• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Saturday, May 21, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    મનુષ્યજીવનને સાર્થક ધન્ય અને ખુશહાલ કરતા મુખ્ય ચાર સ્મરણ કયા?

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    બા,તમે આજ બહુ જ યાદ આવ્યા…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    જ્યારે આપણે સદા સ્મિતથી આપણું જીવન વધારી શકીએ ત્યારે ઉદાસ કેમ થવું ?

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી…

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    મંગળ પર મળ્યો એલિયનના ઘરનો દરવાજો, નાસાની તસ્વીર જોઈને થઈ જશે આશ્ચર્ય ચકિત

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    સાહેબ તમારી પ્રેક્ટીસ માટે

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    ઘરમાંથી ઉંદરોને તરત ભગાડવાના ઉપાયો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    જાપાની લોકોના લાંબા આયુષ્યનું રહસ્ય

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    આ સિક્રેટ ટિપ્સથી ઘરે બનાવો ‘પૌંઆની કચોરી’

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

    ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

    કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    આ રીતે તમે તમારી MOMનું રાખો ખાસ ધ્યાન, ક્યારે નહિં પડે બીમાર

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    ચેરી તણાવ દૂર કરે છે, જાણો ઉનાળામાં રોજ ખાવાના ફાયદા

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    જાણો કઈ આદતો વાળને કરે છે નુકસાન

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ &  સારવાર

    પુરુષોની પીઠમાં દુખાવો થવાનું કારણ & સારવાર

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વિશ્વ માતૃભાષા દિન એટલે માતાના ધાવણ સમાન શક્તિશાળી માતૃભાષાના મહત્વને સ્વીકારવાનો દિવસ

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

in સાહિત્ય અને કલા સમાચાર, i - ગુજ્જુ, ગુજજુકેશન, જાણવા જેવું, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
105 1
A A
0
119
SHARES
441
VIEWS
Share on WhatsappShare on Facebook

દર વર્ષની ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. 1999માં સૌપ્રથમ યુનેસ્કો દ્વારા માતૃભાષા દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિને સન્માન આપવાનો અને માતૃભાષાના મહત્વને જાળવી રાખવાનો હતો. વિદેશી ભાષાના ગાંડપણમાં આવનાર પેઢી પોતાની માતૃભાષાને ભૂલી ન જાય, તેનાથી વંચિત ન રહી જાય કે તેના તિરસ્કાર દ્વારા માતૃભાષાના ગૌરવ ગરિમા જાળવવામાં નિષ્ફળ ન જાય તેની ચિંતા આવા દિન ઉજવવા પાછળ કાર્યરત છે. ભાષાનો પણ આવનાર પેઢીને વારસો મળતો હોય છે પરંતુ કદાચ અજ્ઞાનવશ વિદેશી બાબતોની ઘેલછામાં માતૃભાષાનું જતન અને સંરક્ષણ કરવાનું આપણે ભૂલી ગયા હોય એવું લાગે છે. જે વાસ્તવમાં આપણું પ્રથમ નૈતિક કર્તવ્ય છે. આવા મૂળભૂત કર્તવ્યને યાદ કરાવવા માટે માતૃભાષા દિનની ઉજવણી અનિવાર્ય લાગે છે. શરત માત્ર એટલી છે કે ઉજવણી શાબ્દિક કે ઔપચારિક ન રહેતા ઊંડી અને ગહન બનવી જોઈએ, આચરણમાં આવવી જોઈએ તો જ ઉજવણીનો ઉમદા ઉદેશ્ય સિધ્ધ થયો કહેવાય.

