• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Thursday, September 28, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

શું તમે મનના કેન્સર વિષે જાણો છો?

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જાણવા જેવું, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
88 1
A A
0
100
SHARES
371
VIEWS
Share on WhatsappShare on Facebook

આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. વાસ્તવમાં મનનું કેન્સર શરીરના કેન્સર કરતાં વધુ ભયાનક અને પ્રભાવશાળી છે. મનના કેન્સર દ્વારા શરીરનું કેન્સર થવાની સંભાવના પણ અનેકગણી વધી જાય છે કેમ કે મનની શક્તિનો શરીર પર વિશેષ પ્રભાવ પડે છે એ આપણે સૌ જાણીએ છીએ. મનની શક્તિ જેટલી નિર્મળ શુદ્ધ અને હકારાત્મક તેટલું શરીર તંદુરસ્ત નિરોગી અને સમસ્યામુક્ત, એટલું તો હવે આપણે બધા સમજતા થઈ ગયા છીએ એટલે એ અંગે વિશેષ કશું કહેવાની જરુરિયાત લાગતી નથી. પરંતુ મનની ક્ષમતાને હણતા પરિબળો વિષે કદાચ આપણે પૂરતા માહિતગાર નથી એટલા માટે આપણું મન કેન્સરગ્રસ્ત થાય છે એ વાત ધ્યાન બહાર રહી જાય છે. જો યોગ્ય સમયે મનના કેન્સરનો ઈલાજ ન થાય તો સમગ્ર અસ્તિત્વ કેન્સરગ્રસ્ત થતાં વાર નથી લાગતી. આપણે સૌ જાણીએ છીએ કે શરીરનું કેન્સર શરીરના સ્વસ્થ કોષોને અશક્ત કરી ખતમ કરે છે એ જ રીતે મનનું કેન્સર પણ મનની શક્તિને હણી તેના સ્વસ્થ કોષોનો વિનાશ કરે છે. મનને કેન્સરગ્રસ્ત કરતા મુખ્ય ત્રણ શલ્ય છે. (શલ્ય એટલે શૂળ કે કાંટો) જે આ પ્રમાણે છે ૧) મિથ્યાદર્શન શલ્ય ૨) માયાશલ્ય અને ૩) નિયાણશલ્ય. મનમાં રહેલા આ મિથ્યાદર્શન, માયા અને નિયાણ રૂપી ત્રણ કાંટા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મનને કેન્સર થવાનું જોખમ રહે છે. તો આવો પ્રથમ આ ત્રણ કાંટાને જરા વિગતે સમજીએ.

૧) મિથ્યાદર્શનશલ્ય : વસ્તુ કે વાત જે સ્વરૂપે છે તે રીતે ન જાણવી કે ન જોવી એટલે મિથ્યાદર્શન અર્થાત વાસ્તવિકતાથી વિપરીત જોવું તે મિથ્યાદર્શન કહેવાય. પાયામાં જે વાત ખોટી હોય તેના પર રચાતી બિલ્ડીંગ કેટલી ટકે? દરેક વ્યક્તિએ જીવનમાં શ્રેય અને પ્રેયમાંથી પસંદગી કરવાની હોય છે. પરંતુ મોટેભાગે વ્યક્તિ પ્રેય એટલે કે જે તેને પ્રિય છે, ગમતું છે તેની જ પસંદગી કરે છે. જેના કારણે શ્રેય કે જેમાં તેનું કલ્યાણ સમાયેલુ છે તે આપોઆપ છૂટી જાય છે. આમ મિથ્યાદર્શન જીવનની સચ્ચાઈને પામવાના માર્ગનું સૌથી મોટું અવરોધક છે. દરેક વ્યક્તિએ જીવનમાં પ્રેય કરતા વધુ મહત્વ શ્રેયને આપવું જોઈએ અને કોઈપણ ભોગે શ્રેયની જ પસંદગી કરવી જોઈએ. પરંતુ આપણે જીવનભર મિથ્યાદર્શનને કારણે ક્ષણિક આનંદ માટે અનંત આનંદને ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનપર્યંત આપણને સત્ય સમજાતું કે દેખાતું જ નથી. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે અને જ્યાં સુખ છે ત્યાં કદાપિ દેખાતું નથી. અનુશાસનયુક્ત નૈતિક મૂલ્યવાન જીવન સાચું શ્રેષ્ઠ જીવન છે એ વાત આપણને ક્યારેય ગળે ઉતરતી જ નથી અને અનૈતિક જીવન દ્વારા મળતા ક્ષણિક ભૌતિક સુખનો મોહ છૂટતો નથી, આને જ મિથ્યાદર્શન કહેવાય. આવા મિથ્યદર્શનથી મનની દોડ કે જીવનની દોડ અયોગ્ય દિશાની બને છે. જે જીવનને ખતમ કરી નાંખે છે અને શ્રેયની પ્રાપ્તિ થવા દેતી નથી. મનની આવી સ્થિતિને જ મનનું કેન્સર કહેવાય કેમ કે તેના દ્વારા સ્લોપોઈઝનની જેમ જીંદગી હાથમાંથી સારી જાય છે છતાં સત્ય હાથ આવે નહી અને અંતે પસ્તાવા સિવાય કંઈ થઇ શકે નહી. માણસ જેટલો તનના કેન્સરથી પીડાય છે તેનાથી અનેકગણો વધુ મનના કેન્સરથી પીડાય છે પરંતુ તે સમજી જ શકતો નથી કે તેની આ અતિશય વેદનાનું કારણ શું છે કેમ કે મનના કેન્સરથી આપણે કોઈ ખાસ પરિચિત જ નથી. વળી કોઈ ડોકટર કે મશીન મનના કેન્સરને ડાયગનોશ કરી શકતું નથી અને અંતે જેમ તનના કેન્સરથી જીવ જાય છે તેમ મનના કેન્સરથી પણ મનુષ્ય અતિશય દુઃખ પીડા વેદના અને અફસોસ સાથે આ દુનિયામાંથી વિદાય લે છે એટલા માટે મનના કેન્સર માટે જવાબદાર આ મિથ્યાદર્શન શલ્યને ઓળખવો મને અતિ આવશ્યક લાગે છે.

