આજે સમાજ વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યો છે. પરંતુ આજનો માનવી આ વૈજ્ઞાનિક યુગમાં પણ અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યો છે કારણ કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો પણ આજે વૈજ્ઞાનિક યુગમાં ડોક્ટરની સલાહ લેવાને બદલે તેઓ ભુવા ભગતની સલાહ લે છે. આજે ભુવા ભગતની સલાહથી કેટલાક નિર્દોષ પ્રાણીની પણ બલિ પણ ચઢાવવામાં આવે છે અને તેમાં આપણને પશુ હત્યાનો પાપ લાગે છે કેટલાક વ્યક્તિઓ હાથમાં દોરા બાંધીને તો કેટલાક લોકો આંગળીમાં ભુવા વખતે આપેલી વીંટી પહેરે છે અને તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓના કામ પૂર્ણ થઇ જશે અને આવા સમયમાં તેઓ કેટલાય પૈસાનો બગાડ કરી નાખે છે. આવા વૈજ્ઞાનિક યુગમાં આપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને લોકોને અંધશ્રદ્ધા તરફ જતા હોય તો તે લોકો ને બચાવીએ.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