માતૃભાષા એટલે એવી ભાષા જેના પર માતા જેવો ભાવ જન્મે. જે ભાષા માતા સમાન પોતાની લાગે, આત્મીય લાગે, જેને સમજવામાં વિશેષ મુશ્કેલી ન પડે તેને માતૃભાષા કહેવાય. એ તો સર્વવિદિત છે કે બાળક પોતાની માતાને સરળતાથી સહજતાથી વિના મુશ્કેલીએ ઓળખી લેતો હોય છે. માતા શબ્દો દ્વારા કઈ બોલે નહીં તોપણ તેના ચહેરા પરથી બાળકને ખબર પડી જાય કે માતા ગુસ્સે છે, ખુશ છે, નારાજ છે, દુઃખી છે, શાંત છે કે અશાંત છે. એ જ રીતે માતૃભાષાને સમજવામાં બાળકને બિલકુલ મુશ્કેલી પડતી નથી કેમ કે બાળક માતાના ગર્ભમાંથી જ રોજ માતા દ્વારા બોલાતી ભાષા શીખતો થઈ જાય છે એથી જ તેને માતાની ભાષા એટલે કે માતૃભાષા તરીકે ઓળખવામાં આવે છે. બાળકનો પ્રથમ સંબંધ માતા અને માતૃભાષા સાથે જ બંધાય છે જેથી તેના પર તેની આત્મીયતા વિશેષ રહે છે. માતા અને માતૃભાષા બંને બાળકને ખૂબ પોતાના આત્મીય સરળ અને સહજ લાગે છે.

Readers Also View these Posts

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

અન્યની માતા ગમે તેટલી સુંદર હોય, આકર્ષક હોય, પ્રભાવી હોય તેને માન ચોક્કસ આપી શકાય, પસંદ પણ કરી શકાય, એનાથી પ્રભાવિત પણ થઈ શકાય પરંતુ સાચો નિસ્વાર્થ પ્રેમ લાગણી અને સ્નેહ તો પોતાની માતા પાસેથી મળે અને માતાને જ આપી શકાય. વળી અન્યની માતાને પ્રેમ કે આદર આપો અને પોતાની માતાનો તિરસ્કાર કરો એ તો કોઈ રીતે યોગ્ય ન જ ગણાય. આજના આધુનિક યુગમાં કમનસીબે એ જ થઈ રહ્યું છે. વિદેશી ભાષાના પાગલપનમાં આપણે આપણી માતા સમાન માતૃભાષાને ભૂલતા જઈએ છીએ, જાણે-અજાણે આપણા દ્વારા તેનો તિરસ્કાર થાય છે, માતૃભાષાનું સન્માન જળવાતું નથી કેમકે વિદેશી ભાષા (અંગ્રેજી)ને આપણે પ્રતિષ્ઠાનું માધ્યમ બનાવી દીધું છે. જે કોઈ રીતે યોગ્ય નથી. આપણે અંગ્રેજીને એક ભાષા તરીકે નહીં પરંતુ વિશિષ્ટ બુદ્ધિમત્તા કે પ્રતિષ્ઠા તરીકે જોઈએ છીએ. લોકોને પ્રભાવિત કરવા, પોતે બીજાથી અલગ ઉત્તમ અને અંગ્રેજીનો જાણકાર છે તે બતાવવા લોકો બિનજરૂરી અંગ્રેજીનો ઉપયોગ કરે છે. ભાષા સંવાદનું માધ્યમ છે તેને સ્ટેટસ સાથે કોઇ સંબંધ ન જ હોઈ શકે. મેં ઘણા ગુજરાતી પરિવારના સભ્યોને એમ કહેતા સાંભળ્યા છે કે મને અને મારા બાળકોને ગુજરાતી નથી આવડતું અને એવું તેઓ સંપૂર્ણ ગર્વ સાથે કહે છે. મને થાય કે ગુજરાતી તરીકે ગુજરાતી ન આવડવું એ ગર્વની વાત છે કે શરમની વાત છે?

આજે વિશ્વમાં અનેક એવા દેશો છે કે જ્યાં ૯૦ ટકાથી વધુ લોકો અંગ્રેજી ભાષાના જાણકાર નથી જેમ કે જાપાન, ચાઇના, જર્મની વગેરે તેમ છતાં આજે વિકાસની હરણફાળમાં તેમને કોઈ પછાડી શકે તેમ નથી. એ જ દર્શાવે છે કે સફળતા, વિકાસ, પ્રગતિ કે પ્રતિષ્ઠા માટે ભાષાની મહત્તા નથી. જાપાન અને ચીન જેવા દેશો ટેકનોલોજી અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે જ્યાં માત્ર માતૃભાષાનું મહત્વ છે. માતૃત્વની કદર ન કરનાર વ્યક્તિ કે સમાજની પ્રગતિ કે કલ્યાણ અશક્ય છે. અનેક ખ્યાતનામ વ્યક્તિ વિશેષ કે જેવો નોબલ પ્રાઇઝ જેવા અમૂલ્ય એવોર્ડ જીત્યા છે જેમકે અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેન ઉપરાંત અનેક મહાનુભાવો જેવા કે ગાંધીજી, અબ્દુલ કલામ, રવીન્દ્રનાથ ટાગોર વગેરે બધા માતૃભાષામાં ભણેલા. આમ સફળતાનો સંબંધ ભાષા સાથે નહીં જ્ઞાન અને બુદ્ધિ સાથે છે.