૨) માયાશલ્ય : માયાશલ્ય એટલે કપટ. બહાર કઇંક બતાવીએ અને અંદર કઇંક હોય તેને કહેવાય કપટ. મનોવિજ્ઞાનના અનેક સંશોધનો અનુસાર સમાજમાં જેટલા રોગો કે પીડા છે તેના મુખ્ય કારણમાં વ્યક્તિનું આ દંભી વ્યક્તિત્વ કે કપટ જવાબદાર છે. વધારે શિષ્ટ બતાવવાના ચક્કરમાં વ્યક્તિ સહજતા અને સમતુલા ગુમાવતો જાય છે. મનમાથી શલ્ય દૂર કર્યા વગર સુખ-શાંતિ મળવી અશક્ય છે. કલ્યાણકારી ભાવિનું ઘડતર કપટ કે દંભ દ્વારા અસંભવ છે. ઈશ્વર વિના બીજું જે કંઈ સંસારમાં કે પ્રકૃતિમાં દેખાય છે એ ઈશ્વરની માયા છે. જે ન હોવા છતાં દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં દેખાતો નથી. આ જ માયાનું કાર્ય છે. એક અન્ય અર્થમાં માયા એટલે વિસ્મરણ એટલે કે જે છે તે ભૂલી જવું અર્થાત ઈશ્વરને ભૂલી જવું તે જ માયા છે. માયા ત્રણ પ્રકારની છે ૧) સ્વમોહિતા – વ્યક્તિને પોતાને પોતાનો મોહ એટલે કે પોતાના શરીરનો પોતાની જાતનો મોહ, જે કળિયુગમાં અતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વ્યક્તિને પોતાનાથી સુંદર કે હોશિયાર કોઈ જ દેખાતું નથી. વળી પોતાનાથી વધુ સાચું પણ કોઈ દેખાતું નથી. હું જ સાચો અને હું જ સારો, હું જ હોશિયાર અને હું જ સુંદર. આ જે “હું” નું સામ્રાજ્ય છે તેને સ્વમોહિતા તરીકે ઓળખવામાં આવે છે. સતત પોતાની જાતને સાચવવી, શરીરને શણગારવું અને તેમાં જ રચ્યા પચ્યા રહેવું એ સ્વમોહિતા છે. જેનું વર્ચસ્વ કળીયુગમાં વિશેષ જોવા મળે છે. જે મનનું મોટું કેન્સર છે. ૨) સ્વજનમોહિતા – એટલે પોતાના સગાસંબંધીઓ (દીકરો દીકરી, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન વગેરે) પ્રત્યેનો મોહ ખેચાણ કે આસક્તિ જેનાથી આગળ મનુષ્ય કશું જોઈ જ શકતો નથી. પોતાના બધા લોકો હંમેશા સાચા અને સારા અને પારકા સૌ કોઈ ખરાબ અને ખોટા એ સમજણ બીજું કંઈ નહિ પરંતુ સ્વજનમોહિતા છે. ૩) વિમુખજનમોહિતા – એટલે પારકા માટેનો દ્વેષ કે અણગમો. આમ હું, મારા અને પારકાનો દ્વંદ એ જ માયા જે રાગ-દ્વેષની જનની છે. આવી માયાને કારણે જ સર્વમાં ઈશ્વર દેખાતો નથી અને પાપો વધતા જાય છે. જેના પરિણામરૂપ મનની શક્તિ ક્ષીણ થતી જાય છે અને મન કેન્સરગ્રસ્ત થઇ જાય છે. મનના આવા કેન્સરથી મનુષ્ય ઈશ્વરથી સતત દૂર થતો જાય છે. આવી ત્રણ પ્રકારની મોહમાયાને યથાર્થ રીતે સમજી દૂર કર્યા વગર મનના કેન્સરથી બચવું અસંભવ છે. માયાને તરવા માટે પરમાત્માને શરણે જવું પડે. સર્વસ્થળે સતત ઈશ્વરશ્રવણ, કિર્તન અને મનન કરવું પડે. આ એક માત્ર માર્ગ છે માયાથી બચવાનો, ઇશ્વર સુધી પહોંચવાનો અને મનના કેન્સરથી બચવાનો

