• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
162 2
A A
0
184
SHARES
682
VIEWS
Share on WhatsappShare on Facebook

મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

પ્રબળ પુરુષાર્થ દ્વારા જીવ, જગત અને જગદીશને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખવા માટે અતિ વિકસિત શરીર ઇન્દ્રિયો અને તેનાથી વધુ વિકસિત મનની આવશ્યકતા છે, જે ઈશ્વરે માત્ર મનુષ્યને આપ્યું છે. જેની યોગ્ય સહાયથી મનુષ્ય આ જગતના વાસ્તવિક સ્વરૂપને જોઈ સમજી અને અનુભવી શકે છે અને એ દ્વારા જીવન મરણ તેમજ ઈશ્વરને ઓળખી અને પામી શકે છે. દરેક મનુષ્યનું વર્તમાન સાંસારિક જીવન વાસ્તવમાં સંસારના સાચા સ્વરૂપને ઓળખવા માટે જ છે અને કોઈપણ બાબતની સાચી ઓળખ માટે તેની નિકટતા આવશ્યક છે એટલા માટે જ જીવ ૮૪ લાખ ફેરા ફરે છે અને તે દ્વારા સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ ઉદેશ્યની પ્રાપ્તિ માટે મનુષ્યયોનિને તમામ યોનિમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે કેમ કે વિકસિત મનને કારણે જેટલી અનુભૂતિ જગત, જીવન અને જગદીશની મનુષ્યયોનીમાં થઈ શકે છે તેટલી બીજી કોઈ યોનિમાં શક્ય નથી. એ દ્રષ્ટિએ આ માનવદેહ આશીર્વાદરૂપ છે. ક્ષણભંગુર હોવા છતાં ખૂબ અગત્યનો છે. પરમાત્મા દ્વારા મળેલા આવા આશીર્વાદરૂપ શરીરનો યથાર્થ ઉપયોગ યોગ્ય સમય દરમ્યાન કરી લેવો જોઈએ.

 

આત્માને ઓળખવા અને આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ કરવા સિવાય વિશેષ બીજું કોઈ પ્રયોજન આ યોનિનું નથી અને એ અર્થમાં જ મનુષ્યયોનિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. અનેક ખામીઓથી ભરેલ અને અપૂર્ણ એવી આ દુનિયાનું સર્જન જ પ્રભુએ તેના બાળકો (મનુષ્ય) તેને યથાર્થ રીતે ઓળખી શકે તે માટે કર્યું છે. પરંતુ આ માયા (ઈશ્વરની રચના) ભૂલભુલામણી જેવી હોવાને કારણે આપણે ભટકી ગયા છીએ અને અજ્ઞાનવશ ઉદ્દેશ્યને પણ ભૂલી ગયા છીએ. એટલા માટે જ કદાચ જીવનમાં ડગલે ને પગલે પ્રભુ દુઃખ, પ્રતિકૂળતાઓ અને સમસ્યાઓનું સર્જન કરી આપણને ઉદ્દેશ્ય યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે અને જરૂરી ઈશારા સમયે-સમયે આપ્યા કરે છે. જેથી આપણે આ ભુલભુલામણીમાંથી સાચો માર્ગ શોધી શકીએ. સંસારના સાચા સ્વરૂપને ઓળખવા, સ્વની ઓળખાણ કરવા અને પરમાત્માને પામવા માટેના હેતુસર ઈશ્વરે બનાવેલા આ મોહક માયામય અને ભુલભુલામણી જેવા સંસારને ઓળંગવા માટે ચાર પ્રકારના સ્મરણની આવશ્યકતા છે.