મેં ક્યારેય કોઈ કુટુંબને પોતાના ખૂબ અંગત લોકો કે જેની સાથે આત્મીય સંબંધ હોય તેને અન્ય કોઈ વિદેશી ભાષામાં વાત કરતા જોયા નથી. બંગાળી વ્યક્તિ ઘરમાં બંગાળી જ બોલે છે, પંજાબી વ્યક્તિ ઘરમાં પંજાબી બોલવાનું પસંદ કરે છે, ગુજરાતી પોતાના સંબંધીઓ સાથે ગુજરાતીમાં વાત કરે છે કેમ કે આત્મીયતાના દર્શન માતૃભાષા દ્વારા જ થાય છે. એટલે તો આપણે ઘરમાં અંગ્રેજી બોલવાને બદલે માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ.


અનેક અભ્યાસ જણાવે છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ વિષય જેટલી સરળતાથી માતૃભાષામાં સમજાય છે એટલો અન્ય કોઈ ભાષામાં સમજાતો નથી. મારી 25 વર્ષની પ્રોફેસર તરીકેની કારકિર્દીમાં મેં સતત અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યુ છે. પરંતુ મારો અવિરત એ અનુભવ રહ્યો છે કે વિદ્યાર્થીને દરેક વિષય અંગ્રેજી કરતાં વધુ ઝડપથી પોતાની માતૃભાષામાં સમજાય છે. અમે ૫૫ મિનિટના લેકચરમાં 45 મિનિટ અંગ્રેજીમાં ભણાવ્યા બાદ છેલ્લે દસ મિનિટ વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે સમગ્ર લેક્ચરની ગુજરાતી કે હિન્દીમાં સમરી કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ એટેંટિવ બની જાય છે, તેમનો રસ વધે છે અને વિષય તેમને સરળતાથી સમજાય છે. જે પરિણામ લેક્ચરની 45 મિનિટ નથી આપી શકતી તે છેલ્લી દસ મિનિટમાં માતૃભાષાને કારણે સરળ બની જાય છે.

આપણા ત્યાં ત્રણ ભાષાઓનું ચલણ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. ઘર અને સ્કૂલની ભાષા જ્યારે જુદી પડે છે ત્યારે બાળક મુંઝાય છે, તેનામાં લઘુતાગ્રંથિ અને હતાશા આવે છે, તેનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. મારી બહેન છેલ્લા 15 વર્ષથી U.S.માં રહે છે, તેના બંને બાળકોને જ્યારે કે.જી.માં ભણવા મૂકવામાં આવ્યા ત્યારે ઘરમાં ગુજરાતી વાતાવરણને કારણે બાળકોને શરૂઆતમાં અંગ્રેજી સ્કૂલમાં મુશ્કેલી અનુભવાતી. જેના કારણે બાળકોને સ્કૂલ જવા તરફ પણ અણગમો વધતો. તેઓ સ્કૂલના શિક્ષક સાથે ગુજરાતીમાં બોલતા જે ત્યાંના અંગ્રેજી માતૃભાષા ધરાવતા શિક્ષકોને સમજાતું નહીં. જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ મુશ્કેલ બનતો અને શિક્ષણ ધાર્યું પરિણામ આપી શકતું નહીં. વિષયની ઊંડી સમજણ, ગ્રહણશક્તિની સક્રિયતા, સંશોધન અને વિકાસ માતૃભાષા પર આધારિત છે. કોઈ વિષયની ઊંડી સમજણ ખૂબ સરળ અને સહજતાથી માતૃભાષા દ્વારા પ્રાપ્ત થાય છે જે દ્વારા વિદ્યાર્થીઓનું નોલેજ વધે છે અને એ નોલેજનો તેઓ સંશોધન અર્થે ઉમદા ઉપયોગ કરી શકે છે એ દૃષ્ટિએ માતૃભાષા અને સંશોધન વચ્ચે ગહન સંબંધ રહેલો છે એમ અવશ્ય કહી શકાય. આપણાં ત્યાં સંશોધન ક્ષેત્રે નિષ્ક્રિયતા પાછળ કદાચ માતૃભાષાનો તિરસ્કાર જવાબદાર હોય શકે.