૩) નિયાણશલ્ય : જે વસ્તુ આપણને મળતી નથી તે મેળવવાની ઝંખના એટલી ઉત્કૃષ્ટ થાય છે કે આપણે જન્મોજ્ન્મની પુણ્યસમૃધ્ધિને હોડમાં મૂકીને, પછીના ભવમાં તે વસ્તુની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરી બેસીએ છીએ તેને નિયાણું કહેવામાં આવે છે. આવા નિયાણશલ્યને દૂર કર્યા વગર મનને કેન્સર મુક્ત રાખી શકાય નહિ કેમ કે આ નિયાણશલ્ય એટલું ખતરનાક છે કે મનને નિર્ધારિત ઈચ્છાથી આગળ વિચારવા કે જોવા દેતું નથી. મનને કુંઠિત કરી મુકે છે. મનની તમામ શક્તિને કેન્સર બની હણી લે છે. મનમાંથી નિયાણ રૂપી કાંટો કાઢવો અનિવાર્ય છે અન્યથા મનુષ્યજીવન વ્યર્થ જાય છે. નિયાણશલ્યને દૂર કરવા સાચા ધર્મગુરૂની સહાય આવશ્યક છે. પ્રાયશ્ચિત દ્વારા પણ નિયાણશલ્યનું મારણ શક્ય છે. સાચી સમજ અને જ્ઞાન દ્વારા નિયાણશલ્યમાથી મુક્તિ મેળવી શકાય છે. ધર્મમાં કન્ફેશનની વ્યવસ્થા કદાચ આ જ હેતુથી કરવામાં આવી છે.
મનના કેન્સરને મટાડવા માટે ઉપર પ્રમાણેના ત્રણે કાંટા (શલ્ય) મનમાંથી યોગ્ય ઓપરેશન દ્વારા હટાવવામાં ન આવે ત્યાં સુધી તો કાંટો વાગે એટલે વેદના તો થવાની અને એ સહન પણ કરવી જ રહી. મનને કેન્સરમુક્ત કરવાનો રામબાણ ઈલાજ જો કોઈ હોય તો તે અકર્મની સાધના છે. જીવનમાં જેટલું મહત્વ પ્રવૃત્તિનું છે તેટલું જ નિવૃત્તિનું પણ છે, એ વાત જો સમજાઈ જાય તો આપણા દ્વારા થતું દરેક કાર્ય અર્થપૂર્ણ બની જાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું સંતુલન એ તો સમજવું જ પડે. દરેક કર્મ કે પ્રવૃત્તિ તેની સાથે અનેક દોષો લઈને આવે છે, જ્યાં પ્રવૃત્તિ છે (કર્મ છે) ત્યાં દોષો તો હોવાના જ. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દોષ ત્યારે જ સમાપ્ત થઈ શકે જ્યારે તેનું નિવૃત્તિ સાથે સંતુલન કરવામાં આવ્યું હોય. જે કર્મનો ઉદભવ અકર્મમાંથી થાય છે તે કર્મ ખૂબ પવિત્ર અને શક્તિશાળી બને છે. કર્મમાં અનેક દોષો એટલા માટે આવે છે કે તે અકર્મની ભાવના વગર થાય છે એટલે કે કર્તાના અહંકાર સાથે થાય છે. જ્યારે વૃત્તિ (લોભ-કામ-ક્રોધ-મોહ વગેરે) નું શુદ્ધિકરણ થાય ત્યારે પ્રવૃત્તિ કરવામાં પણ નિવૃત્તિનું તત્વ અનુભવાય અને કર્મ અકર્મ બની જાય. કર્મની પ્રેરણા એ જ વૃત્તિ છે. જો વૃત્તિ નથી તો કર્મ થઈ શકતું નથી. આ વૃત્તિ અને કર્મ એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલા છે. જીવનમાં મુખ્ય ચાર પ્રકારની વૃત્તિ અસ્તિત્વ ધરાવે છે, જે તમામ જીવમાત્રમાં જોવા મળે છે જેમ કે આહારવૃત્તિ, ભયવૃત્તિ, કામવૃત્તિ અને પરિગ્રહવૃત્તિ જે તમામ પ્રકારના કર્મ માટે જવાબદાર છે. આ ચાર મુખ્ય વૃત્તિ દ્વારા જ અનેક પ્રકારના કર્મો જીવાત્મા દ્વારા અવિરત થયા કરે છે. જેમાં સ્વભાવગત દોષો ભળે છે અને કર્મ (પ્રવૃત્તિ) બંધનકારક અને દુઃખદાયક બની જાય છે. કોઈપણ વૃત્તિ જ્યાં સુધી પ્રવૃત્તિ ન બને ત્યાં સુધી તેમાંથી બચવું શક્ય છે. ત્યારબાદ તેમાંથી બચી શકાતું નથી.

