તું મને મળવાં તડપીશ,
તું મને ચાહવાં તડપીશ !
એ
સમયે
તારી આંખમાં
આંસુ હશે,
કેમ કે,
તને
સાચું
સમજાયું હશે !
પણ
ત્યારે હું…
– મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”
તું મને મળવાં તડપીશ,
તું મને ચાહવાં તડપીશ !
એ
સમયે
તારી આંખમાં
આંસુ હશે,
કેમ કે,
તને
સાચું
સમજાયું હશે !
પણ
ત્યારે હું…
– મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી...
ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા
આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટરિયમ ખાતે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી સીનિયર સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રશાંતભાઈ ભિમાણી, ગવર્નમેન્ટ ફિઝ્યોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યજ્ઞાબેન શુક્લા તથા જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર આરતીબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અનેક નૃત્ય, માઇમ અને સ્ટેન્ડ અપ જેવા કલચરલ પરફોર્મન્સ આપયા હતા જે ખુબજ રસપ્રદ હતા. 500 જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે જાગૃત કરવા મૉબેક્સ કંપની દ્વારા એક સીડ પેપર દ્વારા બનેલી કુપન આપવામાં આવી હતી જે વાપર્યા પછી તેને કુંડા માં વાવવા થી એક છોડ...
શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...
પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી
નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ...
"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...
સૃષ્ટિનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને 'મહામંત્ર' પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર...
છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....
શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.