ન્યુયોર્કમાં એક મોટો પત્રકાર એક સાધુ”નો ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
પત્રકાર : સર! તમે તમારા પ્રવચનમાં “સંપર્ક” (“Contact”) અને જોડાણ (“Connection”) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ”માં મુકનારી છે, શું તમે સરળ ભાષામાં બે વચ્ચેનો ભેદ સમજાવી શકશો ?
સંન્યાસીએ સ્મિત કર્યું અને તે પત્રકારને પૂછ્યું : તમે ન્યુયોર્કમાં રહો છો ?
પત્રકાર : હા.
સંન્યાસી : તમારા ઘરમાં કોણ કોણ છે ?
પત્રકારને લાગ્યું કે “સાધુ” એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે “સાધુ”નો સવાલ “બહુ જ વ્યક્તિગત” અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો. છતાં પણ પત્રકાર બોલ્યો: મારી “મા” હવે નથી, “પિતા” છે અને “3 ભાઈઓ” અને એક “બહેન” છે. બધા જ પરણેલા છે.
સંન્યાસીએ ચહેરા પર સ્મિત લાવી પૂછ્યું : તમે તમારા “પિતા” સાથે વાત કરો છો ?
પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું : તમે તમારા “પિતા” સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી ?
પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો : કદાચ એક મહિના પહેલા !
સંન્યાસીએ પૂછ્યું : શું તમે ભાઈ બહેન કાયમ મળો છો? તમે બધા જ એક “પરિવાર”ની જેમ છેલ્લા ક્યારે મળ્યાં હતાં?
એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ હું લઉં છું કે આ સાધુ ? એવું લાગ્યું જાણે સાધુ પત્રકારનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે ? એક ઉદાસીભર્યા ઉદગાર સાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં “ક્રિસમસ” પર.
સંન્યાસીએ પૂછ્યું : કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા?
પત્રકાર પોતાની આંખોમાંથી નીકળેલા આંસુઓ લૂછતાં બોલ્યો : “ફક્ત 3 દિવસ” !
સંન્યાસીએ પૂછ્યું : કેટલો સમય તમે ભાઈ-બહેનોએ તમારા પિતાની એકદમ નજીક બેસીને પસાર કર્યો?
પત્રકાર “હેરાનગી” અને “શર્મિન્દગી” અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું : શું તમે તમારા પિતા સાથે નાસ્તો કર્યો છે ? બપોરે કે રાત્રે સાથે જમ્યા છો? શું તમે તમારા પિતાને પૂછ્યું કે “કેમ છો”? તેમની તબિયત કેવી છે? માતાના “મૃત્યુ” પછી તેમનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે ?
સંન્યાસીએ પત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું : શરમાશો કે દુઃખી ના થશો. મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો ! પરંતુ “આ જ” તમારા સવાલનો જવાબ છે. સંપર્ક અને જોડાણ (Contact and Connection). તમે તમારા પિતા સાથે “ફક્ત સંપર્ક” (Contact) માં છો પણ તમારૂં એમની સાથે કોઈ જ “Connection” નથી. તમે તેમની સાથે “જોડાયેલા જ” નથી., You are not connected to him.
“Connection” હંમેશા આત્માનું હોય છે, હૃદયથી હૃદયનું હોય છે. એક સાથે બેસવું અને ભોજન લેવું, એકબીજાની સારસંભાળ કરવી, સ્પર્શ કરવો, હાથ મિલાવવો, આંખોનો સંપર્ક થવો, કેટલોક સમય એકસાથે વિતાવવો આ જરૂરી છે.
તમે તમારા પિતા, ભાઈ અને બહેનોના સંપર્કમાં (“Contact”) છો પરંતુ તમારૂ એકબીજા સાથે કોઈ જોડાણ (“Connection”) નથી.
પત્રકારે આંખો લૂછી અને બોલ્યો : મને એક “સારો” અને “અવિસ્મરણીય પાઠ” શીખવવા બદલ “ધન્યવાદ”!
આજે પણ લોકોની આવી જ પરિસ્થિતિ થઈ રહી છે. બધાના “હજારો સંપર્ક” (“contacts”) છે પણ કોઈને એકબીજા સાથે “લગાવ” કે “જોડાણ” (connection) નથી. કોઈ જ વિચાર વિમર્શ નહિ. પ્રત્યેક વ્યક્તિ પોતાની નકલી દુનિયામાં ખોવાયેલી છે.
એ “સંન્યાસી” એ બીજું કોઈ જ નહીં પરંતુ “સ્વામી વિવેકાનંદ” હતા.