પ્રાગ ઈતિહાસ :
આદ્ય ઈતિહાસ :
રોજડીમાં થયેલ પુરાતત્વીય ઉત્ખનનો દ્વારા જાણવા મળ્યું છે કે આ સ્થળે પહેલા અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનાર લોકો વસ્યા હતા. પછી ઈસ.પૂર્વે ૧૯૦૦ ની આસપાસ ત્યાં ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોકોનું આગમન થયું. ગોંડલ તાલુકાનુ કરમાળ, ધોરાજી,પીપળીયા, માંડણ કુંડલા, કોટડા-સાંગાણી, આટકોટ, આંબરડી, પારેવાળા, પીઠડીયા વગેરે ગામોમાંથી આદ્ય – ઐતિહાસિક હડપ્પીય સંસ્કૃતિના અવશેષ પ્રાપ્ત થયા છે.
મૂળ ઈતિહાસ :
જામરાવળજી પછી જામનગરની ગાદી પર વિભાજી આવ્યા. ત્યારબાદ જામસતાજીના સમયમાં ભુચર મોરીનું મહાન યુદ્ધ ખેલાયું અને તેમાં સતાજીના પાટવી કુંવર અજોજી વીરગતિ પામ્યા. તેમના પુત્ર લાખાજીને જામનગરની અને વિભાજી ને કાલાવડની ગાદી મળી. વિભાજી પરાક્રમી હતા. કાલાવડ નાનું પરગણું હતું. ગામોની વસતિ પણ ઓછી. એટલે તેઓ કચવાતા મને ત્યાં રહેતા. પરંતુ પછી પોતાના મોશાળ સરધાર રહ્યા. સરધારના વાઘેલા રાજપૂતોના પુત્રી સાથે તેઓ પરણ્યા હતા. સરધાર ના વાઘેલાઓ શુરવીર અને પરાક્રમી હતા, તેઓ ગુજરાતના છેલ્લા સમ્રાટ કરણદેવ વાઘેલા ના વારસદારો હતા અને સરધાર એ સમયે મોટું રજવાડું લેખાતું અને તેની સોરઠમાં ભારે આણ વર્તાતી આથી જામરાવળે સૌરાષ્ટ્ર માં પ્રવેશવા તેઓની સાથે ખુબ સારા સંબંધો જાળવ્યા હતા આમ નવાનગર અને સરધાર વચ્યે ઘણી પેઢીઓ થી લગ્ન સંબંધો હતા. આમ મામા એ વિભાજીને જાગીર આપી હતી પણ તેમની નજર પુરા સરધાર પર હતી વાઘેલાઓ ને યુદ્ધમાં સામી છાતીએ જીતવા અશક્ય હતા આથી સરધાર કબજે કરવા તેમણે સરધારના સામંતો ને લાલચ આપી એકપછીએક ને પોતાના પક્ષ માં લીધા અને લગ જાણી વાઘેલાઓને મીજબાનીમાં બોલાવીને જમવામાં ઝેર નાખી દગાથી તેમને માર્યા અને સરધાર પર કબજો કર્યો તેઓ ઉલ્લેખ કર્નલ વોકરના રિપોર્ટમાં છે.
સરધાર પાસે આજી નદીના પશ્ચિમ કાંઠા પર રાજુ નામના એક સંધીનો નેસ હતો. વિક્રમ સંવત ૧૩૧૫ના સમયમાં ત્યાં જગડુશાએ અનાજના દાણાનો કોઠાર રાખ્યો હતો. વિક્રમ સંવત ૧૬૬૭માં રાજુના નામ પરથી વિભાજીએ રાજકોટ ગામ વસાવ્યું. તે રાજુ અને ત્યારબાદ તેના વંશજોના કબજામાં વક્રિમ સંવત ૧૭૦૨ સુધી હતું. ઠાકોર વિભાજીના દેહાવસાન પછી તેમના કુંવર મહેરામણજી(૧૬૩૫ થી ૧૬૫૬) ગાદી પર આવ્યા. પિતાએ મેળવેલા રાજ્યને સારી રીતે સાચવી એ સમયે મોગલ સલ્તનતનો સૂબો આઝીમખાન કાિઠયાવાડ પર ત્રાટકયો અને થાન પાસેના સુરજદેવળને જમીનદોસ્ત કરી કાઠીઓને હરાવ્યા. ત્યારે મહેરામણજીએ આઝીમખાનને થોડી મદદ કરી હતી. આઝીમ પણ સરધારના વાતાવરણથી ખુશ થયો. સરધારનું નામ તેણે આઝીમાબાદ પાડયું.
