• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, February 3, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    પાત્ર નિર્માણ

    પાત્ર નિર્માણ

    દેહનું કંપન

    દેહનું કંપન

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    દેહનું કંપન

    દેહનું કંપન

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    પાત્ર નિર્માણ

    પાત્ર નિર્માણ

    દેહનું કંપન

    દેહનું કંપન

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    છોગાળા હવે તો છોડો

    છોગાળા હવે તો છોડો

    મારી દીકરી ક્યાં?

    મારી દીકરી ક્યાં?

    બદમાશ

    બદમાશ

    દલો તરવાડી ~ વાર્તા

    દલો તરવાડી ~ વાર્તા

    દેહનું કંપન

    દેહનું કંપન

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    ટીફીનમાં બાળકોને આપો વેજીટેબલ મસાલા ટોસ્ટ

    Happy Teachers Day

    Happy Teachers Day

    સફર શરૂ કરી છે તો…

    સફર શરૂ કરી છે તો…

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    એક બાળકનો વિશ્વાસ

    એક બાળકનો વિશ્વાસ

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

    ડિવોર્સી

    ડિવોર્સી

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    વિન્ટર ફેશન ટિપ્સ: વૂલન ટોપીમાં સ્ટાઇલિશ દેખાવાની રીતો, ઠંડા પવનથી પણ બચાવશે

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    શિયાળામાં તાવ હોય કે શરદી, આ ઉપાયથી દૂર થશે આ રોગો

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

    પાંપણોને સુંદર બનાવવા માટે લેશ પ્રાઈમર ચોક્કસ લગાવો, જાણો તેના ફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

જીવનમાં આપણને અનેક અફસોસ છે શા માટે ?

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

i Gujju by i Gujju
in i - ગુજ્જુ, ધર્મ અને આધ્યાત્મિકતા, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
35 1
A A
0
40
SHARES
148
VIEWS
Share on WhatsappShare on Facebook

ગયા રવિવારે પ્રકાશિત થયેલ મારો લેખ “જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે” અંતર્ગત મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મને મેસેજ કર્યો કે મેડમ બહુ મસ્ત ઉદાહરણ દ્વારા તમે સમજાવ્યું છે કે ખૂબ સહજતાથી જીવનની લાક્ષણિકતા સમજાઈ જાય અને જીવનના વ્યર્થ અફસોસ દૂર થઈ જાય. પરંતુ મેડમ મારી તમને નમ્ર અપીલ છે કે તમે અફસોસ પર કંઈક લખો એટલે આજનો આર્ટીકલ તે વિદ્યાર્થીને સમર્પિત છે.

જીવનમાં લગભગ દરેક વ્યક્તિને કંઈકને કંઈક અફસોસ આજીવન રહેતો જ હોય છે. અફસોસ વગરની વ્યક્તિ સંસારમાં શોધવી કે જડવી મુશ્કેલ છે. જેથી મને થાય કે પ્રથમ એ સમજવું જોઈએ કે અફસોસ કોને કહેવાય? અફસોસ શા માટે થાય છે? એની જીવન પર શું અસર પડે છે? અફસોસ કેટલા પ્રકારના હોય છે એટલે કે કઈ કઈ બાબત માટે સામાન્ય રીતે આપણે અફસોસ અનુભવાય છીએ અને અફસોસથી મુક્તિ શક્ય છે ખરી? જો શક્ય હોય તો કેવી રીતે?

સામાન્ય સમજણ અનુસાર અફસોસ એટલે જીવનમાં કશુંક આપણી મરજી કે ઇચ્છા અનુસાર ન થવું. આપણી આપણા જીવન પાસે કે સંબંધો પ્રત્યે ઇચ્છા કે અપેક્ષા જુદી હોય અને જીવનમાં થાય બિલકુલ વિરુધ્ધ, જે સામાન્ય રીતે આપણને માન્ય ન હોય જેથી અફસોસ જન્મતો હોય છે. સામાન્ય રીતે અફસોસ અનેક પ્રકારના હોય છે જેમ કે અન્ય જેવું સૌદર્ય મરી પાસે નથી, અન્ય જેવું જ્ઞાન, શક્તિ કે ધન નથી, અન્ય જેવું પદ-પ્રતિષ્ઠા કે મોભો નથી, અન્ય જેવા મધુર સંબંધો, પ્રેમ કે હૂંફ નથી વગેરે વગેરે. જીવનમાં મારી સાથે કશું સારું થતું જ નથી, બધા જે સરળતાથી મેળવી લે છે તે કાં તો મને મળતું નથી અથવા જો મળે છે તો ખૂબ મુશ્કેલી બાદ મળે છે, જેથી મેળવ્યાનો આનંદ રહેતો નથી. આવા પારાવાર અફસોસ પાછળ મારી સમજ અનુસાર ત્રણ કારણો જવાબદાર છે.
૧) પરમશક્તિ પરની શ્રદ્ધાનો અભાવ
૨) કર્મના સિદ્ધાંતની યથાર્થ જાણકારીનો અભાવ
૩) “સ્વ”ની સાચી ઓળખનો અભાવ એટલે કે પોતાનું શું છે આ દુનિયામાં તેનું અજ્ઞાન.

