નમસ્કાર મિત્રો,
આગામી તા. 21 મી જૂને સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આ દિવસે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ અને પ્લૂટો – એમ સાત ગ્રહો એકસાથે વક્રી ભ્રમણ કરવાના છે, જેને મહાચૂડામણિયોગ પણ કહે છે. આ યોગ સર્વત્ર પરેશાની અને વિનાશ નોતરનારું માનવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ચાર, પાંચ, છ કે સાત ગ્રહો એક સાથે વક્રી ભ્રમણ કરે ત્યારે આંશિક માલિકાના યોગને પણ સર્જે છે. આ યોગ દરમિયાન ભગવાન પૃથ્વી પરનો પાપનો ભાર ઓછો કરે છે. ઘણા બધા મોટા બદલાવો અને ઉથલપાથલ સર્જાય છે. તમામ અતિશયોક્તિ કે જે દુનિયાનું સંતુલન બગાડી રહી છે, તેનો નાશ કરીને સંસારમાં સમતુલા જાળવે છે. સંહાર થકી નવસર્જનની શરૂઆત થાય છે. જૂન પછીના છ મહિના સમસ્ત દેશ દુનિયા માટે અતિ ભારે સાબિત થવા જઈ રહ્યા છે.
આપણે જોઈએ છીએ કે તાજેતરના વર્ષોમાં આપણે સહુ કોઈ કુદરતથી ઉપરવટ જઈને કાર્યો કરી રહ્યાં છીએ તથા અતિશયોક્તિમાંથીપણ બાકાત નથી રહ્યા ત્યારે હવે કુદરતે આપણને આપણા અસલ સ્થાન પર પાછા લાવવા માટેના યોગનું સર્જન કરી લીધું છે. તમામ મહાસત્તાઓ વિનાશકારી શસ્ત્રોનું ઉત્પાદન કરી રહી છે. કોઈ દેશ વાઈરસ બનાવી રહ્યું છે તો કોઈ દેશના નેતાઓ સવર્વોચ્ચ શિખરે બેસવા ખોટા નિર્ણયો લઈને ખોટા કાર્યો કરી રહ્યાં છે ત્યારે એ તમામને રસ્તે લાવવા કુદરતી રીતે આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ગ્રહણ તથા બેનો યોગનો મિલાપ આ તમામ બદીઓ દૂર કરીને નવસર્જનનો નવો માર્ગ રચવા જઈ રહ્યું છે. ગ્રહણનો સ્પર્શ સમય સવારે 10 ક. 03 મિ. 29 સે. નો છે. 11 ક. 41 મિ. 47. સે. ગ્રહણ મધ્યભાગમાં સ્પર્શશે. બપોરે 13 ક. 32 મિ. 28 સે. ગ્રહણ મોક્ષ પામશે. આ ગ્રહણ દેશ દુનિયાના લોકો માટે શુભાશુભ ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ રાશિવાર સૂર્યગ્રહણનું ફળ અને તેના ઉપાયો વિશે.
સૂર્યગ્રહણના શુભાશુભ ફળો
આફ્રિકા અને એશિયા – આ બે ખંડોમાં જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળ થાય તેવી શક્યતાઓ છે. સમુદ્રતળે ભકંપના આંચકા, કે જેને આપણે ત્સુનામી કહીએ છીએ તે પણ આવવાની તૈયારીઓ વર્તાઈ રહી છે. જ્યાં નાના ટાપુઓ છે, તે જળમગ્ન થઈ જાય અને બીજી તરફ નવા ટાપુઓનું સર્જન થઈ શકે છે.
સૂર્યગ્રહણના રાશિવાર શુભાશુભ ફળો
મેષ – આ રાશિના લોકો માટે ગ્રહણ અમુક અંશે શુભ છે. જે લોકોની કુંડળીમાં ગ્રહણ યોગ, શનિ કે સૂર્યની નીચ સ્થિતિ છે તેવા અપવાદ જાતકોને બાદ કરતા એકંદરે આ રાશિ માટે ગ્રહણ સારું છે. અટકેલા કાર્યો પૂરા થાય. ધન લાભ થાય. નવા કાર્યોની શરૂઆત થાય.
