• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

ગ્રહદશા નડતર કેટલુ વૈજ્ઞાનિક?

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in જ્યોતિષશાસ્ત્ર, i - ગુજ્જુ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
139 2
A A
0
158
SHARES
587
VIEWS
Share on WhatsappShare on Facebook

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેશ દુનિયા કે જીવનમાં જે કંઈ થાય છે તે ગ્રહદશાને આભારી છે એટલે કે સૃષ્ટિમાં આવતા પરિવર્તન કુદરતી ઘટનાઓ કે કુદરતી આપત્તિઓ તેમજ મનુષ્યજીવનમાં અનુભવાતી ચડતી-પડતી, હર્ષ-શોક કે સુખ-દુઃખ એ તમામ ગ્રહદશાને આભારી છે. મનુષ્યજીવનમાં અવિરત સર્જાતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ માટે પણ એક અગત્યનું જવાબદાર પરિબળ ગ્રહદશા છે એવું દૃઢપણે જ્યોતિષશાસ્ત્રનું માનવું છે. તેની સામે ભણેલા-ગણેલા શિક્ષિત બુદ્ધિશાળી લોકો અનુસાર ગ્રહો કોઈને નડતા નથી મનુષ્ય બધાને નડે છે. ગ્રહો તો બ્રહ્માંડમાં તેની રિધમ અને ગતિ અનુસાર વિચરતા રહે છે તે મનુષ્યસૃષ્ટિમાં હલચલ કેવી રીતે મચાવી શકે? મોટાભાગના શિક્ષિત લોકો માને છે કે ગ્રહદશાનો ડર ઊભો કરી જ્યોતિષીઓ પોતાની આજીવિકા ચલાવે છે. વાસ્તવમાં જ્યોતિષ કે ગ્રહો એટલુ પ્રભાવશાળી પરિબળ છે જ નહીં.

વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો સૂર્યમંડળમાંથી ઉત્ક્રાંતિ દરમ્યાન સમયાંતરે દરેક ગ્રહો છુટા પડ્યા એ રીતે પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે. એવી જ રીતે ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ જેવા અનેક ગ્રહો ગ્રહમાળામાં અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી જો સૂર્યમાંથી છૂટી પડી હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક પ્રકારનું ચોક્કસ જોડાણ કે કનેક્શન હોવું જોઈએ. પૃથ્વીમાં વસનાર મનુષ્ય પૃથ્વી સાથે જોડાયેલ હોય તે સ્વાભાવિક છે. આમ સૂરજનું અંગ પૃથ્વી અને પૃથ્વીનું અંગ મનુષ્ય અને સમગ્ર જીવસૃષ્ટિ એ દ્રષ્ટિએ ત્રણેમાં એક પ્રવાહિતા હોય, દરેક વચ્ચે સંવાદ હોય એ સમજી શકાય એવી વાત છે. વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે સૂર્યની હયાતીને કારણે જ જીવસૃષ્ટિ ટકી રહી છે કેમ કે સૂર્ય શક્તિનો સ્ત્રોત છે. જેમાંથી તમામ જીવસૃષ્ટિ ઊર્જા મેળવે છે. એ તો સર્વવિદિત છે કે સૂર્યની ગેરહાજરીમાં જીવસૃષ્ટિનું ટકવું અસંભવ છે. મનુષ્ય વિટામીન-ડી સૂર્યકિરણોમાંથી જ મેળવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિનો આધાર પણ સૂર્યશક્તિ પર છે. એક સાધક વ્યક્તિ પંદર વર્ષ ખાધા વગર જીવેલા અને વૈજ્ઞાનિક સંશોધન પરથી જાણવા મળેલું કે તેઓ સૂર્યપ્રકાશ પર જીવી રહયા હતા. આપણી પાચનશક્તિ ચોમાસામાં કે જ્યારે સૂર્ય વાદળાને કારણે ઓછો દેખાય છે ત્યારે ઘટે છે એ દર્શાવે છે કે સૂર્ય જીવસૃષ્ટિને અસર કરે છે. આવા અનેક વૈજ્ઞાનિક અભ્યાસો સાબિત કરે છે કે સૂર્યની અસર જીવસૃષ્ટિ પર પડે છે જે એક ગ્રહ છે.

