માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...
ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ. ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...
છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...
આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક
બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...
જ્યારે પ્રાચીન ચીનીઓએ શાંતિથી રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ ચીનની મહાન દિવાલ બનાવી. તેઓએ વિચાર્યું કે તેની ઊંચાઈને કારણે કોઈ તેના પર ચઢી શકશે નહીં. તેના અસ્તિત્વના પ્રથમ 100 વર્ષો દરમિયાન, ચીનીઓ પર ત્રણ વખત આક્રમણ થયું હતું. અને દર વખતે, દુશ્મન પાયદળના ટોળાને દિવાલ પર ઘૂસી જવાની કે ચઢવાની જરૂર ન હતી... કારણ કે દરેક વખતે તેઓ રક્ષકોને લાંચ આપીને દરવાજામાંથી આવતા હતા. ચીનીઓએ દીવાલ તો બનાવી પણ દીવાલ-રક્ષકોના પાત્ર-નિર્માણને ભૂલી ગયા. આમ, માનવીય ચારિત્ર્યનું નિર્માણ અન્ય કંઈપણના નિર્માણ પહેલાં આવે છે. આજે આપણા વિદ્યાર્થીઓને તેની જ જરૂર છે. જેમ કે એક પ્રાચ્યવાદીએ કહ્યું: જો તમે કોઈ રાષ્ટ્રની સંસ્કૃતિનો...
"આટલી ઉતાવળ! ઢોળીને ઢગલા કર્યા. ધિરજ જ નથી." ગુસ્સામાં બોલતી કવિતા મોં બગાડી કામ કરવા લાગી. આશાબેન લાચારીથી લથડાતી જીભે બોલ્યા, "બેટા, તમે કામ કરતાં હતાં અને ચા ઠરતી હતી, તો મને થયું.." અધવચ્ચે જ ગુસ્સામાં કવિતા બોલી, "તમે તમારો મગજ ન ચલાવો. ખબર છે ને શરીરમાં કંપનની તકલીફ છે તો કશું કામ નથી થતું. પણ તમે સમજો કે, માનો તો તમને શાંતિ ક્યાંથી થાય? ખરું ને ? શું થયુ ! ચા ઢોળાઈ ને!" આ સાંભળી આશાબેનની આંખમાં આંસુ આવી ગયા. આશાબેન હજી કંઈ સ્વસ્થતા ધારણ કરે એ પહેલા એનો દીકરો કવન આવ્યો, "શું બા રોજ માથાકૂટ? ઓલી બિચારીને જરા...
Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ! ઘણા લોકોને વૃક્ષો અને છોડ માટે ખૂબ પ્રેમ હોય છે. એટલા માટે તેઓ ઘરમાં પણ છોડ લગાવે છે. ઘરમાં કેટલાક છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાંથી એક પ્લાન્ટ મની પ્લાન્ટનો છે. તેનું નામ સૂચવે છે તેમ તેનું કાર્ય પણ છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી પૈસાની કમી નથી આવતી. પરંતુ કેટલાક લોકોના ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ પૈસાની તંગી રહે છે. તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. આ કારણો વાસ્તુ ટિપ્સ સાથે સંબંધિત છે....
"શું સપના લઈને વિવાહિત સંબંધમાં પગ મૂક્યો હતો, અને આજે પાંચ વર્ષ પછી, હવે મારે જીવનના વિખેરાયેલા ટુકડાઓને ફરીથી એકત્રિત કરવા પડશે." મુક્તા મારા ખોણામાં માથું મૂકીને રડી રહી હતી. હું એને કાંઈ આશ્વાસન આપું, તે પહેલાં એને એક બીજા પછતાવાએ ઘેરી લીધો, "મમ્મી, મેં હજી થોડું સહન કરી લીધું હોત તો? વિરેનને કાંઈક સમય આપ્યો હોત, તો કદાચ મારા લગ્ન બચી જાત." સમાન પ્રોફાઇલ ધરાવતા વીરેન શાહ સાથે અમે મુક્તાનું વૈવાહિક જોડાણ ગોઠવ્યું હતું. આનંદમય તો ન કહેવાય, પરંતુ પહેલું એક વર્ષ ઠીક રહ્યું. પછી જ્યારે લગ્નની નવીનતા ફીકી પડી ગઈ, ત્યારે આઘાતજનક વાતો સામે આવવા લાગી, જેણે મારી...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.