે કેમ કે તે પુત્રપ્રાપ્તિ અને સંતાનસુખ આપનાર છે.
૬) પોષવદ અગિયારસને ષટતિલા એકાદશી કહે છે. “ષટ” સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે છ અને તિલા જે તલની વાત કરે છે. આમ આ એકાદશી તલના છ પ્રકારના ઉપયોગ અને તેના મહત્વને દર્શાવે છે. જે ઉતરાયણના તહેવારની આસપાસ આવે છે જયારે તલના ઉપયોગનું અનેરું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
૭) મહાસુદ અગિયારસને જયા એકાદશી કહે છે જે નામ પ્રમાણે વ્યક્તિનો તમામ ક્ષેત્રે જય કરાવે છે.
૮) મહાવદ અગિયારસને વિજયા એકાદશી કહે છે કેમ કે તે ઈચ્છિત ક્ષેત્રે વિજયને આપનાર છે.
૯) ફાગણસુદ અગિયારસને આમલકી એકાદશી કહે છે કેમ કે રાજા ચિત્રરથે આમળાના ઝાડ નીચે બેસી પૂજન કરેલું અને આમળાના ઝાડની પણ પૂજા કરેલી જેને સર્વસિદ્ધિ પ્રાપ્ત થયેલી.
૧૦) ફાગણવદ અગિયારસને પાપમોચિની એકાદશી કહે નામ પરથી જ ખબર પડે છે કે તે દરેક પ્રકારના પાપનું મોચન કરે છે.
૧૧) ચૈત્રસુદ અગિયારસને કામદા એકાદશી કહે છે જે મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે. તેમ જ જીવને કામપાશમાંથી મુક્ત કરવાની તાકાત ધરાવે છે.
૧૨) ચૈત્રવદ અગિયારસને વરુથિની એકાદશી કહે છે જે સૌભાગ્ય પ્રદાન કરનાર છે.
૧૩) વૈશાખસુદ અગિયારસને મોહિની એકાદશી કહે છે જે મોહજંજાળમાંથી છૂટકારો આપાવે છે.
૧૪) વૈશાખવદ અગિયારસને અપરા એકાદશી કહે છે જે અપાર ખુશી આપનાર છે.
૧૫) જેઠસુદ અગિયારસને નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ કહે છે કેમ કે તે દિવસે ભીમે ઉપવાસ કરેલો અને તે પણ નિર્જલા.
૧૬) જેઠવદ અગિયારસને યોગિની એકાદશી કહે છે જે યોગ અને યોગી જેવી શક્તિ પ્રદાન કરે છે તેમ જ પરમાત્માના વિયોગને દૂર કરી તેમની સાથે યોગ કરાવે છે.
૧૭) અષાઢસુદ અગિયારસને દેવશયની એકાદશી કહે છે જે સિદ્ધિદાત્રી છે. જે દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર શયન માટે પ્રયાણ કરે છે જેથી તેને દેવશયની એકાદશી કહે છે.
૧૮) અષાઢવદ અગિયારસને કામિકા એકાદશી કહે છે જે દરેક કામના પૂર્ણ કરનાર છે.
૧૯) શ્રાવણસુદ અગિયારસને પુત્રદા એકાદશી જે પુત્રસુખ આપનાર છે.
૨૦) શ્રાવણવદ અગિયારસ એટલે અજા એકાદશી જે અનંત પાપોનો નાશ કરનાર છે. આ એકાદશીની અન્નદા એકાદશી પણ કહે છે કેમ કે તેના વ્રતથી અન્નકોઠાર સદા ભરેલા રહે છે.
૨૧) ભાદરવાસુદ અગિયારસને વામન એકાદશી કહે છે કેમ કે ભગવાનના વામન અવતાર સાથે તે સંબંધ ધરાવે છે.
૨૨) ભાદરવાવદ અગિયારસને ઈન્દિરા એકાદશી કહે છે જે પિતૃપક્ષમાં આવે છે અને પિતૃઓની મુક્તિ માટે ઉત્તમ છે તેમ જ પિતૃકષ્ટમાંથી મનુષ્યને મુક્ત કરે છે.
૨૩) આસોસુદ અગિયારસને પાશાકુંશા એકાદશી તમામ પાપોનો નાશ કરી યમપાશમાથી મુક્તિ અપાવે છે.
૨૪) આસોવદ અગિયારસને રમા એકાદશી કહે છે. રમા એકાદશી ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી છે કેમ કે માતા લક્ષ્મીનું એક નામ રમા છે. આ દિવસે વ્રત કરનારે વિષ્ણુભગવાનનું પૂજન તુલસીદલથી કરવાનું સૂચવાયું છે.
૨૫) અધિકસુદ અગિયારસને કમલા કે પદ્મિની એકાદશી કહે છે જે પદ્મ કે કમળ જેવી ગુણવત્તા (અલિપ્તતા અને સ્થિતપ્રજ્ઞતા) બક્ષે છે કલિયુગરૂપી કીચડમાં રહીને પણ મનુષ્ય કમળની જેમ ખીલી શકે છે, સારાઈ અને સુંગંધ ફેલાવી શકે છે એવો બોધપાઠ આપે છે.
૨૬) અધિકવદ અગિયારસને પરમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, નામ પ્રમાણે જ પરમ એટલે દિવ્ય, આમ તે દિવ્યતા પ્રદાન કરે છે.

