પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે.
જેમાં કાગ નાફળિયે કાગ ની વાતું , કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામીઅનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની 45 મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ તા.6-3-22 ના બપોરે 3 થી 6 સુધી પુજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગ ની વાતું વિષય અંતર્ગત અનવર મીર અને યશવંત ગઢવી (લાંબા) વક્તવ્ય પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય ,સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સાંભળશે. રાત્રીના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત થશે.
રાત્રે 9 કલાકે પુ. મોરારીબાપુ ના હસ્તે પ્રતિ વર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષ દિવંગત સ્વ મેઘરાજભા મુળુભા ગઢવી ( મઢાદ) , યશવંત આનંદભા લાંબા ( જાંબુડા ), ડો. ઈન્દુબહેન પટેલ , સ્ટેજ કાર્યક્રમ સંદર્ભમાં ભાવનાબેહન અને સંગીતાબેહન લાબડીયા તથા રાજસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ આ વર્ષ રાજસ્થાન સાહિત્યમાં પ્રદાન કરી રહેલા મહેન્દ્ર ભાણાવત ઉદયપુરને આ વર્ષે કવિ કાગ એવોર્ડ અર્પણ થશે.


















