એ જ રીતે ચંદ્ર પણ એક ગ્રહ છે એની અસર પણ જીવસૃષ્ટિ પર પડે છે. વિજ્ઞાને નોંધ્યું છે કે ચંદ્રની કળા સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. આપણે ચંદ્રની કળા અનુસાર દરિયામાં ભરતી અને ઓટ આવતી જોઈ છે. એનો અર્થ એ થયો કે ચંદ્ર સમુદ્રને અસર કરે છે. બનાવટ કે બંધારણની દ્રષ્ટિએ મનુષ્યશરીર અને સમુદ્રમાં સમાનતા જોવા મળે છે. બંનેમાં પાણી અને મીઠું (ક્ષાર -સોડિયમ) રહેલા છે. હવે જો ચંદ્ર સમુદ્રને અસર કરતો હોય તો મનુષ્યને કેમ અસર ન કરે? અનેક વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર પુનમને દિવસે પાગલપનના કેસો વધુ નોધાયા છે. ચંદ્ર મનુષ્યના મનને દિમાગને અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો દેવતા છે, મનનો માલિક છે. મનની સ્થિતિ પર ચંદ્રની પ્રબળ અસર જોવા મળે છે. ૧૯૫૦માં જીયોજારજી જીઓડી એ કોસ્મિક કેમેસ્ટી નામનું વિજ્ઞાન શોધ્યું. જે અનુસાર સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાથી અસર પામે છે. સૂર્ય પર પરિવર્તન સમગ્ર પૃથ્વીના જીવોને અસર કરે છે. બ્રહ્માંડનુ સૌથી રહસ્યમય તત્વ પાણી છે કેમ કે અંતરીક્ષની, નક્ષત્રોની, ગ્રહોની જે કોઈ અસર જીવસૃષ્ટિ પર પડે છે તે પાણીને આભારી છે. ગર્ભમા માતા અને બાળકનુ જોડાણ પાણીને લીધે જ છે. એક અભ્યાસ પ્રમાણે મોટાભાગની માછલી ઓટના દિવસોમાં ઈંડા મૂકે છે અને પંદર દિવસ પછી ભરતીના દિવસોમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે અને સાગરની લહેર તેમને અંદર પાણીમાં લઇ જાય છે. આજ સુધી એ ખબર નથી પડી કે માછલીને ભરતી અને ઓટની ખબર કેવી રીતે પડે છે? આ તમામ પાછળ ચંદ્રની સંવેદના જવાબદાર છે. માછલી ચંદ્રની સંવેદનાને ઓળખે છે. એ જ કારણ પક્ષીઓના સીઝન પ્રમાણે પ્રદેશ બદલવા પાછળ જવાબદાર છે. આમ ગ્રહો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ પરથી જાપાનમાં એક ચકલી ધરતીકંપના ૨૪ કલાક પહેલા પ્રદેશ છોડી દે છે. આમ બ્રહ્માંડ પરનુ કોઈ જીવન isolated નથી. વાસ્તવમાં સમગ્ર બ્રહ્માંડમાં એક જ દિવ્યઉર્જા શક્તિ કે ચેતના વ્યાપેલી છે જે તમામ સજીવોને એક જ શક્તિથી બાંધે છે. એ દ્રષ્ટિએ જગતની તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. સમગ્ર બ્રહ્માંડ એક યુનિટી છે. જેમાં એકના અસ્તિત્ત્વનો આધાર અન્ય પર રહેલો છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્ય અને ચંદ્રની ઉપર પ્રમાણેની અસર સમજ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય એ બંને ગ્રહો હોવા છતાં જો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરતા હોય તો બીજા ગ્રહો પણ મનુષ્યને અસર કેમ ન કરી શકે? વ્યવહારિક દ્રષ્ટિએ ગ્રહોની અસરને સમજીએ તો એમ કહી શકાય કે ગ્રહોની ચાલ કે ગતિ મનુષ્યના મનને અસર કરે છે. જે દ્વારા તેના વિચારો પ્રભાવિત થાય છે. આપણા વિચારો દ્વારા જ આપણી વૃત્તિ, માન્યતા, સ્વભાવ ઘડાય છે મનુષ્યના વિચાર, સ્વભાવ, માન્યતા જો હકારાત્મક રહે તો જીવન સુખશાંતિસભર બની રહે અને જો વિચાર, માન્યતા, સ્વભાવ, વૃત્તિ વિઘાતક કે નેગેટિવ બને તો જીવન અતિશય પીડામય અસુરક્ષિત અને અસ્વસ્થ બની જાય. જન્મકુંડળી એ ખરેખર તો સંચિત કર્મો અને તેના દ્વારા નક્કી થયેલા પ્રારબ્ધફળનો નકશો છે. જન્મ સમયે આકાશમાં ગોઠવાયેલા ગ્રહો આખા જીવનનો એક માર્ગ નક્કી કરી આપે છે અને માનવીએ એ માર્ગે ચાલવું પડે છે. ગ્રહો જ જીવનમાં સંજોગો પેદા કરે છે. ગ્રહો જ માનવીના મનમાં આંદોલનો ઊભા કરે છે તેમ જ સાચા-ખોટા નિર્ણયો લેવા પ્રેરે છે. ગ્રહો વાસ્તવમાં મનુષ્યના મન, વિચાર, બુદ્ધિ અને નિર્ણયશક્તિ પર અસર કરે છે. જ્યારે વિચાર સ્વાર્થી વિઘાતક અને હાનિકારક બને તેમ જ બુદ્ધિ અયોગ્ય નિર્ણય લેવા મજબૂર કરે ત્યારે જીવનમાં ઉથલપાથલ ન મચે તો બીજું શું થાય.