કોઇ વ્યક્તિના ગુણ જાણવા પ્રથમ તેને નામથી જાણવી પડે દા.ત. શિલ્પા શાહ કેવી છે, તેનામાં શું ક્વોલીટી છે, તેની શું ખાસિયત છે એ તો ત્યારે જ સમજાય જ્યારે પહેલા શિલ્પા કોણ છે તે નામથી પરિચિત થઈએ. આમ ગુણોથી પરિચિત થતા પહેલા નામથી પરિચિત થવું અનિવાર્ય છે. પછી ધીરે-ધીરે પરિચય વધતા ગુણ અંગે માહિતગાર થઇ શકાય, એ જ રીતે દરેક એકાદશીના ગુણ જાણવા પ્રથમ તેને નામથી ઓળખવી પડે. ધીરે-ધીરે સમજણ ઊભી કરી નામ અનુસાર ગુણપ્રાપ્તિ શક્ય બને. દરેક અગિયારસ તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે જે ગુણપ્રાપ્તિ મનુષ્યજીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

એકાદશી નામ પરથી જ સમજાય છે એક અને દસ એમ અગિયારની વાત છે, મનુષ્યની દસ ઇન્દ્રિયો અને એક મન એમ કુલ 11 ને સંયમમાં રાખવા એકાદશીના વ્રતનું મહત્વ છે. એકાદશીના દિવસે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન દ્વારા યથાર્થ સંયમ થાય ત્યારે એકાદશી સફળ થઈ કહેવાય. વળી દર પંદર દિવસે જો આ અંગેનો અભ્યાસ નિયમિત થતો રહે (અગિયાર બાબતોને સંયમમાં રાખવાનો અભ્યાસ નિયમિત બને) તો તે મનમાં ઠસી જાય અને દુઃખમુક્તિ સરળ બને. ઈન્દ્રિયોને મનના વિષયોમાંથી વાળી, પોતાનું મનગમતું છોડી પ્રભુને ગમતું કરતા રહેવું એ જ એકાદશીનું મહાત્મ્ય. એકાદશી જીવનપર્યંત કરવાની હોય કેમ કે મનુષ્યજીવનમાં સંયમની જરૂરિયાત સતત અવિરત રહેતી હોય છે.

અગિયારસમાં ઉપવાસનું ખૂબ મહત્વ છે જે ત્રણ રીતે થઈ શકે ૧) નિર્જળા – જેમાં પાણી પણ પીવાની છૂટ નથી ૨) નકોડી કે જેમાં માત્ર પાણી પીવાની છૂટ છે પરંતુ ભોજન કે ફરાળ લઇ શકાતું નથી ૩) ફરાળી એકાદશી – જેમાં માત્ર દૂધ અને ફળફળાદી લેવાની છૂટ હોય છે. શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું એ માંસ ખાવા બરાબર છે. કમ સે કમ અગિયારસના દિવસે અનાજ ન ખાવું અને ચોખાનો સદંતર ત્યાગ કરવાનું ભાગવત પુરાણ જણાવે છે. તે દિવસે ચોખાનો એક-એક દાણો એકએક ઈયળ ખાવા બરાબર છે એવું શાસ્ત્રોનું વિધાન છે. ઉપવાસ વાસ્તવમાં અતિ વૈજ્ઞાનિક ક્રિયા છે જે પ્રાચીન ઋષિમુનીયોએ ધર્મના નામે સૂચવી છે. વિજ્ઞાન સ્વીકારે છે કે જયારે શરીરમાં ખોરાક જતો નથી ત્યારે શરીરમાં રહેલા પાચકરસો ભોજન ન મળતા અન્ય વિષદ્રવ્યો અને ન પચેલા કચરાને સાફ કરે છે અને આપણે જાણીએ છીએ કે ના પચેલા ખોરાકમાંથી પેદા થતા વિષદ્રવ્યો (toxin) જ તમામ રોગોનુ મૂળ છે. આમ તંદુરસ્ત જીવવા તેમ જ તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ કરવા જરૂરી છે. અમેરિકાની ‘Institute of aging’ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરતની ગરજ સારે છે.