મિથુન – આ ગ્રહણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને મોટી ઘાત આવી રહી છે. કુટુંબમાં મતભેદ, મનભેદ થઈ શકે છે. પતિ પત્નીના સંબંધોમાં કડવાશ આવી શકે છે. જો આ કડવાશ લાંબા સમયથી ચાલી રહી હશે તો છૂટા પડવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે. પેટની તકલીફો ઊભી થઈ શકે. શસ્ત્રક્રિયા કરાવવી પડે આવા પણ સંજોગો આવી શકે છે. વાણી પર કાબૂ રાખવો. શત્રુઓ વધે તેવી શક્યતાઓ છે.
સિંહ – આ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. અચાનક કોઈ ધન મળે અથવા અટકેલા કાર્યોથી ધન લાભ થઈ શકે છે. 36 થી 39 વર્ષની આયુ ધરાવતા લોકોનો પ્રોપર્ટી સંબંધિત પ્રોબ્લેમ દૂર થશે. આવા જાતકોની કુંડળીમાં જો શનિ સારા સ્થાનમાં હશે તો તેઓ નવી પ્રોપર્ટી વસાવી પણ શકે છે. સ્થળાંતર થઈ શકે છે.
તુલા – હાલ તુલા રાશિ પર અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. 23 સપ્ટેમ્બર 2020 થી રાહુ આ જાતકોની કુંડળીમાં આઠમા સ્થાને આવે છે, જે અકસ્માત થઈ શકે તેવા યોગનું સર્જન કરે છે. આંધળા પગલા ભરવા નહિ. આપના આખા પરિવાર પણ આ અસરો વર્તાઈ શકે છે.
વૃશ્ચિક – આ રાશિના એ જાતકો જે પહેલાથી માંદગીમાં પીડાઈ રહ્યા છે, તેઓની બીમારીમાં વધારો થાય. અલ્સર, લોહીની બીમારી, મધુપ્રમેહ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. સ્ત્રીઓને ગર્ભાશય સંબંધી ચેપ અને માસિકધર્મ સંબંધી પીડા થઈ શકે છે. ધંધાદારી માણસોને તેમના પાર્ટનર દગો આપી શકે તેવી ઘટના બનવાની તકો સર્જાય છે.
ધન – જેની રાશિમાં ગ્રહણયોગ છે, તેવા જાતકોએ ખાસ સંભાળવું. હરસ-મસા-ભગંદરની બીમારી હોય તો વકરી શકે છે. નોકરીમાં બેધ્યાન લોકોની નોકરી જવાના સંજોગો સર્જાય છે. કાયદાકીય ગૂંચમાં પડવું નહી અન્યથા જેલયોગ પણ સર્જાય છે. પત્ની સાથે અણબનાવ થઈ શકે છે. ભાગીદારો સાથે મનમોટાવ થઈ શકે છે. ધંધામાં આર્થિક નુકસાની વેઠવી પડે તેવા યોગ છે. સમાજમાં બદનામી થઈ શકે છે. અંગત વ્યક્તિ તરફથી દગો થઈ શકે છે.
મકર – અટકેલા કાર્યો તો થશે એ સિવાયના રોજિંદા કાર્યોમાં ઝડપી પરિણામો આવે. પનોતી ચાલતી હોવાને લીધે તમામ પગલા સાચવીને લેવા. શનિની આરાધના સંપૂર્ણ રીતે શુભ ફળદાયી રહેશે.
વૃષભ, કર્ક, કન્યા, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ સરેરાશ ફળદાયી રહેશે. જેમની કુંડળીમાં શનિ-સૂર્ય, સૂર્ય-રાહુ, સૂર્ય-કેતુ જેવી યુતિ છે અથવા સૂર્ય કે શનિ અશુભ સ્થાનોમાં બિરાજેલા છે તેમણે ચોક્કસ પોતાની રાશિ મુજબના ઉપાયો કરવા.
