• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

ઉપવાસ કેવી રીતે થાય અને આહારવિવેક કેવી રીતે જળવાય?

શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

iGujju by iGujju
in સ્વાસ્થ્ય અને ફિટનેસ, i - ગુજ્જુ, આયુર્વેદ, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, હેલ્થ ટિપ્સ
Reading Time: 1 min read
102 1
A A
0
116
SHARES
430
VIEWS
Share on WhatsappShare on Facebook

ગયા રવિવારે પ્રકાશિત મારા આર્ટીકલ “શરીરને કુદરતી રીતે detox કેવી રીતે કરાય” વાંચ્યા બાદ મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વિનંતી કરી કે મેડમ ઉપવાસ કેવી રીતે કરાય, આહારવિવેક કોને કહેવાય અને કેવો આહાર ગ્રહણ કરાય તેના પર આર્ટીકલના રૂપમાં પ્રકાશ પાડો એવી નમ્ર અરજ, જેથી આજનો આ આર્ટીકલ તેના જેવા અનેક ઉત્સાહી વાંચકો માટે છે જે જીવનમાં આરોગ્યના મહત્વને સમજે છે. ઉપવાસ અને આહાર અંગે સૂક્ષ્મસ્તરે ઊંડાણ પ્રાપ્ત કરવા એકસાથે અનેક બાબતો પર વિચારવું પડે જેમ કે જીવનમાં આહારની જરૂરિયાત કેટલી? સાત્વિક આહારની શું ભૂમિકા? ઉપવાસ શા માટે? ઉપવાસ કોને કહેવાય? ઉપવાસ કેવી રીતે કરાય? ઉપવાસ માત્ર ધાર્મિક માણસો માટે જ છે કે બુદ્ધિશાળી માણસો પણ કરી શકે?