ઉપવાસથી રુધિરાભિસરણ સુધરે છે,શરીરમાં ઉર્જાની બચત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. હિંદુધર્મમાં અગિયારસ, પૂનમ, અમાસ વગેરે દિવસે ઉપવાસ કે એકટાણું કરવાની એટલે કે ઓછું ખાવાની સલાહ અપાય છે. આની પાછળ એક બીજું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આ દિવસોમાં પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રની સ્થિતિ એવી બને છે કે જેની મહતમ અસર પાણી પર થાય છે અને મનુષ્ય શરીર ૭૦% પાણીથી બનેલું છે જેથી તેના પર સવિશેષ અસર જોવા મળે છે અને ઉપવાસ ઉપયોગી સાબિત થાય છે. ચોક્કસ તિથીઓમાં મગજ સૂર્ય ચંદ્રની વિશેષ સ્થિતિને કારણે લગભગ મદહોશ જેવું બને છે જેથી આવા દિવસોમાં કરેલું ભોજન રોગને નિમંત્રણ આપે છે. શિકાગોની ઈલીનોઈ યુની.ના વૈજ્ઞાનિક ડો.શલ્ફ મોરીસને તેમની બુક “Impact of moon on human being” માં લખ્યું છે કે પૂર્ણ ચંદ્ર એટલે પૂનમ મનુષ્યની શારીરિક અને માનસિક વેદના વધારવાનું કામ કરે છે. પૂનમ વ્યક્તિના BP, heart beats વધારે છે. વળી metabolism ફાસ્ટ કરે છે. મગજના રોગો વધારે છે. સ્વીડનના વૈજ્ઞાનિક સેન્ટી અરહેનીસે નોધ્યું છે કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર શૂન્ય ડીગ્રી પર હોય છે ત્યારે ફીટ આવવી, પાગલપન, મનના રોગો અને ચામડીના રોગો વધે છે અને જયારે સૂર્ય ચંદ્ર ૧૮૦ અંશ પર હોય ત્યારે પણ આ જ અસર થાય છે. આઠમથી પૂનમ કે અમાસ સુધીની પરિસ્થિતિ ચંદ્રની ખરાબ સ્થિતિ દર્શાવે છે જેની માનવીના તન અને મન પર વિશેષ અસર થાય છે. જે રોકવા માટે ઉપવાસનુ સૂચન છે.

એકાદશીના દિવસે જાગરણનો પણ મહિમા છે. જાગરણ કરવાની ધર્મની સલાહ પણ ખૂબ વૈજ્ઞાનિક છે. જેમ રાત્રે ખાંસી આવે તો આપણે સૂતેલા બેઠા થઈ જઈએ તો રાહત થાય છે કારણ કે છાતીમાં કફ મિશ્રિત વાયુ ગુરૂત્વાકર્ષણના કારણે નીચે ધકેલાય છે તેવી જ રીતે એકાદ રાત્રિનું જાગરણ આ જ કામ કરે છે. વળી કોઈ પણ તપ કે વ્રતમાં દાન-યજ્ઞ-પરોપકાર અનિવાર્ય છે કેમકે તે દ્વારા જ સમગ્ર સૃષ્ટિ સામ્યાવસ્થા પ્રાપ્ત કરે છે. જન્મ સાથે જ આપણે ત્રણ બાબતો સાથે સંકળાઈ જઈએ છીએ. શરીર, સૃષ્ટિ અને સંબંધો. આ ત્રણેનો આપણે રોજ ઉપભોગ કરીએ છીએ, તેમને ઘસારો પહોંચાડીએ છીએ, ત્રણેનું શોષણ કરીએ છીએ અને બદલામાં કશું જ આપતા નથી, માત્ર ખતમ જ કરીએ છીએ. જેનો ઈશ્વરના કાયદા અન્વયે આપણને અધિકાર નથી. ઈશ્વરના આદેશનો જયારે અનાદર થાય ત્યારે તેના ફળ ભોગવવા પડે છે અને ભોગવટા રૂપે જ આપણે રોગો, અશક્ત શરીર, સંબંધીઓ સાથે કડવાશ, પ્રકૃતિનો પ્રકોપ સહન કરીએ છીએ. આ ત્રણે તરફનું આપણું દેવું દિનપ્રતિદિન વધતું જ જાય છે. ધર્મમાં યજ્ઞ, દાન અને તપ જેવી વ્યવસ્થા આ દેવું ચૂકવવા માટેની જ વ્યવસ્થા છે. તપથી શરીરનું દેવું ચૂકવાય છે, દાનથી સમાજ અને સંબંધોનું જયારે યજ્ઞ અને પરોપકારથી સૃષ્ટીનું દેવું ચૂકવાય છે. આમ એકાદશીના દિવસે અપાતી ઉપવાસ, જાગરણ, તપ, દાન, યજ્ઞ, પરોપકારની સલાહ ખૂબ વૈજ્ઞાનિક છે જેમાં સર્વનું કલ્યાણ સમાયેલું છે.