વૃત્તિનું શુદ્ધિકરણ વ્યક્તિને કર્મથી અકર્મ તરફ લઈ જાય છે. પરંતુ સર્વ પ્રાણીઓમાં માત્ર મનુષ્ય જ પોતાની પ્રેરણાનું કે વૃત્તિનું શુદ્ધિકરણ કરી શકે છે. જે વૃત્તિઓનું શોધન કરી શકે તેને જ મનુષ્ય કહેવામાં આવે છે અન્યથા પશુ અને મનુષ્ય વચ્ચે કોઇ ઝાઝો તફાવત નથી. વળી એક વાત અહીં સમજવા જેવી છે કે કર્મથી અકર્મ તરફ જવા કર્મને છોડવાની આવશ્યકતા નથી, કર્મને સમજવાની જરૂર છે. કર્મ (પ્રવૃત્તિ) ની કેટલી તીવ્રતા કે ઘનિષ્ઠતા જીવનમાં જરૂરી છે તે સમજવું દરેક મનુષ્ય માટે આવશ્યક છે. આજનો મનુષ્ય પ્રવૃત્તિથી એટલો તો પ્રચૂર બન્યો છે કે તે એક ક્ષણ પણ અકર્મી (નિવૃત) રહી શકતો નથી. અતિશય પ્રવૃત્તિશીલતા એ ખૂબ મોટું સંકટ છે જે મનને કેન્સરગ્રસ્ત કરે છે જે મનની તમામ શક્તિને હણી લે છે. વાસ્તવમાં મન અગાધ શક્તિની ખાણ છે પરંતુ મનને કેન્સરગ્રસ્ત કરતા ત્રણ શલ્ય તેની અગાધ શક્તિને નષ્ટ કરી નાંખે છે. મિથ્યાદર્શન, માયા અને નિયાણ આ ત્રણમાંથી મુક્ત થયા વગર મનને સંતુલિત કે સ્વસ્થ અથવા કેન્સર મુક્ત કરવું અસંભવ છે. અકર્મનો સિદ્ધાંત માત્ર મોક્ષપ્રાપ્તિનો સિદ્ધાંત નથી પરંતુ વ્યવહારિક જીવન જીવી જાણવાનો સિદ્ધાંત પણ છે.

