માતાનો મઢ(તા.લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે. ઘણા સમુદાયો આશાપુરા માતાને તેમની કુળદેવી માને છે. મુખ્ય લોકોમાં નવાનગર, રાજકોટ, મોરબી, ગોંડલ બારીઆ રાજ્યનો શાસક વંશ, ચૌહાણ અને જાડેજા રાજપૂતો શામેલ છે.
આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે અને તેની વિશેની માન્યતા એવુ કહે છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી.
માતાના મઢ ખાતે મુખ્ય મંદિર અથવા દેવી આશાપુરા સિવાય ત્યાં હિંગળાજ માતા, છચરા ભવાની, ખાટલા ભવાની (મુખ્ય મંદિરની ઉત્તર-પશ્ચિમમાં એક ટેકરી પર) અને એકમાં ગુફામાં જાગોરા ભવાનીને સમર્પિત મંદિરો છે. નજીકમાં ટેકરીઓ. ત્યારબાદ ભગવાન શિવ અને અન્ય દેવ-દેવીઓને પણ સમર્પિત મંદિરો છે.
વર્ષ દરમિયાન આશાપુરા માતાજીના મંદિરમાં ‘ચૈત્રી’ (એપ્રિલ / મે) અને ‘અશ્વિન’ (સપ્ટેમ્બર / Octoberક્ટોબર) નવરાત્રિ દરમિયાન વિશેષ વિધિ કરવામાં આવે છે. ‘મહંત’ અથવા રાજા નવ દિવસ દરમિયાન ઉપવાસ કરે છે અને સાતમા (‘સપ્તમી’) દિવસની મધ્યરાત્રિએ ‘હવન’ સમારોહ કરે છે. બીજા દિવસે (‘અષ્ટમી’) મુખ્ય પૂજા મહારાઓ અથવા કચ્છના ભૂતપૂર્વ શાસક પરિવારના કોઈ અન્ય સભ્ય દ્વારા કરવામાં આવે છે.