૧) સંસારના દુઃખોનું સતત સ્મરણ
આપણા સૌનો એ અનુભવ હશે જ કે જીવનમાં મુશ્કેલીઓનો કોઈ પાર નથી, એકમાંથી બચો ત્યાં બીજી આવી જાય છે. સમગ્ર સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. જીવનપર્યંત જીવ અનેક દુઃખો સાથે જોડાયેલો રહે છે. પળેપળ અનેક પીડા, વેદના, પ્રતિકૂળતાઓ અને સમસ્યાઓનો સામનો કરે છે જેમ કે આધિ એટલે આત્મા સાથે જોડાયેલ તકલીફો, વ્યાધિ એટલે અનેક પ્રકારના રોગો અને બીમારીઓ જે શરીર સાથે હરહમેશ જોડાયેલી રહે છે અને ઉપાધિ એટલે સ્વભાવગત અને પ્રકૃતિગત માનસિક સમસ્યાઓ. જીવનમાં સતત કોઈ ને કોઈ શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે કેમ કે આ સંસારની એ જ ખાસિયત છે કે તે મુશ્કેલીઓ સમસ્યાઓ અને વેદનાઓથી ખીચોખીચ ભરેલો છે. છતાં આ સંસારનો મોહ છૂટતો નથી. આપણું અજ્ઞાન એ હાઈટનું છે કે આપણે સંસારની વાસ્તવિકતાને ક્ષણે-ક્ષણે જોવા છતાં, અનુભવવા છતાં સમજી શકતા નથી અને વધુને વધુ પીડાનું સર્જન કરતાં જ રહીએ છીએ, તડપીએ છીએ ક્યારેક છૂટવાની કોશિષ કરીએ છીએ પરંતુ છૂટી શકતા નથી. જેની પાછળ માયા જવાબદાર છે, માયા ત્રણ પ્રકારની હોય છે ૧) સ્વજનમોહિત- સગાસંબંધીઑ પ્રત્યેનો મોહ ૨) સ્વમોહિતા – એટલે પોતાની જાતનો મોહ, શરીર સાથેની આસક્તિ જે કળિયુગમાં વિશેષ છે ૩) વિમુખજનમોહિતા – એટલે પારકા માટેનો દ્વેષ કે અણગમો. આ સંસાર અનેક તાપોથી ભરેલો છે. જેનાથી દરેક ક્ષણે આપણે દાજીએ છીએ છતાં ઠંડા મલમની શોધમાં અવિરત ભટકીયે છીએ. મલમ મળ્યા પછી વળી વારંવાર તેનો આનંદ લેવા ફરી ફરી દાજીએ છીએ એટલે કે એક વાર ઠોકર ખાધા પછી પણ સુધરતા નથી. વારંવારના અનેક શારીરિક, માનસિક, આર્થિક સામાજિક કડવા અનુભવો પછી પણ હજુ કદાચ કંઈક સારું થશે એવી આશા સાથે કિસ્મતને કોસતા-કોસતા ફરી એની એ જ ભૂલ કર્યા કરીએ છીએ. સંસાર અનેક તાપોથી ભરેલો છે, દુઃખોનો ખજાનો છે તે જાણીએ સમજીએ અનુભવીએ અને તેમાંથી છૂટવાની ઈચ્છા કરીએ, તે અંગે સક્રિય બનીએ તો કદાચ સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા થાય અને જીવ, જીવન, જગત અને જગદીશના સાચા સ્વરૂપને ઓળખી દરેક આપત્તિ અને તકલીફોમાંથી મુક્તિ મેળવી શકીએ.

