તમારામાં રહેલ મહાન શક્તિઓ અને શક્તિજાગૃતિના કેન્દ્ર વિષે શું તમે માહિતગાર છો?
દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે જરૂરી શરત છે શક્તિ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વિકસિત અને શક્તિશાળી પ્રાણી મનુષ્ય છે. એની પાસે એટલી બધી શક્તિ છે કે એ ધારે તો ઈશ્વર બનવાની તાકાત પણ ધરાવે છે. પરંતુ આપણે આપણી અનેક મહાન શક્તિઓ વિષે માહિતગાર નથી જેથી તેનો ઉપયોગ કરી શકતા નથી. જુદી જુદી ત્રીસ પ્રકારની શક્તિ મનુષ્યને જન્મથી જ પ્રાપ્ય છે. આ તમામ શક્તિની જાગૃતિ માટે આપણા શરીરમાં વિશેષ કેન્દ્રો આવેલા છે જેના દ્વારા શક્તિજાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ તેમજ રૂપાંતરણ અર્થાત મનુષ્યની વૃત્તિ આદતો સ્વભાવમાં ફેરફાર થઈ શકે...