કોઇ પણ ફુલ ની, કોઇ પણ પ્રકાર ની મેળવવા માટે,
ફુલે કેટલી બધી તૈયારી કરવી પડે છે..!?
સૌ પ્રથમ યોગ્ય જમીન બનાવવી પડે, બીજ વાવવુ પડે,યોગ્ય માવજત ને અંતે કોટો ફુટે તો, તેને પુખ્ત છોડ બનાવવા ઘણી કાળજી,સલામતિ રાખવી પડે ત્યાર બાદ પણ વાતાવરણ સાથ આપે તો,ફક્ત થોડા કલાક ની ફોરમ પ્રસરાવતુ ફુલ ખીલી શકે ને જગત સુગંધ ને પામે.
હવે વિચારીએ કે,આજ રીતે આપણે જ્યારે નકારાત્મકતા,નફરત,ઘૃણા,તિરસ્કાર ટિકા વગેરે ફેલાવવા માટે આપણાં મનો-શરિર માં કેટલા ખેડાણ કરવા પડતા હશે..!!!?
લાગે છે કે, ઉપયોગી(સકારાત્મક)છોડ નાં યોગ્ય વિકાસ માટે જેમ આસ-પાસ માં સાહજીક રીતે ઉગી નીકળેલા નિંદામણ ને પણ વારં-વાર દૂર કરવુ પડે તે રીતે,મન માં થી પણ રુટિન દિનચર્યા દરમ્યાન ઉગી નીકળતી નકારાત્મકતા ને દૂર કરવા ની વૃતિ કેળવવી પડે અને તે મુજબ જાગૃત રહી ને તેને વારં-વાર
(ફ્રીક્વન્ટલી) દૂર કરતા જ રહેવુ પડે..!
સૌ ને સકારાત્મકતા સાંપડે..તેવી શુભેચ્છા..!
તમારામાં રહેલ મહાન શક્તિઓ અને શક્તિજાગૃતિના કેન્દ્ર વિષે શું તમે માહિતગાર છો?
દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે જરૂરી શરત છે શક્તિ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વિકસિત અને શક્તિશાળી પ્રાણી મનુષ્ય છે. એની પાસે એટલી બધી શક્તિ છે કે એ ધારે તો ઈશ્વર બનવાની તાકાત પણ ધરાવે છે. પરંતુ આપણે આપણી અનેક મહાન શક્તિઓ વિષે માહિતગાર નથી જેથી તેનો ઉપયોગ કરી શકતા નથી. જુદી જુદી ત્રીસ પ્રકારની શક્તિ મનુષ્યને જન્મથી જ પ્રાપ્ય છે. આ તમામ શક્તિની જાગૃતિ માટે આપણા શરીરમાં વિશેષ કેન્દ્રો આવેલા છે જેના દ્વારા શક્તિજાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ તેમજ રૂપાંતરણ અર્થાત મનુષ્યની વૃત્તિ આદતો સ્વભાવમાં ફેરફાર થઈ શકે...