ગુરુ ગ્રહને બુધ્ધિ જ્ઞાન વિદ્યા કે સમજણનો દેવતા કે માલિક માનવામાં આવે છે. ગુરુનું ચોક્કસ નક્ષત્ર કે રાશિમાં ભ્રમણ વ્યક્તિને શિક્ષણ વાંચન કે જ્ઞાનપ્રાપ્તિ તરફ અગ્રેસર કરે છે. એટલે સ્વાભાવિક રીતે મનુષ્યને કંઈક વિશેષ જાણવાની શીખવાની સમજવાની ઈચ્છા જાગૃત થાય. જેના દ્વારા પ્રાકૃતિક રીતે જ જીવન બદલાય છે. આ ગુરુની મનુષ્યજીવન પર અસર નહિ તો બીજું શું છે? જેમ કોઈ સારા વ્યક્તિના સંપર્કમાં આવવાથી કે સત્સંગથી જીવનપરિવર્તન કે વિચારપરિવર્તન સંભવે છે તેવી જ રીતે ગ્રહોની પોઝિટિવ અસરથી વિચાર વર્તન વાણી હકારાત્મક બને છે જે જીવનને ઉન્નત કરે છે. એવી જ રીતે મંગળગ્રહ એક વિદ્યુતપ્રવાહ છે, એક ફોર્સ છે, એક તાકાત છે જે મનુષ્યના હૃદયમાં પ્રગટે છે, જે વ્યક્તિને સંકલ્પબળ આપે છે. શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત આપે છે. અન્ય કોઈ તમારાથી આગળ નીકળી જાય તે મંગળના પ્રભાવમાં રહેલ માનવીને સ્વીકાર્ય હોતું નથી. આવા પ્રકારનું જો કોઈ મનુષ્યનું વ્યક્તિત્વ હોય તો તે દ્વારા ગ્રહોનો પ્રભાવ જાણી શકાય છે. ગ્રહોની સાચી ઓળખ વ્યક્તિના વ્યક્તિત્વમાં છુપાયેલ હોય છે કેમ કે દરેક ગ્રહની એક વિશિષ્ટતા કે લાક્ષણિકતા હોય છે અને એ અનુસાર જ મનુષ્યનું વ્યક્તિત્વ ઘડાય છે. શનિ સંકોચનો ગ્રહ છે, ખૂબ મંદ ગ્રહ છે જે વિલંબથી ફળ આપે છે. પ્રારબ્ધકર્મનો પોર્ટફોલિયો સંભાળનાર ગ્રહ શનિ છે. જે ન્યાયનો દેવતા છે, જે ભાગ્યવિધાતા ગ્રહ ગણાય છે. શનિ સમયનો કારક છે. જે સમયની કિંમત સમજે છે તેને શનિ સુખ પ્રદાન કરે છે તેમ જ મોક્ષની પરમિટ પણ આપે છે. ગુરુ અને શનિનો ઉમદા પ્રભાવ વ્યક્તિને હંમેશા ઈશ્વરાભિમુખ બનાવે છે જેથી મુક્તિ કે મોક્ષ સહજ બને છે. ગુરુ અને શનિ બળવાન હોય તેના માટે ભક્તિ-યોગ-કર્મ-જ્ઞાન વગેરે સરળ બને છે. તે વ્યક્તિને તત્વચિંતક કે અવતાર પણ બનાવી શકે છે. શનિ માનવીને શુદ્ધ ચરિત્ર આપે છે. બળવાન શનિ મનુષ્યને સંસારની અસારતા સમજાવે છે જેથી સાચું જ્ઞાન પેદા થાય છે અને માયામાંથી મુક્તિ મળે છે. હૃદયની ઉમદા સ્થિતિ શનિ દ્વારા ઉદભવે છે કેમકે શનિ એ વિવેક છે. શનિ વગરનો સૂર્ય મનુષ્યને ક્યારેક અભિમાની બનાવે છે. શનિ વગરનો ચંદ્ર વ્યક્તિને અતિ ચંચળ અને અસ્થિર બનાવે છે. શનિ વગરનો મંગળ મનુષ્યને બેફામ બનાવે છે. શનિ વગરનો શુક્ર મનુષ્યને લબાડ અને જુઠ્ઠો બનાવે છે. ટૂંકમાં શનિ સાચો સુકાન (કેપ્ટન) છે. જે તમામને સંભાળી લે છે. કારમાં જે કામ બ્રેક કરે છે એ જ કામ જીવનમાં શનિ કરે છે.