અન્ન જીવનનો આધાર છે કેમ કે દરેક જીવનો પ્રાણ અન્નમાં છે. આહાર જીવનને ટકાવે છે, શરીરને પોષણ આપે છે એટલે તેને સદંતર છોડી શકાય નહિ પરંતુ આહારગ્રહણ અંગે વિવેક કેળવી શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં રસ ધરાવનાર વ્યક્તિએ એ તો સમજવું જ પડે કે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે કેટલા અને કેવા આહારની આવશ્યકતા છે? કોઈપણ બાબતમાં અતિરેક હંમેશા ગંભીર પરિણામ આપે છે. અંગ્રેજીમાં એક કહેવત છે ” Excess in everything is poison” દરેક બાબતોનો અતિરેક ઝેર સમાન છે. એટલા માટે તમામ ધર્મો પણ સમતા શીખવે છે. દરેક બાબતમાં પ્રમાણસરનું ખૂબ મહત્વ છે. ખોરાકની બાબતમાં પ્રમાણસરનો મતલબ છે ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું. જે સમયે શરીર જેટલું પચાવી શકે એટલું ખાવું. ટૂંકમાં ઉમર અને પાચનક્ષમતા અનુસાર ખાવું જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ પોતાની ભૂખના ચાર ભાગ કરવા જોઈએ,જેમાંથી 50% ખોરાકથી, 25% પાણીથી અને 25% હવાની(ઓક્સિજન) જગ્યા રાખવી જોઈએ જેથી પાચનક્રિયા સરળ બને તેમ જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે. આમ કુલ ભૂખના બે ભાગ અનાજ, એક ભાગ પાણી (જેમાં દાળ ,છાશ, જ્યુસ વગેરે લઈ શકાય) અને એક ભાગ હવા(ઓક્સિજન) માટે રાખવો ઉત્તમ છે. એક આહારશાસ્ત્રીના અનુભવ અનુસાર તંદુરસ્ત માણસનો 24 કલાકનો આહાર 500 ગ્રામ રાંધેલા ખોરાક કરતાં વધારે હોવો ન જોઇએ. લૂઈ કાર્નેરો તેના પુસ્તક ” શતાયુ કેમ થવાય?” તેમાં આ જ વાત નોંધે છે. ગાંધીજી કહેતા, અલ્પાહાર આરોગ્યની ચાવી છે. અલ્પાહાર એટલે તોલી, માપી, જોખીને નિયત કરેલો સંયમિત ખોરાક. અલ્પાહારથી મગજની કામ કરવાની શક્તિ તેમજ સ્મરણશક્તિ ખીલી ઊઠે છે. અલ્પાહાર brain tonic છે. જરૂરીયાત કરતા વધારે ખાધેલા ખોરાકને પચાવવામાં શરીરની મોટાભાગની શક્તિ વપરાઈ જાય છે જેથી સ્ફૂર્તિ કે તાકાતની કમી વર્તાય છે અને ઉર્જા કે શક્તિની કોઈ બચત રહેતી નથી. ટૂંકમાં અલ્પઆહાર કે ઉપવાસ સતત નીરોગી રહેવાની ચાવી છે.
સતયુગમાં પ્રાણ અસ્થિમાં હતા જેથી કઠીન ઉપવાસ સહજ બનતા પરંતુ કલિયુગમાં પ્રાણ અન્નમાં છે જેથી કઠિન ઉપવાસ આપણા માટે શક્ય નથી. પરંતુ ખોરાકમાં વિવેક ખુબ જરૂરી છે. જીવવા માટે ખાવાનું છે. ખાવા માટે જીવવાનું નથી. સ્વાદ કે જીભ પર કાબૂ ન હોય, મિતાહારની સમજ ન હોય, ખાવા-પીવાની રીત ન હોય અને જરૂરી વિવેક ન હોય તો શરીર માટે અતિ ઉત્તમ ખોરાક પણ ઝેર સમાન બની જાય છે. આહારમાં શિસ્તની ખુબ આવશ્યકતા છે. સ્વાદના આનંદ માટે જમવું એ પાપ છે એવું ધર્મગ્રંથોમાં જણાવાયું છે. અમૃતને પણ જો અમાપપણે ગ્રહણ કરવામાં આવે તો ઝેર બની જાય છે. વળી સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં સાત્વિક આહારની અગત્યની ભૂમિકા છે. રમણ મહર્ષિ જણાવે છે કે તમારા સ્વાસ્થ્યને હિતકારી હોય તે આહાર પ્રમાણસર ગ્રહણ કરવો જોઈએ. ગમે તેટલો ભાવતો ખોરાક જો આરોગ્યને અનુકુળ ન હોય તો તેનો મોહ છોડી દેવો જોઈએ. શરીરના નિભાવ માટે ખોરાક ઔષધિની જેમ ગ્રહણ થવો જોઈએ અને એ તો સમજી શકાય એવી વાત છે કે ઔષધી ગમે તેટલી સ્વાદિષ્ટ હોય મર્યાદા બહાર ન જ ખવાય. વળી આહાર તીખો, ખાટો, અતિ મસાલેદાર તામસી ન લેતા ખૂબ સાદો પથ્ય અને સાત્વિક ગ્રહણ કરવો સલાહભરેલ છે. જે જીભ કે સ્વાદ પર નિયત્રણ રાખી શકે છે તે તમામ ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે છે. ઇન્દ્રિયો કાબૂમાં આવતા મન નિયંત્રિત બને છે અને વ્યક્તિની ઉત્તમ તરફની યાત્રા એટલે કે નૈતિક અને સદગુણી બનવાની યાત્રા સહજ બને છે.