અંગ્રેજી ભાષા આધુનિક સમાજની જરૂરિયાત બની ગઈ છે કેમ કે તે એક બિઝનેસ લેંગ્વેજ છે. એટલે અંગ્રેજી આવડવી જરૂરી છે પરંતુ તેનો વિવેક અનિવાર્ય છે. મોરારીબાપુની એક વાત મને યાદ આવે છે તેઓના મતે અંગ્રેજી કામની ભાષા છે જેથી તેની પાસે કામવાળીની જેમ કામ લેવાય પરંતુ ગૃહિણીનું સ્થાન કે માનપાન ન અપાય. અંગ્રેજીનો બિઝનેસ લેંગ્વેજ તરીકે વેપાર પૂરતો મર્યાદિત ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી પરંતુ અંગ્રેજી ભાષા પાછળની ઘેલછા જો માતૃભાષાનું ગૌરવ ન જાળવી શકતી હોય તો તે ચોક્કસ ધૃણાજન્ય કહેવાય. આજકાલ ગુજરાતી ન આવડવાનું ગૌરવ અને અંગ્રેજી ન આવડવાની શરમ મને તો અસહ્ય લાગે છે. અંગ્રેજી એક ગેસ્ટ લેંગ્વેજ છે જ્યારે માતૃભાષા એક બેસ્ટ લેંગ્વેજ છે એ તો સમજવું જ રહ્યું. ચંદ્રકાંત બક્ષી જણાવે છે કે જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકોને પ્રથમ કક્કો બારાખડી માતૃભાષા સિવાયની ભાષામાં શીખવતી નથી કેમ કે સફળતાનો સંબંધ ભાષા સાથે નહીં જ્ઞાન અને બુદ્ધિ સાથે છે. વિદેશી ભાષા બારી સમાન છે જ્યારે માતૃભાષા દરવાજા સમાન છે. બહાર ડોકિયું કરવા પૂરતો બારીનો ઉપયોગ અવશ્ય થઈ શકે પરંતુ આવન-જાવન માટે તો દરવાજો જ ઉપયોગી છે એ ન ભૂલવું જોઈએ.
સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના કેરોલ બેન્સંનનો એક અભ્યાસ “the importance of mother tongue – based schooling for educational quality” ના તારણો ખૂબ રસપ્રદ અને સમજવા જેવા છે જે નીચે મુજબ છે.

૧) માતૃભાષામાં ભણનાર અન્ય ભાષા ઝડપથી શીખી શકે છે.
૨) માતૃભાષામાં અભ્યાસ કરનાર દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લે છે.
૩) વાલીઓ માતૃભાષાની શાળામાં સંવાદમાં સગવડતા અનુભવે છે.
૪) dropout કેસની સંખ્યા ઘટે છે.
૫) પ્રશ્નોના જવાબ આપવાની વિધ્યાર્થીઓની હિંમત ખુલે છે.

માતૃભાષામાં ભણતરના અનેક બીજા લાભો પણ છે જેમકે વિદ્યાર્થીની જ્ઞાનપ્રાપ્તિની ઝડપ વધે છે. ભાષા સાથે બાળકની ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ જોડાયેલી છે. દિલના ભાવો રુદન, ક્રોધ, સ્વપ્ન લાગણી વગેરે માતૃભાષામાં જ પ્રદર્શિત થાય છે. ભણતરનું માધ્યમ અને બૌદ્ધિક વિકાસને ઊંડો સંબંધ છે. માનવમગજરૂપી કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. વિદેશી ભાષામાં ભણવામાં મગજ પર બેવડો બોજ પડે છે. પહેલા મગજ શબ્દનું પોતાની માતૃભાષામાં ભાષાંતર કરે છે અને પછી વિષયવસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે મગજ પર બેવડો બોજ પડવા સાથે સમય અને શક્તિનો પણ વ્યય થાય છે.