એવી જ રીતે જન્મોજન્મની પ્રક્રિયા પર રાહુની જબરજસ્ત પકડ છે. તમામ વાસના રાહુના પ્રબળ પ્રભાવમાં હોય છે. મન પર માયાની મોહજાળ પાથરી આત્માને વાસનાના બંધનમાં બાંધવાનું કાર્ય રાહુ કરે છે. એટલે જ કહેવાય છે કે રાહુ ગ્રહણમાં સૂર્ય અને ચંદ્રને પકડે છે. રાહુનો વાસ મુલાધાર ચક્રમાં છે કે જ્યાંથી વિષય વાસના ઉદ્ભવે છે. કુંડલીની શક્તિ જ્યાં સુધી સુષુપ્ત રહે ત્યાં સુધી રાહુનું સામ્રાજ્ય ચાલે છે. કેતુ ઉર્ધ્વદૃષ્ટિ પ્રદાન કરે છે તે મોક્ષવાદી ગ્રહ છે. કેતુનો વાસ મસ્તકમાં સહસ્ત્રર ચક્રમાં છે. રાહુ મોહનિંદ્રાનો ગ્રહ છે જ્યારે કેતુ જાગૃતિનો ગ્રહ છે. રાહુની મહાદશા ચાલતી હોય ત્યારે સક્ષમમાં સક્ષમ માનવી પણ માયાના મોહમાં ફસાઈ શકે છે કેમ કે તે સમયે તેની સાત્વિકતા ઘટે છે વિષયોનું આકર્ષણ વધે છે અને મન મૃગજળ પાછળ દોડવા માંડે છે. પરંતુ સમય બદલાતા રાહુની આવી માયા અદ્રશ્ય થઈ જાય છે અને મનુષ્યને સમજાઈ જાય છે કે તે મૃગજળ પાછળ દોડતો હતો. કહેવાય છે કે કેન્સર જેવા રોગોની ઉત્પત્તિ રાહુની દશા કે અંતરદશામાં જ ઉદ્ભવે છે. ટૂંકમાં રાહુ જન્મનું કારણ છે જ્યારે કેતુ મોક્ષનું કારણ છે. અનેક જન્મનો હિસાબ રાહુ રાખે છે. રાહુ જન્મોજન્મની સાંકળ છે. આ સાંકળ માત્ર કેતુ જ તોડી શકે છે.