૨) મૃત્યુનું અવિરત સ્મરણ
મૃત્યુના સ્મરણથી પાપ છૂટે છે. એ તો સર્વવિદિત છે કે મૃત્યુ નિશ્ચિત છે કોઈ અમરપટ્ટો લઈને જન્મ્યું નથી છતાં આપણને જીવનભર મૃત્યુનું વિસ્મરણ જ રહે છે એ સૌથી મોટી કમનશીબી છે. કોઈને મરતા જોઈને પણ આપણને એવું નથી થતું કે સુધરી જઈએ કેમકે આજે કોઈકનો વારો છે તો કાલે આપણો વારો પણ આવશે. કાળની થપ્પડો પડવા માંડે એટલે કે વાળ સફેદ થાય, હાથ-પગની શક્તિ હણાઇ જાય, શરીરના અવયવો ધીરે-ધીરે બગડવા માંડે છતાં આપણને જીવનનો મોહ જતો નથી. પદ, પૈસો, પ્રતિષ્ઠા વગેરે છૂટતા નથી. સ્વાદ પર નિયંત્રણ આવતું નથી. ઊલટાની ઇન્દ્રિયો વધુને વધુ બેફામ બનતી જાય છે અને જીવનને અતિશય પીડાયુક્ત કરી મૂકે છે. જન્મથી જ જો સતત અવિરત દરેક ક્ષણે મૃત્યુનું સ્મરણ રહે તો અયોગ્ય અને અનૈતિક કાર્યોથી છુટકારો શક્ય અને સરળ બને. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ સાથે લેવાતો દરેક શ્વાસ આપણને મૃત્યુની નજીક લઈ જઈ રહ્યો છે. બધું જ જાણતા હોવા છતાં આપણે મૂઢની જેમ જીવન જીવીએ છીએ અને અંતે પસ્તાઈએ છીએ. ભાગવત પુરાણની એક કથા છે કે એક સંતે પાપી માણસને કીધું કે તારું મોત સાત દિવસ પછી છે અને તે પાપી માણસે એ સાત દિવસ દરમ્યાન તમામ શારીરિક-માનસિક વાચિક પાપોથી તોબા કરી લીધી અને શક્ય એટલું ઈશ્વરસ્મરણ તેમ જ સદાચરણ તરફ ધ્યાન આપ્યું. અહી સમજવાની વાત એ છે કે આપણને તો એ પણ ખબર નથી કે આપણી પાસે સાત દિવસ પણ વાસ્તવમાં છે કે નહીં. તો પછી કયા ભ્રમમાં, કઈ અબોધ અવસ્થામાં અને આજ્ઞાનવશ આપણે જીવીએ છીએ એ જ સમજાતું નથી અને ન કરવાના કર્મો કર્યા જ કરીએ છીએ. મૃત્યુનું સતત સ્મરણ વ્યક્તિને તેના જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવે છે જેથી તે તેનો અલ્ટીમેટ ઉદ્દેશ્ય ભૂલે નહીં અને માયાસભર સંસારમાં ભટકી ન જાય. જીવનને સાર્થક કરવા મૃત્યુનું સતત સ્મરણ આશીર્વાદરૂપ છે.

Indian old Man praying to god for every thing good

૩) સંતો અને તેમના જીવનનું સ્મરણ
સંતોનો જીવનબોધ વ્યક્તિને નૈતિક બનવાની પ્રેરણા પૂરી પાડે છે. જીવન જીવવાની રીત શીખવાડે છે. સંત એટલે સજ્જન માણસ. દુર્ગુણોમુક્ત વ્યક્તિ સંત કહેવાય, જે દરેકમાં ઈશ્વરના દર્શન કરે, કોઈના માટે તેને રાગ કે દ્વેષ ન હોય. સંતો વિષયાનંદ આપતા નથી ભજનાનંદ અને બ્રહ્માનંદ આપે છે. જ્ઞાની, વૈરાગી અને ભક્તિથી પરિપૂર્ણ માણસ એ જ સાચો સંત. સંતોના જીવનચરિત્ર શ્રવણથી તેમના જેવા બનવાની ઇચ્છા જાગે છે. સંત સ્વરૂપ ભગવાનના વિવિધ અવતારોની કથા દ્વારા જીવનમાં ઉત્તમની પ્રેરણા મળે છે. જેથી હિન્દુશાસ્ત્રોમાં સંતો અવતારો વગેરેના જીવનચરિત્રની કથાશ્રવણનો મહિમા ગવાયો છે. સંતો અને અવતારોના જીવનની કથા જાણવાથી પ્રભુ માટેનો પ્રેમ વધે છે, વિષયોમાં અરૂચિ પેદા થાય છે, ભોગ છોડવાની ઈચ્છા થાય છે, કરેલા પાપોનો પસ્તાવો થાય છે, સ્વભાવ સુધરે છે અને નવું જીવન શરુ થાય છે. જીવનમાં શ્રદ્ધા વધે છે, વાસનાનો વિનાશ થાય છે, તમામ બંધનો કે પીડામાંથી મુક્તિ મળે છે. સાચા જ્ઞાનનો જીવનમાં પ્રકાશ થાય છે જેના દ્વારા જીવન, જગત અને જગદીશના યથાર્થ સ્વરૂપને ઓળખવામાં સહાય મળે છે. જે દ્વારા મનુષ્યજીવન સાર્થક અને ધન્ય બને છે. આમ સંતોના જીવનચરિત્રનું સતત સ્મરણ મનુષ્ય માટે ઉપકારક છે.