સૂર્યગ્રહણના રાશિવાર ઉપાયો
- જેમની કુંડળીમાં નીચેની યુતિ છે તેમણે તે મુજબના ઉપાયો કરવા.
- શનિ-સૂર્ય – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- સૂર્ય-રાહુ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- સૂર્ય-કેતુ – એક શ્રીફળ, સાત બદામ, ત્રણ લીંબુ અને ત્રણ કેળા સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- દરેક લોકોએ પોતાના આરાધ્ય દેવ કે કુળદેવીના જાપ કરવા.
- ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા કે સાંભળવા.
- ગ્રહણના મોક્ષ પછી ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્રનું દાન કરવું.
- જે લોકોને પનોતી ચાલે છે તેઓએ આઠ બદામનું મંદિરમાં દાન કરવું. આમ ત્રણેક મહિના સુધી શક્યતા મુજબ કરતા રહેવું.
- મેષ રાશિના જાતકોએ કુંવારિકા કે ભૂખ્યાને કોઈ પણ મીઠૂ વસ્તુ ખવડાવવી. હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- વૃષભ રાશિના જાતકોએ ગાયની સેવા કરવી, ઘાસ નીરવું, જુવાર, કપૂર અને સફેદ સુતરાઉ વસ્ત્રનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મિથુન રાશિના જાતકોએ સાત અનાજ ભેગા કરીને તેનું દાન કરવું. રાત્રે મગ પલાળીને સવારે પક્ષીઓને ખવડાવવા. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કર્ક રાશિના જાતકોએ ચોખા, દૂધનું દાન કરવું. કૂતરાને દૂધ પાવવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- સિંહ રાશિના જાતકોએ ઘઉં, ગોળ, તાંબાનું વાસણ, લાલ વસ્ત્રનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કન્યા રાશિના જાતકોએ મગનું દાન કરવું. કુંવારિકાઓને મીઠું દૂધ પીવડાવવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- તુલા રાશિના જાતકોએ ખીરનું દાન કરવું. સારી જાતના ચોખા, કોટન કપડું, કપૂરનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- વૃશ્ચિક રાશિના જાતકોએ મસૂર, ખાંડનું દાન કરવું. એક મુટ્ઠી રેવડી કે ખાંડ પોતાને માથેથી સાત વાર ઓવારીને નદીમાં વહેતી કરવી કે મહાદેવના મંદિરે ચડાવવી. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- ધન રાશિના જાતકોએ કાળા ચણા, ચણાની દાળ, કેસર, હળદરનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મકર રાશિના જાતકોએ કાળા અડદ, કાળા તલ, કાળું વસ્ત્ર, લોખંડનું વાસણ દાન કરવું. લોખંડના પાત્રમાં સરસવનું તેલ ભરીને તેમાંથી છાયાપાત્ર કાઢવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કુંભ રાશિના જાતકોએ કાળા અડદ, કાળા મરી તથા લોખંડના કાળા વાસણમાં કાળા તલ ભરીને તેનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મીન રાશિના જાતકોએ ચણાની દાળ, કેસર, હળદરનું દાન કરવું તથા ચણાના લોટની કોઈ પણ એક વાનગી મજૂરોને ખવડાવવી જોઈએ. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
મિત્રો, દુનિયામાં એવી કોઈ જ સમસ્યા નથી જેનું સમાધાન ન હોય. આપ સૌ વિશ્વાસ રાખીને ઉપાયો કરો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને સત્કર્મ કર્યે જાઓ. સાચા માણસોને ઈશ્વર કદી દંડ આપતો નથી.
આપ સૌને આદિત શાહના જય અંબે…
વધુ માર્ગદર્શન કે જાણકારી માટે આપ પર 8306411527 સંપર્ક કરી શકો છો.


















