શુક્રનો વિશષ્ટયોગ મનુષ્યને વફાદારીથી દૂર રાખી અતિશય કામી બનાવે છે. પત્ની સાથે વફાદાર ન રહી શકનાર પતિની કુંડળીનો શુક્ર તપાસવો પડે. જ્યાં જ્યાં દાદાગીરી અને ઝનૂન દેખાય ત્યાં સમજવું મંગળ-રાહુની હયાતી છે. જેનો રાહુ અશુભ હોય તેને હલકા પડોશી મળે જેથી જીવનમાં ઘર્ષણ સતત રહે. વળી રાહુ જીવનને દંભી બનાવે છે. નબળો રાહુ વૃદ્ધાવસ્થા પણ બગાડે છે. સંતાનસુખથી વંચિત રાખે છે. પાંચમે રાહુ જ્ઞાનના વિષયોમાં રસ પેદા કરે છે અને આપણે જાણીએ છીએ આવો રસ જ જીવનની દિશા નક્કી કરે છે. ટૂંકમાં ગ્રહો એ બીજું કાંઈ નહીં બ્રહ્માંડની પ્રકાશરૂપી કે કિરણોરૂપી શક્તિ ઉર્જા કે ચેતના છે. જે મનોવેદના, ઈચ્છા, વાસના, રસ, સંકલ્પ, એકાગ્રતા, કર્મ, મોહમાયા, નિર્ણયો વગેરે તમામ પર અસર કરે છે અને જીવનના સુખ દુઃખ નક્કી કરે છે. આમ ગ્રહો જ જીવનનું માર્ગદર્શન કરે છે, જીવનરાહ નક્કી કરે છે. જીવન પર ગ્રહોની પ્રબળ અસર છે એ વાતને નકારી શકાય નહીં એવું મારું દ્રઢ મંતવ્ય છે. માનવીના જન્મ સમયે આકાશમાં ગોઠવાયેલા ગ્રહો જે તે માનવીના સમગ્ર જીવન પર અસર પેદા કરે છે જેમ કે ચોક્કસ પ્રકારના ગ્રહો વ્યક્તિને માતૃભક્ત બનાવે છે. કોઈ ગમે તેટલી મહેનત કરે તેને માતૃપ્રેમની પકડમાંથી છોડાવી શકતો નથી. આવી વ્યક્તિઓને માતાના દોષમાં પણ ગુણદર્શન થાય છે. ઘણીવાર પત્નીની સાચી વાત પણ તેને ખોટી લાગે છે માત્ર માતા જ સાચી લાગે છે. એવી જ રીતે ચોક્કસ પ્રકારની ગ્રહદશા વ્યક્તિને સહનશીલ આજ્ઞાંકિત અને કુટુંબભાવનાથી સભર બનાવે છે. આમ મનુષ્ય કેવો છે કે કેવો બનશે તેનો મુખ્ય આધાર ગ્રહદશા પર છે.

માનવીના મનનો એ સ્વભાવ છે કે તે હંમેશા અપ્રાપ્ય વસ્તુ પાછળ ભાગે છે અને મન પર ગ્રહોની પ્રબળ અસર છે. દ્રષ્ટિદોષ (એટલે સાચાને ખોટું સમજવું અને ખોટાને સાચું સમજવું) મન દ્વારા જ કેળવાય છે. ગ્રહોની અસર જ મનને ચંચળ અશાંત બનાવે છે અને ગ્રહો જ ક્યારેક શાંત સ્થિર અને ધેર્યવાન બનાવે છે. ટૂંકમાં આખું જગત જે ગ્રહોના પ્રભાવમાં કે આંદોલનો પ્રમાણે ચાલે છે ત્યાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિત્વ મળે કે તે ગ્રહોના પ્રભાવમાં ન હોય. વિશ્વની કોઈ ઘટના એવી નથી જે ગ્રહોના પ્રભાવમાં ન હોય. જીવ માત્રને પોતાના પ્રારબ્ધ પ્રમાણે ફળ મળે તેનું નિયમન નવ ગ્રહો દ્વારા થાય છે. જેમ કે આત્મા સાથે સૂર્યનો સીધો સંબંધ છે જયારે ચંદ્રનો મન સાથે સીધો સંબંધ છે. જેથી આ બે ગ્રહો વિશેષ મહત્વના છે કેમકે મન ઈચ્છાનું મૂળ છે અને ઈચ્છા પ્રબળ થતાં વાસના બને છે. જે આત્મા સાથે સજડ રીતે ચોંટી જાય છે જે બીજા જન્મનું કારણ બને છે.

પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. જેની પર ઘણા આંતરિક અને બાહ્ય પરિબળોની અસર જોવા મળે છે. એવું જ એક પરિબળ ગ્રહો છે. જેમ માણસો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે તેવી રીતે ગ્રહો પણ પોસિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. જેમ સત્પુરુષના સત્સંગથી જીવન ઉજ્જવળ નૈતિક અને ઉત્તમ બને તેવી જ રીતે દુર્જનના સંગથી જીવન અયોગ્ય વ્યસની અનૈતિક અને સ્વાર્થી બનતું હોય છે. આ જ પ્રકારની અસર ગ્રહોની ચાલથી મનુષ્યજીવન પર અવિરત પડતી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાપગ્રહ કે આસુરીગ્રહની અસર જીવન કે સૃષ્ટિ પર દુર્જન માણસના સંગ જેવી પડતી હોય છે. પાપગ્રહો મનુષ્યના વિચારો અને નિર્ણય પર સખત નકારાત્મક અસર જન્માવતા હોય છે. જેમ કે કોઈક અયોગ્ય ગ્રહદશામાં ક્યારેક સગાસંબંધી ખોટા કે સ્વાર્થી લાગતા હોય છે જેથી ઘર્ષણ અને પીડા વધે છે પરંતુ ગ્રહદશા સુધરતા એ જ લોકો સારા લાગવા માંડે છે તેમની સાથેનું ઘર્ષણ અને સંઘર્ષ અટકે છે, પરિસ્થિતિ સુધરે છે અને જીવન સરળ બની જાય છે. ટૂંકમાં વિચારો નેગેટિવ બને ત્યારે જીવનમાં અયોગ્ય નિર્ણય લેવાઈ જાય છે જેનું પરિણામ ભોગવવું પડે છે. ભાઈભાડું વચ્ચે મિલકતની વહેંચણી અંગે ક્યારેક અયોગ્ય નિર્ણય લેવાઈ જાય તો કોર્ટકેસ અને સંઘર્ષમાંથી પસાર થવું પડતું હોય છે. જે જીવનમાં કડવાશ ભરી દે છે અને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આવી અનેક આપત્તિઓને આપણે પનોતી તરીકે ઓળખીએ છીએ. પનોતી એ બીજું કંઈ નહીં પરંતુ અયોગ્ય વિચારો, અયોગ્ય નિર્ણયો અને નેગેટિવ મનોદશા દ્વારા ઉદ્ભભવતિ કઠિન પરિસ્થિતિ છે. જે જીવનમાં અનેક મુશ્કેલીઓ સંઘર્ષો કે સમસ્યાઓનું સર્જન કરે છે. જે ભોગવે જ છૂટકો થાય છે.

જીવનની કે ગ્રહોની મહાનતા એ છે કે કોઈ પીડા કે સમસ્યાઓ આજીવન રહેતી નથી. પરિસ્થિતિ બદલાતા કે ગ્રહદશા બદલાતા બધું આપોઆપ શાંત થવા માંડે છે. મનુષ્યજીવન સ્વર્ગસમાન બનશે કે નર્કસમાન તેનો આધાર વ્યક્તિની મનોદશા અને નિર્ણયો પર છે. જેના પર ગ્રહોની પ્રબળ અસર થતી હોય છે કેમકે આપણે જે ગ્રહ પર જીવીએ છીએ તે ગ્રહ સૂર્યમાળાના અનેક ગ્રહો સાથે જોડાયેલો છે અને જોડાયેલા હોવાને કારણે એકબીજાથી પ્રભાવિત થાય એ તો સ્વાભાવિક છે. જેમ આપણે માતા-પિતા ભાઈ-બહેન પતિ-પત્ની જેવા અનેક સંબંધીઓ સાથે જોડાયેલા હોવાથી કુટુંબનો એક વ્યક્તિ પણ જો બીમાર પડે તો તેની અસર કુટુંબના દરેક સભ્યોના જીવન પર પડતી હોય છે. ઘરમાં એક વ્યક્તિ બીમાર પડતા અન્ય તમામ સભ્યો સ્વસ્થ હોવા છતાં દરેકને અસંખ્ય તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. વળી જો કુટુંબના એક સભ્યને સફળતા, પદ, સત્તા, ધન પ્રાપ્ત થાય તો તેનો લાભ આપોઆપ સમગ્ર કુટુંબને પ્રાપ્ત થાય છે. એ જ રીતે તમામ ગ્રહોની અસર પૃથ્વી સાથે જોડાયેલા હોવાને લીધે આપણને સતત અવિરત થતી રહે છે. મન માયાનું આશ્રયસ્થાન છે અને મન પર દરેક ગ્રહોની પ્રબળ અસર પડે છે. વળી મન જ મનુષ્યની જીવનરાહ નક્કી કરે છે. એ દ્રષ્ટિએ ગ્રહોને મનુષ્યની જીવનરાહ નક્કી કરતા અગત્યના પરિબળ તરીકે અવશ્ય જોઈ શકાય. બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોના શક્તિકિરણો જીવ માત્ર પર પડતા આંદોલનો ઉદભવે છે. જે મન અને આત્માને અસર કરે છે. જેમ સ્વીચ ઓન ઓફ થતા મશીન કાર્યરત થાય છે તે રીતે ગ્રહદશા મનુષ્યને સક્રિય કે નિષ્ક્રિય બનાવે છે. ચોક્કસ પ્રકારની ગ્રહદશા જીવનને સુખસગવડથી ભરી દે છે અને વિશિષ્ટ ગ્રહદશા જીવનને પીડામય બનાવે છે. એવું કહેવાય છે કે સુખી થવા માટે કુંડળીના ચોથા સ્થાને કોઈ ગ્રહ ન હોવો જોઈએ. કુંડળીનો ચોથો ભાવ જીવનનો અંત કે ઘડપણ ગણાય છે. જેના દ્વારા વ્યક્તિની વૃદ્ધાવસ્થા કેવી જશે તે પણ જાણી શકાય છે. ગ્રહદશા કે જન્મકુંડળી અંતે તો આપણા સંચિત કર્મોનો નકશો જ છે. ઉત્તમ કર્મો દ્વારા આ નકશો આપણે બદલી પણ શકીએ છીએ.આ સિવાય ગ્રહદશાથી છૂટવાનો બીજો કોઈ વિકલ્પ નથી.