આહારને ઈશ્વરનો પ્રસાદ સમજી ખૂબ પ્રેમ, અહોભાવ, માનસિક શાંતિ અને પ્રસન્નતા સાથે ગ્રહણ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે. એટલે જ તો હિંદુધર્મમાં અન્નની સરખામણી બ્રહ્મ સાથે કરવામાં આવી છે. અન્ન બ્રહ્મ તરીકે તમને આશિર્વાદ આપે એટલી શિસ્ત સાથે તેને ગ્રહણ કરવો જોઈએ. વળી અન્નની શુધ્ધતા અને પવિત્રતા પણ એટલી જ જરૂરી બાબત છે. રસોડું, રસોઈના વાસણો, રસોઈની સામગ્રી, રસોઈ બનાવનાર વગેરે દરેકની શુધ્ધતા સંપૂર્ણ આરોગ્ય માટે અનિવાર્ય છે. આ ઉપરાંત ગૃહિણીએ ખુબ સારા વિચારો અને ભગવદસ્મરણ સાથે રસોઈ બનાવવી જોઈએ. જેથી સમગ્ર પરિવાર હકારાત્મક બને. માત્ર ભોગવૃત્તિથી ગ્રહણ કરેલો ખોરાક આપણામાં કામ, ક્રોધ જેવા કષાયોની વૃદ્ધિ કરે છે જયારે ઈશ્વરસ્મરણ સાથે બનાવેલ ખોરાક અને કૃતજ્ઞભાવથી પ્રભુસ્મરણ કરતા-કરતા ગ્રહણ કરેલ અન્ન બ્રહ્મ બની તન, મન અને આત્માની પુષ્ટિ કરે છે.
જીવનપર્યંત આપણા શરીરને ખોરાકની સતત આવશ્યકતા રહે છે. હોજરીમાં ગયેલા ખોરાકના જે ભાગનું પાચન થઇ શરીરમાં શોષાય છે તે આપણા શરીરનો એક ભાગ બની જાય છે. આ ભાગ ચોક્કસ રીતે આપણા શરીરના સ્વાસ્થ્યને અસર કરે છે એટલું જ નહિ પણ તેની ગુણવત્તાની અસર મન પર પણ થાય છે. તેના સૂક્ષ્મ આંદોલનો આપણો સ્વભાવ ઘડે છે અને પછી તેમાંથી ચિત્ત બને છે. આમ ખોરાકની શરીર, મન અને આત્મા એમ ત્રણ પર ઊંડી અસર પડે છે. જેના દ્વારા વ્યક્તિના વાણી, વિચાર અને વર્તનની દિશા નક્કી થાય છે. વ્યક્તિ કે સમાજને નીતિપૂર્ણ અને મૂલ્યવાન બનાવવામાં સાત્વિક શુદ્ધ આહાર તેમ જ ઉપવાસનો અગત્યનો ફાળો છે. એટલે જ તો કહેવાય છે ‘અન્ન એવું મન’. આત્માની શુદ્ધિનો આધાર મનની શુદ્ધિ પર છે કેમકે તમામ પ્રકારની અશુદ્ધિ મનમાંથી જ પ્રવેશે છે. મનની શુધ્ધતાનો આધાર તનની શુધ્ધતા ઉપર છે જે આહારવિવેક અને ઉપવાસ દ્વારા શક્ય બને છે.