આપણું શરીર અનેક કોષોનું એક પિંડ છે. આ કોષો શરીર માટે જરૂરી વિદ્યુત ઉત્પન્ન કરે છે. શરીર એટલી જ વિદ્યુત ઉત્પન્ન કરે છે જેનાથી તેનું કાર્ય ચાલી શકે. વધારાની વિદ્યુત શરીર કદાપિ ઉત્પન્ન કરી શકતું નથી. જો માનવી શરીર કે મનના કોષો પાસે વધુ પડતું કામ લે તો વિદ્યુતઊર્જાનો ક્ષય થાય છે. નવા કોષો ઉત્પન્ન થવાનો અવકાશ ઓછો થતો જાય છે અને જૂના કોષો મરતા જાય છે. આમ જૂના કોષો ખતમ થતા જાય અને નવા સર્જાય નહીં પરિણામે તન અને મન અશકત બની જાય. મનુષ્ય સતત પ્રવૃત્તિ કરતો રહે છે જેથી નવી પ્રાણઉર્જા પેદા થતી નથી અને સતત પ્રવૃત્તિના કારણે હયાત પ્રાણઉર્જા વપરાતી જાય છે. આમ અવિરત શક્તિ ક્ષીણ થતા કોઈ પણ મનુષ્ય મહાન કાર્યો કરવા માટે સામર્થ્યવાન રહેતો નથી. શરીર અને મન કાળક્રમે કેન્સરગ્રસ્ત થતું રહે છે પરંતુ આપણે એ સમજી શકતા નથી કે અતિશય કર્મ (પ્રવૃત્તિ) દ્વારા જીવનને પામી શકાતું નથી ઉલટું તેને ગુમાવવાનો વારો આવે છે. અકર્મ જીવનની સચ્ચાઈને પામવાનો રામબાણ ઈલાજ છે. જીવન યાત્રા ચલાવવા માટે કર્મ ચોક્કસ જરૂરી છે પરંતુ જીવનની સચ્ચાઈ પ્રાપ્ત કરવા માટે તો અકર્મ એટલે કે નિવૃત્તિ સ્થિરતા અને શાંતિ જ ઉપયોગી છે. આમ મનને કેન્સરમુક્ત કરવાનો એક જ ઈલાજ છે અકર્મની સાધના કે નિવૃત્તિની અગત્યતા. જેના માટે મિથ્યાદર્શનશલ્ય, માયાશલ્ય અને નિયાણશલ્ય દૂર કરવા પડે.

શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

Related

Tags: shilpa shahમનના કેન્સરશિલ્પા શાહ
SendShare40Tweet25Scan
ADVERTISEMENT
Previous Post

અરજી થઈ છે

Next Post

સંગીત

Related Posts

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

by iGujju
0
195
ઝાંઝવાના જળ પીધાંની વાત છે
કલા-સાહિત્ય

ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા

Read more

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

by iGujju
0
357
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો
સમાચાર

આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા. 500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ...

Read more

ગણપતિ

by iGujju
0
333
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

by iGujju
0
352
પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે
કવિતા

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી

Read more

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

by iGujju
0
327
ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે
ધર્મ અને આધ્યાત્મિકતા

નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...

Read more

દુઃખોનો પહાડ

by iGujju
0
389
દુઃખોનો પહાડ
વાર્તા અને લેખ

"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...

Read more

પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

by iGujju
0
249
પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
ધર્મ અને આધ્યાત્મિકતા

સૃષ્ટ‌િનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...

Read more

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

by iGujju
0
64
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન
સાહિત્ય અને કલા સમાચાર

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....

Read more

સમુદ્રમંથન કથા

by iGujju
0
234
સમુદ્રમંથન કથા
શ્રાવણ

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...

Read more

જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે

by iGujju
0
326
જમવાનું બનાવતી વખતે ફોલો કરો આ Tricks, ગેસની બચત થશે
જાણવા જેવું

રસોડામાં પડેલી દરેક વસ્તુ કોઇને કોઇ કામમાં આવતી હોય છે. રસોડામાં પડેલી દરેક વસ્તુનું મહત્વ પણ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે રસોડામાં પડેલી વસ્તુનું આ રીતે ધ્યાન રાખો છો તો તમારે પૈસાની બચત થાય છે તમારું બજેટ પણ ખોરવાતું નથી. પેનને સાફ કરીને જમવાનું બનાવો જમવાનું  બનાવો એ પહેલા પેનને ફરીથી સાફ કરો. એની પર પાણી જરા પણ ના હોવું જોઇએ. આ માટે તમે કિચન ટોવેલનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા ગેસની બચત થાય છે. હંમેશા ઢાંકીને જમવાનું બનાવો તમે જ્યારે પણ શાક બનાવો કે દાળ બનાવો ત્યારે હંમેશા ઢાંકીને બનાવો. આમ કરવાથી જમવાનું જલદી બને છે...

Read more
Load More
Next Post
Music Day

સંગીત

I Love You  Pappa

I Love You Pappa

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

દીકરી અને વહુ

દીકરી અને વહુ

ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

બીપી ચેક કરાવતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખો

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!