અંગ્રેજી માધ્યમનું ભણતર એટલે બાળકોનું લઘુતાગ્રંથિથી પીડાવું અને મા-બાપનું ગુરુતાગ્રંથીથી પીડાવું. ભાષા અધ્યયન ક્ષેત્રે કાર્યરત સ્ટેવિકના મત અનુસાર ભાષા અધ્યયન પર અનેક પરિબળોની ગહન અસર થાય છે. જે તમામને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. ભૌતિક પરિબળોમાં સ્વાસ્થ્ય, શારીરિક ખોડખાપણ, જાતિ અને ઉંમરનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પરિબળોમાં બુદ્ધિ, ધ્યાન, યોગ્યતા, હેતુ, ઈરાદો અને રસનો સમાવેશ થાય છે. સામાજિક પરિબળોમાં ઘર-પરિવાર, મિત્રવર્તુળ, શાળા, ચેટિંગ ગ્રુપ, સમૂહ માધ્યમ અને સામાજિક પ્રસંગોનો સમાવેશ થાય છે.

ટૂંકમાં “કેમ છો” કહેવામાં જે આત્મીયતા અને આનંદ અનુભવાય છે તે how are you” કહેવામાં ક્યારેય અનુભવી શકાતો નથી. આત્મીયતાનું આ વિશેષ લક્ષણ માત્ર માતૃભાષા સાથે જોડાયેલું છે એટલે જ કદાચ વ્યક્તિને સ્વપ્ના હંમેશા માતૃભાષામાં આવે છે અને ગુસ્સો પણ માતૃભાષામાં જ વ્યક્ત થતો હોય છે કેમ કે હૃદયની ભાષા માતૃભાષા જ છે. માતા સમાન તમામ ગુણો માતૃભાષામાં હોવાને કારણે જ તેને માતાની ભાષા “માતૃભાષા” તરીકે ઓળખવામાં આવે છે. હવે એ તો આપણે નક્કી કરવાનું કે આપણે માતાને કેટલો પ્રેમ કરવો? કારણકે પ્રેમ કરવાની સ્વતંત્રતા દરેક વ્યક્તિને જન્મજાત પ્રાપ્ય છે. જરૂર છે માત્ર વિવેક અને સંસ્કારની કે જેના દ્વારા સમજી શકાય શું યોગ્ય છે અને શું અયોગ્ય. વિશ્વ માતૃભાષા દિને માતા સમાન માતૃભાષાનું આપણે ગૌરવ કરીએ અને તેનું સન્માન જાળવીએ એ જ અભ્યર્થના.

~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: shilpa shahવિશ્વ માતૃભાષા દિનશિલ્પા શાહ
SendShare48Tweet30Scan
ADVERTISEMENT
Previous Post

પ્રમાણિકતા + પ્રસન્નતા + પવિત્રતા = પરમાત્મા

Next Post

પાછો ક્યાં લાવી શકાય છે

Related Posts

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

433
ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

396
શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

295
ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

290
ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

331
જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

જ્વેલરી સંગ્રહ કરવાની જાણી લો આ રીત, વર્ષો પછી પણ ચમક એવીને એવી જોવા મળશે

626
Next Post
એક ક્ષણ જિંદગી – ભાગ ૧

પાછો ક્યાં લાવી શકાય છે

ખૂટીના ગુલામ

ખૂટીના ગુલામ

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ

પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

પુરુષોએ ખાવા જોઈએ આ 3 ડ્રાયફ્રૂટ્સ

ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

પ્રોટીનથી ભરપૂર ‘દાળ પુલાવ’ આ રીતે બનાવો

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

ઉનાળાની ઋતુમાં સેન્ડલ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, કોઈ સમસ્યા નહીં થાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

શું ઉનાળામાં પગમાં પરસેવો વળે છે? તો આ 5 ઘરેલું ઉપાય

ભાવનગર રાજ્યના  પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

ગરમ કે ઠંડુ… આમાંથી ક્યું દુધ પીવું સૌથી વધુ ફાયદાકારક ?

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!