આધુનિકયુગમાં જે પ્રકારનો ખોરાક (Junk food) ગ્રહણ કરવામાં આવે છે તેના દ્વારા ઉત્તમ પરિણામ મેળવવું અશક્ય છે કેમ કે Junk નો અર્થ જ છે ‘કચરો’. આમ કચરો ગ્રહણ કરવાથી વાણી, વિચાર અને વર્તન ભદ્ર અને શુદ્ધ કેવી રીતે બની શકે? પછી આપણે સતત અભદ્ર અને અસંસ્કારી સમાજ દ્વારા સર્જાતા ઉપદ્રવોથી પરેશાન રહીયે તેમાં શું નવાઈ? આહારવિવેક કે સાત્વિક આહાર દ્વારા જ જ્ઞાન કોઠે ચડે, મન હકાતાત્મક બને, ઉત્તમ આચરણ કે પરોપકારની ઈચ્છા થાય, ધર્મ તરફ જીવ વળે અને આ રીતે સમગ્ર સમાજ મૂલ્યવાન બની શકે.
લગભગ તમામ ધર્મોમાં ઉપવાસનુ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. હિંદુધર્મમાં શ્રાવણ મહિનો, મુસ્લિમમાં રોજા, જૈનોમાં પર્યુષણ દ્વારા ઉપવાસની જ અગત્યતાનું ગુણગાન થાય છે. પ્રશ્ન એ થાય છે કે ઉપવાસ શા માટે? ઉપવાસ થાય કેવી રીતે ? અને ઉપવાસની વાસ્તવિક રીત શું છે? શા માટે દરેક ધર્મે ઉપવાસ કરવા પર ભાર મુક્યો છે. હિંદુધર્મમાં દર પંદર દિવસે ઉપવાસ (અગિયારસ) કરવાની સલાહ છે. વિજ્ઞાન સ્વીકારે છે કે જયારે શરીરમાં ખોરાક જતો નથી ત્યારે શરીરમાં રહેલા પાચકરસો ભોજન ના મળતા અન્ય વિષદ્રવ્યો (toxin) અને ના પચેલા કચરાને સાફ કરે છે જે તમામ રોગોનુ મૂળ છે. આમ તંદુરસ્ત જીવવા અને તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ ખૂબ જરૂરી છે. પરંતુ તે દિવસે એક હદથી વધારે ફલાહાર કરવું કોઈ રીતે યોગ્ય નથી કેમ કે નહીતો ઉપવાસ પાછળ રહેલું વિજ્ઞાન કામ કરતુ નથી અને ઉપવાસને લોકો બેકાર અને અયોગ્ય માનવા માંડે છે. જે પ્રકારે આધુનિકયુગમાં ઉપવાસ થાય છે અતિશય ફરાળ (ફલાહાર નહિ) દ્વારા તેનાથી તો રોગમુક્તિને બદલે રોગવૃદ્ધિ થાય છે. આપણે આગળ જોયું કે ઉપવાસ સિવાય પણ દૈનિક જીવનમાં આહારવિવેક એટલે કે આહારને ઔષધીની જેમ ગ્રહણ કરવો અનિવાર્ય છે તો વિચારો ઉપવાસમાં તો એનાથી પણ વિશેષ વિવેક અને સંયમની જરૂરિયાત રહે એ તો સમજી શકાય એવી વાત છે.

કર્મની થીયરી અનુસાર જેટલા ખરાબ કર્મો તેટલા ખરાબ તેના ફળ ભોગવવા પડે. જયારે તમે ઉપવાસ, ત્યાગ, સંકલ્પ કે કઠીન નિયમો પર જીવો છો ત્યારે તમે એડવાન્સમાં તમારા કર્મો ભોગવી લો છો. ઓચિંતું એકસાથે વધુ ભોગવવું તેના કરતા હપ્તે-હપ્તે ભોગવવામાં સરળતા રહે છે. કોઈક ખરાબકર્મને કારણે ભૂખ્યા રહેવાનું કર્મ બંધાયું હોય તો તે ઉપવાસ કરીને ભોગવાય, માંદા પડીને ભોગવાય અને પત્નીની સાથે ઝગડી થાળી પછાડીને જતા રહેવાથી પણ ભોગવાય, કયું સારું? તે તો વ્યક્તિએ પોતે જ નક્કી કરવું રહ્યું. તપશ્ચર્યાની આગમાં શુદ્ધ થઇને પરમપદ પામી શકાય. તમારા ખાતામાં એટલું પુણ્ય તો હોવું જોઈએ કે પાપીઓ તેને ઓળંગી ન શકે એટલે કે તેઓ તમને કોઈ કષ્ટ પહોચાડી ન શકે.