૪) સતત ઈશ્વરસ્મરણ
ઈશ્વર સ્મરણ દ્વારા પરમાત્મામાં સ્થિતિ થાય છે, ઇશ્વરમાં એકાકાર થઈ શકાય છે, સ્થિરતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવી શક્ય બને છે, વૈરાગ્ય અને સંયમ કેળવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ-મરણના ફેરા પાછળ મુખ્યત્વે અજ્ઞાન, અહંકાર અને રાગ-દ્વેષ જવાબદાર છે જે ઈશ્વરસ્મરણથી છૂટે છે. જ્યાં સુધી સંસારના વિષયોમાં રસ છે ત્યાં સુધી સંસારમાં ભટકી જવાનો ભય રહે છે. ઈશ્વરસ્મરણથી જીવન સરળ બને છે અને ભટકી જવાનો ભય રહેતો નથી. દરરોજ અડધો કલાક સંસારને ભૂલી પ્રભુ સાનિધ્યમાં રહેવું આત્મા માટે ઉપકારક છે. સવારથી રાત સુધી જે કોઈ કર્મો આપણે હાથે થાય તે દરેકમાં ઈશ્વરનું અનુસંધાન હોવું જોઈએ. દરેક કર્મમાં ભક્તિ ભેળવવાની વ્યવસ્થા એટલે ઈશ્વરસ્મરણ. ઈશ્વરસ્મરણ એટલે માત્ર યાંત્રિક રટણ નહીં. સ્મરણનો મતલબ છે કંઈ પણ કરતાં પહેલા ઈશ્વરને યાદ કરવા અને દરેક જગ્યાએ ઈશ્વર હયાતિને અનુભવવી, અયોગ્ય કાર્ય કરતાં ડરવું કેમ કે ઈશ્વર આપણને દરેક જગ્યાએ જોઈ રહ્યો છે. ઈશ્વર સ્મરણની વિશેષતા એ છે કે તેના પ્રતાપથી કર્મયોગની અપૂર્ણતા પુરાઈ જાય છે. ઈશ્વરસ્મરણ દ્વારા આપણા એકેએક કાર્યનો ઈશ્વર સાથે સંબંધ જોડાય છે. આપણે જ્યારે આપણા દરેક કાર્યને ઈશ્વર સાથે જોડીયે ત્યારે જીવનમાંથી ચિંતા, રાગ-દ્વેષ વગેરે ખતમ થાય છે. સમગ્ર જીવન દિવ્ય બને છે. શાસ્ત્રો અનુસાર કર્મવિપાકને તોડનારી જો કોઈ પ્રક્રિયા હોય તો તે ઈશ્વરસ્મરણ છે. ઈશ્વરસ્મરણ અંગે અમેરિકામાં થયેલ એક સંશોધન જણાવે છે કે તેના દ્વારા યાદશક્તિમાં, આત્મવિશ્વાસમાં સહનશક્તિમાં અને રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. ઓછા સમય માટે કરેલું ઈશ્વર સ્મરણ પણ અકલ્પનીય ફાયદો કરે છે. તો વિચારો સતત અવિરત શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કરેલું પ્રભુસ્મરણ કેટલું લાભદાયી નીવડી શકે? યાદશક્તિ, સહનશક્તિ, આત્મવિશ્વાસ અને રોગપ્રતિકારકશક્તિથી વિશેષ અગત્યનું જીવનમાં બીજું શું હોઈ શકે? કેમ કે તમામ પ્રકારની સફળતાનો આધાર જ આ ચાર ગુણો છે. જીવનમાં સુખ-શાંતિ, સફળતા, સમૃદ્ધિ અને સંરક્ષણ માટેની જો કોઈ પૂર્વશરત હોય તો તે ઈશ્વરસ્મરણ છે.