જે વ્યક્તિને પરમાત્મા પર ભરોસો છે કે તે જે કાંઈપણ કરશે તે મારા માટે ઉત્તમ અને કલ્યાણકારી જ હશે, તો જીવનમાંથી અફસોસની બાદબાકી ખૂબ સરળતાથી થઈ શકે કેમ કે આપણી પોતાની સમજણ કે જ્ઞાન કરતા વસ્તુની પરખ પરમાત્માને વધુ છે. આપણા માટે શું સારું અને શું ખરાબ તેની વાસ્તવિક સમજ આપણને ક્યારેય હોતી જ નથી. પરંતુ પરમાત્માને તેની ખૂબ સૂક્ષ્મ અને યથાર્થ સમજ છે. ઘણીવાર આપણે જેને ઉત્તમ, કલ્યાણકારી અને લાભદાયી માનીએ છીએ તે વાસ્તવમાં આપણા માટે આવનાર સમયમાં અકલ્યાણકારી, નુકસાનકારક અને પીડાદાયક સાબિત થતું હોય છે એ આપણા સૌનો અનુભવ રહ્યો છે. કેમ કે આપણે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ અને આપણી ઇન્દ્રિયોની શક્તિ ખૂબ મર્યાદિત છે જેથી દેખાય, સંભળાય કે અનુભવાય તે ઘણીવાર સત્ય હોતું નથી. જ્યારે પરમેશ્વર ત્રિકાળ જ્ઞાની છે, તેની દૃષ્ટિમાં એટલું સાતત્ય છે કે તે જીવના જન્મોજન્મના કર્મો, વૃત્તિ અને ઈચ્છાને જાણે છે અને એ અનુસારનું જ આયોજન કર્યા કરે છે. જે આપણી સ્થૂળબુદ્ધિને સમજાતું ન હોવાથી આપણને તે અયોગ્ય લાગે છે અને જીવનમાં આપણે અનેક અફસોસઓને પાળીએ છીએ,પોષીયે છીએ. જે અવિરત આપણને દુઃખી કર્યા કરે છે. આપણે તે અફસોસ દૂર કરવા અવિરત પ્રયત્નશીલ અને સક્રિય રહીયે છીએ. જે સક્રિયતા આપણને થકવી નાખે છે કેમ કે તે અયોગ્ય દિશાનો વ્યર્થ પ્રયત્ન હોય છે જે કદી ફળીભૂત થઇ શકતો નથી જે સમાપ્ત ન થઈ શકે એવી અફસોસની શૃંખલા સર્જે છે અને વ્યક્તિ તેમાં ફસાતો જ જાય છે. અફસોસને દૂર કરવા કે અફસોસમાંથી બહાર નીકળવા ઈશ્વર પર ભરોસો અનિવાર્ય છે. ઈશ્વરશ્રદ્ધા કેળવવાથી જીવનમાં કોઈ પ્રકારનો અફસોસ રહેતો નથી કે જે વ્યક્તિને દુઃખી કરી શકે.