ગ્રહોનો યોગ્ય સૂક્ષ્મ અભ્યાસ અનિવાર્ય છે કે જેથી જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય. જે ઉત્તમ કર્મ અને તપશ્ચર્યા દ્વારા જ એટલે કે યથાર્થ પુરુષાર્થ દ્વારા જ શક્ય છે એ તો સ્વીકારવું જ પડે. વરસાદ આવવાનો જો અંદાજ હોય કે તેની પૂર્વ જાણકારી હોય તો યથાર્થ પ્રયત્ન દ્વારા પલળવામાંથી કે માંદા પડવામાંથી બચી શકાય. બસ એ જ રોલ જીવનમાં ગ્રહદશાનો છે. પ્રારબ્ધ અને પુરુષાર્થની લડાઈ સદીઓથી ચાલતી આવી છે પરંતુ વાસ્તવમાં આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. સમગ્ર વિશ્વ ગ્રહોની લીલા સિવાય બીજું કાંઈ જ નથી. આપણે જે સમયે જે કંઈ વિચારીએ છીએ તે વિચાર પણ સંપૂર્ણપણે પોતાનો હોતો નથી કેમકે આપણું મગજ એક એન્ટીના છે જે ગ્રહોના મોજાને ઝીલે છે. જે આપણા દિલો દિમાગ પર છવાયેલા રહે છે અને એ અનુસાર મનુષ્ય કાર્યરત થાય છે. જે જીવનમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિ સર્જે છે જેના દ્વારા સુખ કે દુઃખ જન્મે છે જેનાથી કોઈ બચી શકતું નથી.
ગ્રહો મનુષ્ય જીવનને અસર કરે છે એ વાત ચિંતાજનક નથી. સવાલ છે માત્ર પીડાદાયક ગ્રહદશા વખતે મનોદશા સુધારવાનો અને ઉત્તમ કર્મો તરફ વળવાનો કેમકે ઉત્તમ કર્મો દ્વારા આપોઆપ મનોદશામાં પરિવર્તન આવતું હોય છે. જે પરિસ્થિતિને સહન કરવામાં અને પાર પાડવામાં સહાયક નીવડે છે. સત્કર્મો મનુષ્યને હકારાત્મક બનાવે છે જે દ્વારા વ્યક્તિના વિચારો અને નિર્ણયો સુધરે છે અને જીવન વધુ બહેતર બને છે. એટલા માટે જ શાસ્ત્રો ખરાબ ગ્રહદશા કે પનોતીના સમયે જપ તપ દાન પ્રાર્થના જેવા સત્કર્મો કરવાની સલાહ આપે છે. કેમ કે ખરાબ ગ્રહદશા વ્યક્તિની મનોદશાને નકારાત્મક બનાવે છે જે જીવનને સમસ્યાથી ભરી દે છે. એવા સમયે જો સત્કર્મો થાય તો વ્યક્તિની મનોદશા બદલાય, વિચારો હકારાત્મક બને, નિર્ણયની દિશા બદલાય અને જીવન સુધરે. જીવનની દિશા કે સુખ દુઃખ નક્કી કરતું પરિબળ માત્ર મનુષ્યનું મન છે. તમને કદાચ થશે કે જો ગ્રહોની આટલી પ્રબળ અસર થતી હોય તો દરેક પર એકસમાન થવી જોઈએ એવું કેમ નથી થતું. આ અંગે પણ એક વાત ઊંડાણપૂર્વક સમજવા જેવી છે કે જોડાણની દ્રષ્ટિએ ભલે બધા એક સરખી રીતે જોડાયેલા હોઈએ પરંતુ દરેક મનુષ્યનું state of mind કે મનોદશા જુદી જુદી હોય છે. એટલા માટે સજ્જન પોઝિટિવ દયાળુ પરોપકારી કે સાધુજીવન જીવતા માણસોને ગ્રહની અસર ન્યુનત્તમ થાય છે. પરંતુ રોગી મનોદશાવાળા અનૈતિક ભ્રષ્ટ નેગેટિવ અને દુર્જન મનુષ્યને ગ્રહદશા તીવ્રપણે અસર કરે છે. જેને આપણે તેના કર્મના ફળ તરીકે ઓળખીએ છીએ અથવા શનિ ન્યાયનો દેવતા હોવાને કારણે તેને શનિદેવે પનોતીમાં સજા આપી ન્યાય કર્યો એવું સમજીએ છીએ.