ત્યારબાદ ઠાકોર શ્રી સાહેબજી(૧૬૫૬ થી ૧૬૭૫) અને ઠાકોરશ્રી બામણિયાજી(૧૬૭૫ થી ૧૬૯૪)નું શાસન રહ્યું. ત્યારે પણ મિયાણાઓની સાથેનું ઘર્ષણ થતું રહ્યું. વક્રિમસંવત ૧૭૫૦ થી ઠાકોર મહેરામણજી(૧૬૯૪ થી ૧૭૨૦) બીજાએ રાજકોટની ગાદી સંભાળી. મોગલોની નબળી સ્થિતિ અને મરાઠાઓ સાથેના તેમના યુદ્ધનો લાભ લઇ તેમણે રાજકોટ આસપાસનો જૂનાગઢ તાબાનો ભાગ જીતી લીધો. પરંતુ તેની જાણ દિલ્હી સલ્તનતને થઇ અને બાદશાહ મહમદે રાજકોટ, સરધાર સહિત આખો સોરઠ પ્રાંત સોરઠના નાયબ ફોજદાર માસૂમખાનને જાગીરમાં આપ્યો. માસૂમખાને મહેરામણજી ઉપર હુમલો કર્યો અને વક્રિમસંવત ૧૭૭૬માં રાજકોટ જીતી લીધું. વક્રિમસંવત ૧૭૭૮માં રાજકોટનો કિલ્લો બંધાવી ૧૭૭૬ થી ૧૭૮૮ સુધી રાજકોટને માસૂમાબાદ નામ આપીને તેણે રાજ્ય કર્યું. આમ ઈ.સ. ૧૭૨૦ થી ૧૭૩૨ સુધી રાજકોટ નું નામ માસૂમાબાદ અને મુસ્લિમ રાજ રહ્યું.
૭) કુંવર ફૂલજી મેહરામણજી ઠાકોર સાહેબ ઓફ લોધિકા-જુનિયર (ખોખરદળ)
તે તમામે માસૂમખાન સામે સતત બાર વર્ષ ઝીક ઝીલી. ૧૭૮૮માં કુમાર રણમલજીએ પોતાના ભાઇઓ સાથે અચાનક જ રાજકોટ પર છાપો માર્યો. ચપળતા, શાૈર્ય અને કુશળતાથી માસૂમખાનને હરાવ્યો, માર્યો અને પિતાની હત્યાનું વેર લઇને રાજ્ય પણ પાછું મેળવ્યું અને રણમલજી વક્રિમસંવત ૧૭૮૮માં ગાદી પર આવ્યા. સરધારનો થાણેદાર બાકરખાન પણ એ સમયે રણમલજીના હાથે મરાયો.
ત્યારબાદ ઠાકોર લાખાજી-૧ (૧૭૪૬ થી ૧૭૪) પછી મેહરમણજી-૩(૧૭૯૪ થી ૧૭૯૬) તેમના મૃત્યુ બાદ આધુનિક યુગ :
રાજકોટના રાજવી રણમલજી-રજા નો શાસનકાળ ૧૭૯૬ – ૧૮૨૫ રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન જ અંગ્રેજ સરકારે સૌરાષ્ટ્રમાં રાજકોટ કોઠી અને લશ્કરી છાવણી માટે રાજકોટ રાજ્ય પાસેથી વાર્ષિક ૨૮૦૦ રૂ।. ના ભાડાની કેટલીક જમીન મેળવી, ઇ.સ. ૧૮૨૨ માં તેની કામગીરી શરૂ કરી હતી. રણમલજીના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજવી બન્યા. તેમણે રાજ્યની નાણાકિય સ્થિતિ સુધારવા કેટલાક પગલા લીધા હતા. રાજકોટમાં બ્રિટીશ સરકારની કોઠી સ્થપાતા સૌરાષ્ટ્રના રાજા રજવાડા તથા અન્ય લોકોએ રાજકોટમાં જમીન ખરીદવાનું શરૂ કરતા, રાજકોટ શહેરના વિસ્તાર અને આવકમાં વધારો થયો હતો. સુરાજીનું ઇ.સ. ૧૮૪૪માં અવસાન થતા તેમના પુત્ર મહેરામણજી- ૪થા રાજકોટના શાસક બન્યા હતા. તેમનો શાસનકાળ ૧૮૪૪ થી ૧૮૬૨ નો રહ્યો. તેમના રાજ્યકાળ દરમ્યાન દડવા અને હોડથલી ગામની સરહદો પાસે ગોંડલ અને રાજકોટના સૈનિકો વચ્ચે સરહદ અંગે વિવાદ થયો હતો. ત્યારે બ્રિટીશ એજન્સીએ સમયસર દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું.
ઇ.સ. ૧૮૭૪ માં બાવાજીરાજને રાજ્યના વહીવટમાં મર્યાદિત અને ૧૮૭૬માં સંપૂર્ણ હકો આપવામાં આવ્યા હતા. તેમના અમલ દરમ્યાન ગાંધીજીના પિતા કબા ગાંધી ઇ.સ. ૧૮૮૧ સુધી રાજકોટના દિવાન રહ્યા હતા. આ સમય દરમિયાન જ શાસકોના શિક્ષણ માટે ઇ.સ. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજનો પાયો નખાયો. બાવાજી રાજ આ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. રાજકોટમાં કાઠીયાવાડ હાઇસ્કુલ પણ સ્થપાઇ. તેનું નામ પછી આલ્ફ્રેડ હાઇસ્કુલ રખાયું હતું. તેમાંજ ગાંધીજી ભણ્યા હતા. હાલ તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. તેનું ઉદ્દઘાટન ઇ.સ. ૧૮૭૫ માં થયું હતું. તેના બાંધકામનો ખર્ચ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આપ્યો હતો.