અફસોસ પાછળનું બીજું કારણ કર્મના સિદ્ધાંતનું આપણું અજ્ઞાન છે એટલે કે જન્મો-જન્મના અનેક કર્મો આપણા જીવનમાં અનુકૂળતા-પ્રતિકૂળતા, હર્ષ-શોક, સુખ-દુખ, અંતરાય, વેદના, આસક્તિ સર્જતા હોય છે. હિંદુધર્મ અનુસાર કર્મ ત્રણ પ્રકારના છે, ક્રિયામણ કર્મ, સંચિતકર્મ અને પ્રારબ્ધકર્મ. જે કર્મો આપણે કરીયે છીએ તે જો તરત ફળ આપે તો તે પ્રારબ્ધ બનીને સામે આવે છે. પરંતુ જો તે તાત્કાલિક ફળ આપવા સક્રિય ન બને તો તે સુસુપ્ત અવસ્થામાં પડી રહે છે જેને સંચિત કર્મો કહે છે. પરંતુ તે કર્મો ગમે ત્યારે પાકીને સામે અવશ્ય આવે છે જે વ્યક્તિનું પ્રારબ્ધ ઘડે છે અને પ્રારબ્ધકર્મોનો છુટકારો ભોગવ્યા કે સહન કર્યા વગર થઈ શકતો નથી. જૈનધર્મમાં કર્મોની ખૂબ સૂક્ષ્મ સમજ દર્શાવાઈ છે જેમાં આઠ પ્રકારના કર્મોની છણાવટ છે.
૧) જ્ઞાનાવરણીયકર્મ – કે જે જ્ઞાનની કક્ષા નક્કી કરે છે. જ્ઞાનને ઢાંકતા આવરણની સમજૂતી આપે છે.જે અનુસાર વ્યક્તિને કેટલું જ્ઞાન મળશે? તે કેટલું જ્ઞાન પચાવશે અને કેટલા જ્ઞાનનો લાભ મેળવી શકશે તેનો અંદાજ આપે છે.
૨) મોહનીયકર્મ – કે જે જીવની સંસાર પ્રત્યેની આસક્તિ અને મોહની સમજ આપે છે.
૩) વેદનીયકર્મ – કે જે જીવાત્માનીની સંવેદના નક્કી કરતું મહત્વનું પરિબળ છે. સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે જીવને જુદા-જુદા પ્રકારની વેદના આપે છે અને એ વ્યક્તિએ સહન કરવી જ પડતી હોય છે.
૪) અંતરાયકર્મ – જે જીવનમાં કેટલા વિઘ્નો અવરોધો કે અંતરાય આવશે તે અંગેની માહિતી આપે છે. કેટલા અને કેવા અંતરાય (અવરોધો અને વિઘ્નો) જીવનમાં આવશે તેનો આધાર વ્યક્તિના પોતાના અંતરાયકર્મ પર રહેલો છે.
૫) આયુષ્યકર્મ – જે જીવાત્માના જીવનની લંબાઈ નક્કી કરે છે.
૬) નામકર્મ – જે વ્યક્તિના નામ-રૂપ, રંગ, અંગોપાંગ, યશ, સૌદર્ય, સૌભાગ્ય વગેરે નક્કી કરે છે.
૭) દર્શનાવરણીયકર્મ – જે વ્યક્તિના સમ્યક દર્શનને અસર કરે છે જેના કારણે તે વાસ્તવિકતાને સમજી શકે છે. યોગ્ય દર્શનમાં આવરણ ઉભું કરતુ કર્મ એટલે દર્શનાવરણીયકર્મ.
૮) ગોત્રકર્મ – કે જે મનુષ્યની જ્ઞાતિ, વર્ણ, કુળ, ધર્મ, ગોત્ર વગેરે નક્કી કરે.

સામાન્ય રીતે મનુષ્યની શોધના સાત કેન્દ્ર છે જ્ઞાન, પ્રેમ, શક્તિ, સૌંદર્ય, શાંતિ, આનંદ અને અમરત્વ વ્યક્તિ અવિરત આ સાતની ઝંખનામાં જ રચ્યોપચ્યો રહે છે. જે તેના ઉપર જણાવેલ આઠ કર્મોને આધીન છે. હવે જો આમાંનું કશું આપણને ન મળવાનો અફસોસ હોય તો તેનો અર્થ એ છે કે કર્મની થીયરીનું યથાર્થ જ્ઞાન આપણી પાસે નથી. જેથી અમૂલ્ય જીવન આપણે અફસોસમાં વિતાવીએ છીએ. જો કર્મસિદ્ધાંતના યથાર્થ સ્વરૂપને ખૂબ સૂક્ષ્મ રીતે જાણી લઈએ તો જીવનમાંથી અફસોસ દૂર કરવો સહજ અને સરળ બની જાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિને જ્ઞાન, શક્તિ, સફળતા, પ્રેમ, સૌદર્ય, આયુષ્ય, આનંદ, શાંતિ પર્યાપ્ત નથી મળી તેનો અફસોસ હોય છે જે વાસ્તવમાં અન્ય સાથે સરખામણી કરવાથી સર્જાય છે એ દ્રષ્ટિએ દેખાદેખીનો સદંતર ત્યાગ કરવો જોઈએ. વળી જે કંઈ આપણને મળ્યું છે તે આપણા પોતાના કર્મોને આધીન છે એ તો સમજવું જ રહ્યું.