એકાદશીના ઉદભવની કથા બ્રહ્મપુરાણ અને પદ્મપુરાણ અનુસાર આ પ્રમાણે છે. ચંદ્રાવતી નગરીના અસુર રાજાનો દીકરો મૂર જયારે રાજા બને છે ત્યારે મૃત્યુ પર વિજય મેળવવાની ઈચ્છાથી તપ શરૂ કરે છે અને તેના તપથી ખુશ થઇ બ્રહ્માજી તેને ઈચ્છિત વરદાન આપે છે કે સ્ત્રી અને પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલ કોઈ દ્વારા તે મરી શકે નહીં. અસુર રાજા મૂરની સમજ એવી હતી કે અસ્તિત્વનું કોઇપણ તત્વ સ્ત્રી અને પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલું જ હોય અને આવા વરદાન સાથે એ નક્કી છે કે હવે મને કોઈ મારી શકે નહિ. બ્રહ્મા પાસે આવા આશીર્વાદ મેળવ્યા બાદ 5000 વર્ષ સુધી રાજા મૂર દેવો સાથે લડ્યો અને અંતે થાકી પ્રભુ રણ છોડી હિમાલયની ગુફામાં ગયા. જ્યાં અસુરરાજા મૂર તેમની પાછળ પાછળ ગયો પ્રભુ ત્યાં સૂઈ ગયા, જે સમયે મૂર ભગવાનને મારવા ગયો ત્યારે પ્રભુમાંથી એક દિવ્ય સ્વરૂપ ધરાવતી કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યા દ્વારા અસુરરાજા મૂરનો નાશ થયો. જે કન્યા એકાદશીના નામે ઓળખાઈ. જેને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું કે તારું નામ લેનાર અને વ્રત કરનારનું કલ્યાણ થશે અને તે વૈકુંઠ પામશે.

વિશ્રાંતિ અને પ્રવૃત્તિની ઘટમાળ જીવનમાં નિરંતર ચાલ્યા જ કરે છે. મોહનિંદ્રાની સુષુપ્તિમાંથી ચેતનાભરી જાગૃતિ તરફ જવાની યાત્રા એટલે અગિયારસ. જપ-તપ-વ્રત-નિયમ-સંયમ-સત્સંગ-યજ્ઞ-ભક્તિ, સત્કર્મ, પરોપકાર, પવિત્રતા જેવા અગિયાર પ્રભુના ગમતા કાર્યો સતત કરતાં રહેવાનો અભ્યાસ એટલે અગિયારસ. ઈશ્વર જોવે કે ના જોવે (કેમકે વર્ષમાં ચાર મહિના પ્રભુ શયન કરે છે જેને ચતુર્માસ કહે છે દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી) તેમના ગમતા કાર્યો અવિરત થવા જોઈએ. આ દ્વારા મનુષ્યોને બોધ મળે છે કે વ્યાવસાયિક જીવનમાં પણ આપણા માલિક-ઉપરીઓફિસર-બોસ ઊંઘી ગયા હોય, ફરજના સ્થળ પર હાજર હોય કે ન હોય આપણે આપણું કર્તવ્ય અને ફરજો ભૂલવા જોઈએ નહીં.

તો આવો આજના દેવઊઠી અગિયારસ જેવા પવિત્ર દિને એકાદશીના ઊંડા વિજ્ઞાનને વ્યાવહારિક દ્રષ્ટિએ સમજી, આચરણમાં મૂકી જીવનને સ્વસ્થ અને ધન્ય કરીએ.

~ શિલ્પા શાહ,
ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: dev diwaliwhy dev diwali celibrated?
SendShare56Tweet35Scan
ADVERTISEMENT
Previous Post

ગુજરાતનું ગૌરવ ઉષા કપૂર મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન  2021 અંતર્ગત મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીત્યો

Next Post

શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
ક્યાં ક્યાં ન શોધ્યા ?

શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ

જાણીતા પક્ષીવિદ્ સાલીમ  અલી (1896-1987)

જાણીતા પક્ષીવિદ્ સાલીમ અલી (1896-1987)

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.