બાવાજી રાજ માત્ર ૩૪ વર્ષની વયે ઇ.સ. ૧૮૯૦ માં અવસાન પામતા તેમના પુત્ર લાખાજી રાજ (ઇ.સ.૧૮૯૦ – ૧૯૩૦) રાજકોટના શાસક બન્યા. ત્યારે તેમની ઉમર માત્ર પાંચ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટ ફરી એકવાર બ્રિટીશ વહીવટ હેઠળ (ઇ.સ. ૧૮૯૦ – ૧૯૦૭) મૂકાયું. વિ.સં. ૧૯૫૬ માં (ઇ.સ.૧૯૦૦)માં રાજકોટ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ભયંકર વિનાશક દુકાળ પડયો હતો. તે ‘છપ્પનિયા દુકાળ’ તરીકે ઓળખાય છે. તત્કાલિન વાઇસરોય લોર્ડ કર્ઝન રાજકોટ આવ્યા ત્યારે તેમણે દુકાળને લગતી વ્યવસ્થા તપાસી હતી, રાહત કાર્યો શરૂ થયા હતા.
લાખાજી રાજ વયસ્ક થતા ૨૧-૧૦-૧૯૦૭ થી તેમને રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો આપવામાં આવ્યા હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું હતું. પાશ્ર્ચાત્ય શિક્ષણને કારણે તેમનું દ્રષ્ટિ બિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું. પરિણામે રાજકોટનો સમગ્ર વિકાસ શક્ય બન્યો હતો. લાખાજી રાજ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવતા હતા. તેથી તેઓ “રૈયતના હ્રદય રાજ” બન્યા હતા. લાખાજી રાજ સુધારાના હિમાયતી અને પ્રગતિશીલ રાજવી હતા. તેથી તેમના શાસન દરમિયાન રાજકોટનો વિસ્તાર તથા વસતી વધ્યા હતા. રાજકોટનો કૃષિ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસ થયો હતો.
લાખાજી રાજે રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટ રાજ્યના તમામ ગામોમાં મફત કેળવણીનું ધોરણ દાખલ કર્યુ હતું. વિદ્યાર્થીઓના શારિરીક વિકાસ માટે હરિસિંહજી સ્પોર્ટસ તથા હાડિર્જ સ્પોર્ટસ નામની રમત ગમત ની હરિફાઇઓ શાળામાં દાખલ કરાઇ હતી, લાખાજી રાજ પોતે ક્રિકેટના સારા ખેલાડી હોવાથી તેમા ઊંડો રસ લેતા હતા.
ઇ.સ. ૧૯૨૦માં ગાંધીજી એ અસહકારની લડતનું એલાન આપ્યું હતું. તેવા સમયે કાઠિયાવાડ રાજકીય પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાને પોતાનું અધિવેશન ભરવા દેવા માટે કોઇ રાજ્ય તૈયાર થાય તેમ ન હતું. કારણકે તેમ કરવાથી તેઓ બ્રિટીશ સરકારનો રોષ વહોરી લેશે એવો તેમને ભય હતો. આવા કપરા સમયમાં આ પરિષદને શુભ પ્રગતિ તરીકે ગણીને તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવાની પરવાનગી લાખાજીરાજે આપી હતી. લાખાજી રાજની સ્મૃતિમાં રાજકોટના પ્રજાજનોએ લાખાજી રાજ સ્મારક મંદિર બંધાવેલું છે. આજે તે ત્રિકોણ બાગ પાસે બાપુના બાવલા તરીકે ઓળખાય છે.
લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી (ઇ.સ. ૧૯૩૦ – ૧૯૪૦) રાજકોટની ગાદીએ આવ્યા પણ તેઓ દિવા પાછળ અંધારું સાબિત થયા હતા. વૈભવ અને વિલાસમાં રાચતા ધર્મેન્દ્રસિંહજી પ્રજામાં અપ્રિય બન્યા હતા. ઇ.સ. ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન વખતે પણ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાષ્ટ્રિય ચળવળનું કેન્દ્ર હતું. ચળવળે જોર પકડ્યું હતું. રાજકોટમાંથી અનેક નેતાઓને પકડવામાં આવ્યા હતા. તેમાં સૌરાષ્ટ્રના મહાન બે નેતાઓ શ્રી ઉ.ન.ઢેબર અને બળવંતરાય મહેતા મુંબઇ થી ટ્રેનમાં આવતા હતા ત્યારે તેમને રસ્તામાં વઢવાણમાં પકડીને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઢેબરભાઇને જેલ થતા જેઠાલાલ જોશી, જયંતિલાલ માલધારી, ઓધવજી આહ્યા તથા જયસુખલાલ શાહે રાજકોટના લોકોની નેતાગીરી લીધી હતી.


















