અફસોસ માટે જવાબદાર ત્રીજું સૌથી મહત્વનું કારણ એ “સ્વ”ની સાચી ઓળખનો અભાવ છે. “સ્વ” એટલે “હું” સ્વનું એટલે પોતાનું. આમ આપણને “હું કોણ” અને “મારું કોણ” એ ખબર હોતી જ નથી. પારકા કોણ અને પોતાનું કોણ એ ખબર ન હોવાને કારણે સામાન્ય રીતે પારકાને ખુશ કરવાના ચક્કરમાં પોતાનાની આપણે આજીવન ઉપેક્ષા કરતા રહીએ છીએ. જેને કારણે જીવનમાં સંબંધો દ્વારા જે સુખ, પ્રેમ, સ્નેહ અને હુંફ મળવી જોઇતી હતી તે મેળવી શકતા નથી. વળી સૌથી પીડાદાયક વાત તો એ છે કે આપણા સુખનો આધાર અન્ય પર છે અને “અન્ય” તો હંમેશા અન્ય જ રહેવાના. “અન્ય” કદી સુખનું કારણ ન બની શકે એ દૃષ્ટિએ આપણા સુખનો આધાર આપણા પોતાના (સ્વ) પર હોવો જોઈએ અન્ય પર કદાપિ નહીં. આમ તો આ દુનિયામાં આપણું પોતાનું કે અંગત સંપૂર્ણ ભરોસાપાત્ર આપણા પોતાના આત્મા સિવાય કોઈ જ નથી. “સ્વ”ની ઉપેક્ષા અને અન્યની અપેક્ષા એ જીવનના દરેક અફસોસનું મૂળભૂત કારણ છે. મનુષ્યજીવનની શોધના સાતેય કેન્દ્ર (શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, શાંતિ પ્રેમ, આનંદ અને અમરત્વ) ની પ્રાપ્તિ સ્વની સાચી ઓળખ અને સ્વની પ્રાપ્તી સાથે જ થાય છે. પરંતુ આપણે આજીવન સ્વને ઓળખી કે પામી શકતા નથી જેથી અફસોસ આપણું કિસ્મત બની જાય છે.

એક પુસ્તક “five regrets of my life”માં જણાવ્યા અનુસાર મૃત્યુ પથારીએ પડેલા અનેક લોકોને પૂછવામાં આવ્યું કે તમારા જીવનના પાંચ મુખ્ય અફસોસ વિશે લખો, સંશોધન જણાવે છે કે મોટાભાગના લોકોનો પ્રથમ અને સૌથી મહત્વનો અફસોસ એ હતો કે “અમે અમારી ઇચ્છા પ્રમાણે જીવી શક્યા નથી અને જો ફરી જીવન મળે તો પોતાની ઈચ્છા પ્રમાણે વ્યતિત કરવાની અમારી અદમ્ય ઈચ્છા છે”. આ સંશોધન પરથી સમજાય છે કે વ્યક્તિ આજીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવી જ નથી શકતો એનું એક મુખ્ય કારણ એ છે કે તેને ખબર જ નથી વાસ્તવમાં તેની ઈચ્છા શું છે કારણ કે ક્ષણે-ક્ષણે તેની ઈચ્છા બદલાયા કરે છે. આ જ રીતે જીવન ભટકવામાં પસાર થાય છે અને મંઝિલ પ્રાપ્ત થઈ શકતી નથી. વળી મેં અગાઉ કહ્યું એમ આપણે આપણી દરેક ઈચ્છાપૂર્તિ માટે અન્ય પર આધારિત છીએ. એક તો સ્વની સાચી ઓળખ આપણને છે નહીં અને બીજું જીવનમાં અન્ય બધા જ આપણને અનુકૂળ થઈને રહે અથવા જેના પર તમારી ઈચ્છાપૂર્તિનો આધાર છે એ તમને સંપૂર્ણ સંતોષ આપે એ બનવું લગભગ અશક્ય છે.
જીવનને જો અફસોસમુક્ત કરવા ઇચ્છતા હો તો સ્વને સમજો, સ્વને ઓળખો, પારકા અને પોતાના એવા દ્વંદમાંથી બહાર આવો.

