દેશમાં કોરોનાવાયરસ દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યા અને ઓક્સિજન(Oxygen) ની અછતને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે 23 મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ(Mobile Oxygen Generation Plant)ને જર્મનીથી વિમાન દ્વારા શિપિંગ કરવાનો નિર્ણય લીધો છે.
શુક્રવારે માહિતી આપતા, સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ જણાવ્યું કે, દરેક મોબાઇલ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ મિનિટ 40 લિટર ઓક્સિજન અને કલાકમાં 2400 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની છે. આ પ્લાન્ટ કોવિડ-19 દર્દીઓની સારવાર કરતી આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસ (AFMS) હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.
મંત્રાલયનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે 4 દિવસ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રોગચાળાને પગલે તબીબી માળખાગત સુવિધામાં સુધાર લાવવાના ઉદ્દેશથી જરૂરી ખરીદી માટે ત્રણેય સેવાઓ અને અન્ય સંરક્ષણ એજન્સીઓને ઈમરજન્સી ઓફિસર પ્રદાન કરવાની ઘોષણા કરી હતી.
બાબુએ કહ્યું, આ ઓક્સિજન પ્લાન્ટ એક અઠવાડિયામાં ભારત પહોંચશે. તે જ સમયે, અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરી પેપરવર્કની કામગીરી પૂર્ણ થતાં, ભારતીય વાયુસેનાને જર્મનીથી પ્લાન્ટ લાવવા માટે વિમાનને તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી કે વધુ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટની વિદેશમાંથી ખરીદી કરી શકાય છે.
VR Sunil Gohil


















































