શું આજથી વર્ષો પહેલાં પ્રેમનું અસ્તિત્વ ન હતું? કારણ વેલેન્ટાઈન ડે ભારતમાં ન હતો. લૈલા-મજનું, હિર- રાંજા, શું આ અમર થઈ ગયેલા પ્રેમીઓ વેલેન્ટાઈન ડે ઉજવતાં? બિલકુલ નહીં, કારણ પ્રેમ કંઈ એક દિવસ ઉજવાય તેવો તહેવાર નથી પણ એક રોજ મહેસુસ કરાતી લાગણી છે.
લાગણી માટે કોઈ એક દિવસની વાટ જોવી જરૂરી નથી, જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો તમારે તમારી લાગણી પ્રકટ કરવી પડે તો તે પ્રેમ સાચો કહી જ ના શકાય કારણ પ્રેમનાં પારખાં ના હોય. આપણે વિદેશી સઁસ્કૃતિને અપનાવવાની ઘેલછામાં આપણી સઁસ્કૃતિ ભૂલતાં ગયાં છીએ અને એટલે જ આપણાં સંબધો વિદેશીઓ જેવા તકલાદી થતાં જાય છે.