અપેક્ષા, ઉપેક્ષા અને ફરિયાદોના વમળમાંથી બહાર નીકળ્યા વગર જીવનનો સાચો આનંદ શક્ય નથી. આપણું સમગ્ર જીવન વાસ્તવમાં અસંખ્ય અપેક્ષા અને ફરિયાદોમાં જ વ્યતિત થતું હોય છે. અપેક્ષાનો મતલબ જ છે કે તમારા સુખનો આધાર અન્ય ઉપર છે અને અન્ય કદી પોતાના થઈ શકે નહિ. પરંતુ આપણને એ સનાતન સત્ય આજીવન સમજાતું જ નથી અને જ્યારે અપેક્ષા પરિપૂર્ણ થતી નથી ત્યારે અફસોસ અને ફરીયાદોની વણઝાર સર્જાય છે. જેમાંથી વ્યક્તિ ક્યારેય બહાર નીકળી શકતો નથી. આમ “સ્વ”ની ઉપેક્ષા અને અન્યની અપેક્ષા જીવનમાં અનેક અફસોસનું મૂળ કારણ છે. જેથી અન્ય પરની અપેક્ષાને ઓછી કરો, સ્વને ઓળખો કેમ કે એની પ્રાપ્તિ સાથે જીવનની શોધના સાતેય કેન્દ્રો સિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. ઇશ્વર પરની શ્રદ્ધાને વધારો જેથી દ્રષ્ટિદોષ દૂર કરી શકાય (આપણને ક્યારેય વસ્તુ કે વ્યક્તિ જેવી હોય તેવી દેખાતી નથી જેને દૃષ્ટિદોષ કહેવાય) અને કર્મસિદ્ધાંતના યથાર્થ સ્વરૂપને સમજો તો મને વિશ્વાસ છે કે દરેકના જીવનમાંથી વિભિન્ન પ્રકારના અફસોસની બાદબાકી અવશ્ય થઈ શકશે.

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare16Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 101 થી 105

Next Post

ત્રીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

Related Posts

11 બાળકોનાં ઉખાણાં

by iGujju
0
322
11 બાળકોનાં ઉખાણાં
બાળ વિશેષ

કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...

Read more

એક બાળકનો વિશ્વાસ

by iGujju
0
325
એક બાળકનો વિશ્વાસ
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ.   ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...

Read more

છોગાળા હવે તો છોડો

by iGujju
0
324
છોગાળા હવે તો છોડો
બાળ વિશેષ

છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...

Read more

મારી દીકરી ક્યાં?

by iGujju
0
427
મારી દીકરી ક્યાં?
મહિલા વિશેષ

આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક

Read more

બદમાશ

by iGujju
0
499
બદમાશ
કલા-સાહિત્ય

બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...

Read more

દલો તરવાડી ~ વાર્તા

by iGujju
0
642
દલો તરવાડી ~ વાર્તા
બાળ વિશેષ

એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...

Read more

પાત્ર નિર્માણ

by iGujju
0
498
પાત્ર નિર્માણ
26 જાન્યુઆરી

જ્યારે પ્રાચીન ચીનીઓએ શાંતિથી રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ ચીનની મહાન દિવાલ બનાવી. તેઓએ વિચાર્યું કે તેની ઊંચાઈને કારણે કોઈ તેના પર ચઢી શકશે નહીં. તેના અસ્તિત્વના પ્રથમ 100 વર્ષો દરમિયાન, ચીનીઓ પર ત્રણ વખત આક્રમણ થયું હતું. અને દર વખતે, દુશ્મન પાયદળના ટોળાને દિવાલ પર ઘૂસી જવાની કે ચઢવાની જરૂર ન હતી... કારણ કે દરેક વખતે તેઓ રક્ષકોને લાંચ આપીને દરવાજામાંથી આવતા હતા. ચીનીઓએ દીવાલ તો બનાવી પણ દીવાલ-રક્ષકોના પાત્ર-નિર્માણને ભૂલી ગયા. આમ, માનવીય ચારિત્ર્યનું નિર્માણ અન્ય કંઈપણના નિર્માણ પહેલાં આવે છે. આજે આપણા વિદ્યાર્થીઓને તેની જ જરૂર છે. જેમ કે એક પ્રાચ્યવાદીએ કહ્યું: જો તમે કોઈ રાષ્ટ્રની સંસ્કૃતિનો...

