ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં કથક લાસ્ય નૃત્ય તરીકે જાણીતું છે. આમ તો કથકની પરિભાષા આપીએ તો કંઇક આમ અપાય “કથા કરે સો કથક કહેવાય”.
કથકને નૃત્યથી આગળ જો વિચારીએ તો એ ભાવ અને રસ પર આધારિત છે. આ નૃત્યની બંદિશો એકાગ્રતા અને અવિરત અભ્યાસ માંગી લે છે. તદ્ઉપરાંત આ નૃત્યમાં પગ ના ચલન પર ભાર આપવામાં આવે છે, જે થકવી નાખનારા અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. આ પરથી તમે સમજી જ શકશો કે કથક દ્વારા માનસિક તેમજ શારીરિક ક્ષમતા પ્રાપ્ત થાય છે.
જુદા જુદા લય અને તાલમાં એક જ બંદિશ ને ગોઠવી ને તેને પ્રસ્તુત કરવા માટે યોગ્ય ગણતરી આવશ્યક છે, એટલે કે કથક આપણા ગણિતની પણ ચકાસણી કરે છે.કથક નૃત્યમાં ભારતીય દેવ – દેવિઓના વર્ણન કરવામાં આવે છે જે આપણે આપણા સાંસ્કૃતિક વારસાથી જોડે છે.
આમ, કથક એ ભારતીય શાસ્ત્રીય નૃત્ય થી કંઇક આગળ અને કંઈક વધુ છે.
પીડાદાયક લાગણીઓ
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...