આજે અષાઢી બીજ પણ નકોરડી જતી રહી. એક ટીપું પણ વરસાદ ના પડ્યો અને બીજ પણ દેખાયા નથી.. કુદરત જાણે શું થાશે.. એક તો અમારે જમીન ટૂંકી માણસો ઝાઝા ને એમાંય આધાર તો ખેતી જ. મોલ પાણી વગર સુકાઈ જવાના થયા, માણસનું નહીં તો આ માલનું જોઈને, ઈ મુંગા પ્રાણીઓ… એને પણ બે ટંકનો સારો-પાણી તો આપવું પડે, જો આમને આમ રહેશે તો તો ઢોરને શું, અમારેય પીવાના પાણીના ફાંફા થઈ જાશે. આમ બબડતાં બબડતાં રાત્રિના 10 વાગ્યે ધીરુભાઈ ઘરઆંગણે ખાટલો ઢાળીને આકાશ તરફ મોં રાખી બોલતાં હતાં.. વિચારોમાં ને વિચારોમાં બે વાગી ગયા પણ ધીરુભાઈની આંખમાં નિંદ્રાનું નામ નહીં.. થોડીવાર પછી ઝોકું આવતાં ઘરમાં જઇને સૂઈ ગયા.. હજુ એમને નિંદર આવી જ હતી ત્યાં એમનાં ચહેરા પર ટપ..ટપ પાણીના ટીપાં પડવા લાગ્યા ને ધીરુભાઈ એ મોડી રાત્રે ગામનાં પાદરમાં ઢોલ વગાડ્યા..
પીડાદાયક લાગણીઓ
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...