Read more

દેહનું કંપન

by iGujju
0
341
દેહનું કંપન
વાર્તા અને લેખ

"આટલી ઉતાવળ! ઢોળીને ઢગલા કર્યા. ધિરજ જ નથી." ગુસ્સામાં બોલતી કવિતા મોં બગાડી કામ કરવા લાગી. આશાબેન લાચારીથી લથડાતી જીભે બોલ્યા, "બેટા, તમે કામ કરતાં હતાં અને ચા ઠરતી હતી, તો મને થયું.." અધવચ્ચે જ ગુસ્સામાં કવિતા બોલી, "તમે તમારો મગજ ન ચલાવો. ખબર છે ને શરીરમાં કંપનની તકલીફ છે તો કશું કામ નથી થતું. પણ તમે સમજો કે, માનો તો તમને શાંતિ ક્યાંથી થાય? ખરું ને ? શું થયુ ! ચા ઢોળાઈ ને!" આ સાંભળી આશાબેનની આંખમાં આંસુ આવી ગયા. આશાબેન હજી કંઈ સ્વસ્થતા ધારણ કરે એ પહેલા એનો દીકરો કવન આવ્યો, "શું બા રોજ માથાકૂટ? ઓલી બિચારીને જરા...

Read more

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!

by iGujju
0
432
Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ!
જાણવા જેવું

Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, બની શકA છે કંગાળ! ઘણા લોકોને વૃક્ષો અને છોડ માટે ખૂબ પ્રેમ હોય છે. એટલા માટે તેઓ ઘરમાં પણ છોડ લગાવે છે. ઘરમાં કેટલાક છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાંથી એક પ્લાન્ટ મની પ્લાન્ટનો છે. તેનું નામ સૂચવે છે તેમ તેનું કાર્ય પણ છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી પૈસાની કમી નથી આવતી. પરંતુ કેટલાક લોકોના ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ પૈસાની તંગી રહે છે. તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. આ કારણો વાસ્તુ ટિપ્સ સાથે સંબંધિત છે....

Read more

ડિવોર્સી

by iGujju
0
549
ડિવોર્સી
મહિલા વિશેષ

"શું સપના લઈને વિવાહિત સંબંધમાં પગ મૂક્યો હતો, અને આજે પાંચ વર્ષ પછી, હવે મારે જીવનના વિખેરાયેલા ટુકડાઓને ફરીથી એકત્રિત કરવા પડશે." મુક્તા મારા ખોણામાં માથું મૂકીને રડી રહી હતી. હું એને કાંઈ આશ્વાસન આપું, તે પહેલાં એને એક બીજા પછતાવાએ ઘેરી લીધો, "મમ્મી, મેં હજી થોડું સહન કરી લીધું હોત તો? વિરેનને કાંઈક સમય આપ્યો હોત, તો કદાચ મારા લગ્ન બચી જાત." સમાન પ્રોફાઇલ ધરાવતા વીરેન શાહ સાથે અમે મુક્તાનું વૈવાહિક જોડાણ ગોઠવ્યું હતું. આનંદમય તો ન કહેવાય, પરંતુ પહેલું એક વર્ષ ઠીક રહ્યું. પછી જ્યારે લગ્નની નવીનતા ફીકી પડી ગઈ, ત્યારે આઘાતજનક વાતો સામે આવવા લાગી, જેણે મારી...

Read more
Load More
Next Post
ત્રીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

ત્રીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

WhatsAppમાં આવ્યું આ નવું ફીચર, હવે ગ્રૃપ એડમિનને મળશે નવા પાવર

WhatsAppમાં આવ્યું આ નવું ફીચર, હવે ગ્રૃપ એડમિનને મળશે નવા પાવર

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
PC - Google

મુકો પાવલી

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?

શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

વિદ્યાનું જીવનમાં શું મહત્વ? જાણો ચાણક્ય શું કહે છે?

એક બાળકનો વિશ્વાસ

એક બાળકનો વિશ્વાસ

11 બાળકોનાં ઉખાણાં

11 બાળકોનાં ઉખાણાં

એક બાળકનો વિશ્વાસ

એક બાળકનો વિશ્વાસ

છોગાળા હવે તો છોડો

છોગાળા હવે તો છોડો

મારી દીકરી ક્યાં?

મારી દીકરી ક્યાં?

બદમાશ

બદમાશ

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!