ઉપવાસ ત્રણ રીતે થઈ શકે ૧) નિર્જળા ઉપવાસ – જેમાં પાણી પણ પીવાની છૂટ નથી ૨) નકોડો ઉપવાસ -જેમાં માત્ર પાણી પીવાની છૂટ છે પરંતુ ભોજન કે ફલાહાર કરી શકાતું નથી ૩) ફલાહાર ઉપવાસ એટલે ફળનો આહાર, ફળ + આહાર = ફલાહાર (ફરાળી ઉપવાસ નહિ) – જેમાં માત્ર દૂધ અને ફળફળાદી લેવાની છૂટ હોય છે. ફરાળના નામે નતનવી વાનગીઓ સ્વાદ અને ભોગવૃત્તિના હેતુસર અતિશય માત્રામાં ખાવાને ઉપવાસ કોઈ રીતે ગણી શકાય નહિ. ઉપવાસ કોઈ ધાર્મિક ક્રિયા માત્ર નથી કે ધાર્મિક માણસે કરવી જ પડે નહીતો તે નરકમાં જાય અને અધાર્મિક માણસ ન કરે તો ચાલે. ઉપવાસ વાસ્તવમાં અતિ વૈજ્ઞાનિક ક્રિયા છે જે પ્રાચીન ઋષિમુનીયોએ ધર્મના નામે સૂચવી છે. જેના દ્વારા આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે જેની આવશ્યકતા અધાર્મિક માણસને પણ ધાર્મિક માણસ જેટલી જ રહે છે. ધાર્મિક રીતે વિચારીએ તો ઉપવાસનો અર્થ થોડો વિશિષ્ટ છે જેમાં બે શબ્દો છે “ઉપ” એટલે સમીપ અને “વાસ” એટલે રહેવું. આમ ઉપવાસ એટલે ઈશ્વરની સમીપ રહેવું. સામાન્ય રીતે મનુષ્યોનો મોટાભાગનો સમય ખાવાનું બનાવવામાં અને ખાવામાં જ વ્યતીત થતો હોય છે, ઈશ્વર માટે સમય મળતો જ નથી જેથી ઉપવાસના નામે રસોઈના કામમાંથી ફૂર્શત મળે છે અને પ્રભુભક્તિ માટે થોડો સમય કાઢી શકાય છે.

તંદુરસ્ત જીવવા તેમ જ તમામ રોગોથી મુક્તિ મેળવવા ઉપવાસ કરવા જરૂરી છે પરંતુ ઉપવાસ પણ મર્યાદામાં જ થવા જોઈએ. પંદર દિવસે એક ઉપવાસ સલાહભરેલ છે અને એ પણ જો આઠમ થી પૂનમ કે અમાસ દરમ્યાન થાય તો શ્રેષ્ઠ છે કેમ કે આ દિવસોમાં પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રથી સ્થિતિ એવી બને છે કે જેની મહતમ અસર પાણી પર થાય છે અને મનુષ્ય શરીર ૭૦% પાણીથી બનેલું છે જેથી તેના પર સવિશેષ અસર જોવા મળે છે અને ઉપવાસ ઉપયોગી સાબિત થાય છે. ચોક્કસ તિથીઓમાં મગજ સૂર્ય-ચંદ્રની વિશેષ સ્થિતિને કારણે લગભગ મદહોશ જેવું બને છે જેથી આવા દિવસોમાં કરેલું ભોજન રોગને નિમંત્રણ આપે છે. શિકાગોની ઈલીનોઈ યુની.ના વૈજ્ઞાનિક ડો.શલ્ફ મોરીસને તેમની બુક “Impact of moon on human being” માં લખ્યું છે કે પૂનમ મનુષ્યની શારીરિક અને માનસિક વેદના વધારવાનું કામ કરે છે. પૂનમ વ્યક્તિના BP, heart beats વધારે છે. વળી metabolism ફાસ્ટ કરે છે. મગજના રોગો વધારે છે. સ્વીડનના વૈજ્ઞાનિક સેન્ટી અરહેનીસે નોધ્યું છે કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર શૂન્ય ડીગ્રી પર હોય છે ત્યારે ફીટ આવવી, પાગલપન, મનના રોગો અને ચામડીના રોગો વધે છે અને જયારે સૂર્ય ચંદ્ર ૧૮૦ અંશ પર હોય ત્યારે પણ આ જ અસર થાય છે. આઠમથી પૂનમ કે અમાસ સુધીની પરિસ્થિતિ ચંદ્રની ખરાબ સ્થિતિ દર્શાવે છે જેની માનવીના તન અને મન પર વિશેષ અસર થાય છે. જે રોકવા માટે ઉપવાસનુ સૂચન છે.

