ગુજરાત સરકાર ગુજરાતને હવે ટુરિઝમ હબ બનાવવા માંગે છે. જેમ દુનિયાભરના લોકો ખાસ રજાઓ ગાળવા દુનિયાના દુબઇ, સિંગાપોર,પેરિસ કે મોરેક્કો જેવા સ્થળોના આકર્ષણથી પહોંચી જાય છે. તેમ હવે ગુજરાત માં પણ પ્રવાસીઓ પહોંચે એ માટે અનેક આકર્ષણ બનાવાઈ રહ્યા છે.હાલમાં જ ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,એશિયાનો સૌથી ઊંચો રોપ વે અને હવે જૂનાગઢમાં જ ગિરનાર જંગલ સફારી શરૂ કરવામા આવ્યું છે. વાઈલ્ડલાઈફ ને લાઈવડ જોવાનો આ ખાસ મોકો છે. આપણે વાઈલ્ડ ને વાઈલ્ડ જ સમજીએ છીએ પણ ખરેખર એ લાઈવડ છે જેને જોવા જાણવા આવી જંગલ સફારી કરવી જરૂરી છે. ગીર સાસણ જૂનાગઢ થઈ 65 કિમિ દૂર છે જેથી પ્રવાસીઓને ખાસ તો સાસણ રોકાવું ન પડે અને સતત વધતા પ્રવાસીઓથી સાસણમાં વનયજીવોને ખલેલ ન પડે તે માટે ખાસ ગિરનાર જંગલમાં સફારી શરૂ કરવામાં આવી છે.
દર વર્ષ અનેક પ્રવાસીઓ ગીર સાસણ ની ઓનલાઇન બુકીંગ ન કરાવી શકતા જંગલમાં ફરવાના મોકાથી વંચિત રહી જાય છે, જે હવે દરેક પ્રવાસી મેળવી શકે એ માટે ખાસ આ ગિરનાર સફારી શરૂ કરવામાં આવેલ છે.ગિરનાર જંગલમાં 13 કિમીના આખા રૂટ દરમિયાન કુદરતી નઝરાઓ અદભુત છે, ઇન્દ્રેશ્વરથી પાતુરણ સુધીના આ સફરમાં હસનાપુર ડેમ, ગાઢ જંગલોમાં વહેતા ઝરણાં અને ચેક ડેમ, ડુંગરાની હારમાળા અને 300 થી પણ વધુ પ્રજાતિઓના ખુબસુરત વન્યજીવન જોવા મળે છે. આ બધું એકસાથે માત્ર બે કલાકમાં માણવા મળે તો ધન્ય થઈ જવાય. ખાસ કરીને જૂનાગઢ પ્રકૃતિની ગોદમાં વસેલું છે એટલે અહીં આવનાર પ્રવાસી કૃત્રિમ જીવન ભૂલવા જ આવે છે અને આ સફારી એ જ અહેસાસ કરાવે છે.
જંગલની આ સફારી રોમાંચક,દિલધડક અને સાહસિક અનુભવ આપે છે.એક પાંદડું પણ ખખડે તો વન્યપ્રાણી આવી ગયા ને ડર પણ મઝા આપે છે જો કે સાથે ટુરિસ્ટ ઇકો ગાઈડ આવે છે જે પ્રકૃતિ વિશે સમજાવે અને ઓળખ આપે છે. હા ક્યારેક નસીબ હોય તો સામે સાવજ પણ આવી જાય છે પણ ડરવાની જરૂર નથી કારણકે સિંહ શાંતિથી એના માર્ગ પર ચાલ્યો જાય છે. પણ એને નજીકથી જોવાનો જે અહેસાસ છે એ જ રોમાંચક હોય છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે સિંહ જોવાનો મોકો મળી જાય છે. આથી જો ગિરનાર સફારી કરવા ઇચ્છતા હો તો વહેલી સવારે કે મોડી સાંજે જવાનું પસંદ કરવું.
VR Dhiren Jadav