ગ્રહદશા મનુષ્યજીવનને અસર ભલે કરતી હોય પરંતુ તેમાં ગભરાવાની કોઈ જરુર નથી એ સમયે માત્ર એટલુ જ વિચારવાનું છે કે આપણી મનોદશા બદલવી કઈ રીતે? એટલે કે કયા ઉપાયો કરવા. ગ્રહોની અસર માત્ર મન પર થાય છે અને મન જ જીવનની દિશા નક્કી કરે છે જેથી ગ્રહોની અસરને સમજવા સ્વીકારવા માટે આસ્તિક નાસ્તિકના વિવાદમાં પડવા જેવું નથી. જો ગ્રહોની અસરને વૈજ્ઞાનિક રીતે સમજીશું તો તેનું નિવારણ સરળ બનશે. જ્યોતિષશાસ્ત્ર કે ગ્રહોની જીવસૃષ્ટિ પર પડતી અસરો જો સમજાઈ જાય તો તેમાંથી બચી કેવી રીતે શકાય અને પરિસ્થિતિને નિયંત્રણમાં કેવી રીતે લવાય તે પણ અવશ્ય સમજી શકાય. જીવનમાં જે થવાનું છે એટલે કે અનિવાર્ય છે તેની સાથે સહયોગ સાધવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર સંઘર્ષ માટેનું શાસ્ત્ર નથી. હું ખુશ છુ કારણ કે દુખનું હવે કોઈ કારણ નથી એ સમજવા માટે જ્યોતિષવિજ્ઞાન છે. બસ જો આટલું સમજાય જાય તો જુદી જુદી માન્યતાઓ વચ્ચેના વિવાદનો અંત આવી જાય. વિવાદમાં ઉતારવા કરતાં વિવાદ કેમ છે તેના કારણને સમજી તેને દૂર કરવાનો પ્રયન્ત થાય તો જીવનને પીડામુક્ત અને સમસ્યામુક્ત અવશ્ય બનાવી શકાય. આવી સાચી વૈજ્ઞાનિક સમજણ સાથે આજથી દરેકને ગ્રહદશા અનુકૂળ જ થશે એવી અપેક્ષા રાખું છે

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahગ્રહદશા નડતર કેટલુ વૈજ્ઞાનિક?શિલ્પા શાહ
SendShare63Tweet40Scan
ADVERTISEMENT
Previous Post

૭ દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો

Next Post

નહિ ફાવે

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
નહિ ફાવે

નહિ ફાવે

પેરેન્ટિંગ ટિપ્સ: માતા-પિતાની 10 ખરાબ આદતો જે બાળકોનું ભવિષ્ય બગાડે છે, ધ્યાનથી વાંચો

પેરેન્ટિંગ ટિપ્સ: માતા-પિતાની 10 ખરાબ આદતો જે બાળકોનું ભવિષ્ય બગાડે છે, ધ્યાનથી વાંચો

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

રાજરાજેશ્વરી શ્રી ખોડીયાર માતાજી – પ્રાગટ્ય

મહામાયા શ્રી મેલડી માતાજી

મહામાયા શ્રી મેલડી માતાજી

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર…

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.