ઉપવાસ અનેક પ્રકારના હોઈ શકે જે વ્યક્તિને અવશ્ય નીરોગી અને દીર્ધાયું બનાવે છે. જેમ કે
૧) પ્રાત:કાળનો ઉપવાસ એટલે break-fast ન કરવો, સવારનો નાસ્તો છોડવો.
૨) સાંજનો ઉપવાસ જેને આપણે એકટાણું કહીએ છીએ. એટલે માત્ર એક ટાઇમ ખાવું.
૩) એકહારોપવાસ – જેમાં એકસમયે એક જ વસ્તુ ખાવાની હોય છે. દિવસે રોટલી ખાવ તો રાત્રે ફક્ત શાક કે દૂધ લેવાય.
૪) રસોપવાસ: એટલે ફળોનો કે શાકનો રસ માત્ર ગ્રહણ કરવો.
૫) ફળોપવાસ: એટલે ફક્ત ફળો ઉપર રહેવું.
૬) દુગ્ધોપવાસ: એટલે ફક્ત દૂધ ઉપર રહેવું.
૭) તકોપવાસ: એટલે ફક્ત છાશ ઉપર રહેવું.
૮) પૂર્ણાપવાસ: એટલે નકોડો ઉપવાસ ફક્ત પાણી ઉપર રહેવું.
૯) સાપ્તાહિકોપવાસ: એટલે અઠવાડિયામાં એકવાર નકોડો ઉપવાસ કરવો.
૧૦) લઘુઉપવાસ: એટલે દૈનિક જીવનમાં સામાન્ય ભોજન કરતાં અડધું ખાવું.

આવા તમામ પ્રકારના ઉપવાસ વ્યક્તિ પોતાની પ્રકૃતિને માફક આવે તે રીતે કરી શકે જે દરેક માટે ફાયદાકારક છે. વળી ઉપવાસ કરી પોતાની જાતને ધાર્મિક કે ઉત્તમ સમજવાનો અહંકાર કદી ન કરવો કેમ કે ઉપવાસ ધાર્મિક કરતા વિશેષ તો વૈજ્ઞાનિક ક્રિયા છે જે ધાર્મિક કે અધાર્મિકના ફર્કને નથી સમજતી અને દરેકને એકસરખો લાભ આપે છે. અધાર્મિક માણસ પણ ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉપવાસ કરી શકે. સાચી સમજણ સાથે અને યોગ્ય રીતે ઉપવાસ કરતા માણસને હું તો ખૂબ બુદ્ધિશાળી માનું છે કે જે દિલથી ધાર્મિક અને દિમાગથી વૈજ્ઞાનિક છે. ગંગામાં ધાર્મિક ભાવનાથી સ્નાન કરનારને મનશુદ્ધિ અને તનશુદ્ધિનો બેવડો લાભ મળે છે જયારે અધાર્મિક માણસને થોડો ઓછો પણ કમસેકમ તનશુદ્ધિનો લાભ તો તે પણ અવશ્ય મેળવે છે. ઉપવાસનું પણ કંઈક એવું જ છે. તો આજથી કમ-સે-કમ પંદર દિવસે એકવાર ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉપવાસ અવશ્ય કરવો એવું મારું સર્વને નમ્ર સૂચન છે.

~ શિલ્પા શાહ,
ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: diatfastingshilpa shahશિલ્પા શાહ
SendShare46Tweet29Scan
ADVERTISEMENT
Previous Post

ખાટી મીઠી

Next Post

એક પાનખરના ઝાડને

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
એક પાનખરના ઝાડને

એક પાનખરના ઝાડને

કવિતા લખવી હોય તો લખો…

કવિતા લખવી હોય તો લખો...

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.