ઉપર પ્રમાણેના ચાર સ્મરણ મનુષ્યને તેના મૂળભૂત જીવનહેતુનું વિસ્મરણ થતું અટકાવે છે કે દિવ્યશક્તિમાંથી છુટા પડેલ તેણે દિવ્યશક્તિ પ્રાપ્ત કરી ફરી પાછું દિવ્યશક્તિમાં સમાઈ જવાનું છે જેમ સરિતાનું અસ્તિત્વ બે સ્થાને સમાપ્ત થાય છે 1) રણ અને 2) સાગર, એ જ રીતે મનુષ્યનું અસ્તિત્વ પણ બે સ્થાને સમાપ્ત થઈ શકે 1) સંસાર અને 2) પરમાત્મા. સરિતાના અસ્તિત્વને સમાપ્ત કરતાં રણમાં સરિતાએ માત્ર અને માત્ર ગુમાવવાનું છે જ્યારે સાગરમાં સરિતાએ સર્વ સમર્પણ કરીને અનન્યને પ્રાપ્ત કરવાનું છે. આમ રણ સરિતાના અસ્તિત્વને ખતમ કરે છે જ્યારે સાગર સરિતાને પરાકાષ્ઠા પર લઇ જાય છે. મનુષ્યનું મૃત્યુ પણ રણ જેવું છે જેમાં મેળવવાનું કંઈ જ નથી પરંતુ ગુમાવવાનું પાર વિનાનું છે. જ્યારે પરમાત્માને શરણે જવાથી ગુમાવવાનું કાંઈ જ નથી પરંતુ મેળવવાનું પાર વિનાનું છે. આવી સજાગતા કે જાગૃતતા ઉપર પ્રમાણેના ચાર સ્મરણ દ્વારા શક્ય બને છે. તો આવો આ ચાર ઉત્તમ સ્મરણ દ્વારા પરમાત્મા કે દિવ્યશક્તિને પ્રાપ્ત કરી જીવનને ધન્ય અને સાર્થક કરીએ. સંસારના દુખોનું સ્મરણ, મરણનું સ્મરણ, સંતોના જીવનચરિત્રનું સ્મરણ અને ઈશ્વરસ્મરણ આ ચાર સ્મરણનો સાથ જીવનમાં છોડવો સલાહભરેલ નથી.

 

~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahspiritualધર્મ અને આધ્યાત્મિકતાશિલ્પા શાહ
SendShare74Tweet46Scan
ADVERTISEMENT
Previous Post

બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

Next Post

હીટસ્ટ્રોક અને સનસ્ટ્રોકથી બચવા માટે 5 સરળ ઘરગથ્થુ ઉપચાર

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
હીટસ્ટ્રોક અને સનસ્ટ્રોકથી બચવા માટે 5 સરળ ઘરગથ્થુ ઉપચાર

હીટસ્ટ્રોક અને સનસ્ટ્રોકથી બચવા માટે 5 સરળ ઘરગથ્થુ ઉપચાર

ઉનાળામાં શરીરની ગરમી ઓછી કરવા ખાઓ આ ખોરાક

ઉનાળામાં શરીરની ગરમી ઓછી કરવા ખાઓ આ ખોરાક

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.