• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, March 31, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    રંગમંચે આ સૌએ જીવી જવાનું

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    કોઇ દીકરી પારકી નથી !!!

    કોઇ દીકરી પારકી નથી !!!

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    ત્યારે સીટી વાગે

    ત્યારે સીટી વાગે

    વિશ્વ રેડીયો દિવસ

    વિશ્વ રેડીયો દિવસ

    11 બાળકોનાં ઉખાણાં

    11 બાળકોનાં ઉખાણાં

    આધ્યાત્મિક ક્રોધ: એક પુણ્યપ્રકોપ

    ગુસ્સો

    શું તમે પણ સંબંધમાં મૌખિક દુર્વ્યવહારનો શિકાર છો?

    જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    સફળતાનો મંત્રઃ જીવનમાં સફળ થવા માટે સફળ લોકોની આ 5 આદતો અપનાવો

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,

    હાથી અને  ભૂંડ

    હાથી અને ભૂંડ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવાની સરળ ટિપ્સ

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    એલોવેરા માત્ર ત્વચા માટે જ સારું નથી પરંતુ થાઈરોઈડમાં પણ રાહત આપે છે…

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

    કિસમિસનો ઉપયોગ કરવાથી શિયાળામાં પણ ચહેરો ચમકશે

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

અશુદ્ધિનો ત્યાગ કર્યા વગર શુધ્ધિ મળે કેવી રીતે?

શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ, યુવા વિશેષ
Reading Time: 1 min read
107 1
A A
0
122
SHARES
452
VIEWS
Share on WhatsappShare on Facebook

તમામ પ્રકારની અશુદ્ધિથી છૂટકારો સંપૂર્ણ સ્વસ્થ, સફળ અને સક્ષમ જીવનની પૂર્વશરત છે. તન મન કે આત્મા જ્યાં સુધી અશુદ્ધ હશે ત્યાં સુધી જીવનમાં રોગ, બીમારી, તકલીફ અને સમસ્યા રહેવાની ઉપરાંત જીવન પણ આધિ-વ્યાધિ-ઉપાધિથી ગ્રસ્ત રહેવાનું જ. હા એ વાત જુદી છે કે કોઈને જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ પસંદ નથી. દરેકની હરહંમેશની કાયમી ઈચ્છા આધિ-વ્યાધિ-ઉપાધિમુક્ત જીવનની જ રહી છે. જે પ્રાપ્ત પણ અવશ્ય કરી શકાય પરંતુ તે માટે અશુદ્ધિઓને તેના યથાર્થ રૂપમાં સમજી તેનાથી છૂટવાનો પ્રામાણિક અને નિયમિત પ્રયત્ન કરવો પડે. કઠિન પુરુષાર્થ વગર અશુદ્ધિથી મુક્ત થવું અશક્ય છે એ તો સમજવું જ રહ્યું.

અશુદ્ધિઓ ત્રણ પ્રકારની હોય છે 1) તનની અશુદ્ધિ એટલે કે શારીરિક અશુદ્ધિ ૨) મનની શુદ્ધિ એટલે માનસિક અશુદ્ધિ અને ૩) આત્માની અશુદ્ધિ કે આત્મિક અશુદ્ધિ. તનની અશુદ્ધિ એટલે શરીર સાથે જોડાયેલ અશુદ્ધિઓ જે અનેક પ્રકારની બીમારીઓ અને રોગ માટે જવાબદાર છે. વિજ્ઞાન તેને ટોક્સિનના નામે ઓળખે છે જ્યારે આયુર્વેદ તેને વિષદ્રવ્યો કહે છે. શરીરમાં અપચો, કબજિયાત વગેરેને કારણે તેમ જ અયોગ્ય જીવનશૈલી (જેવી કે ગમે તે સમયે ઉઠવું, ગમે તે સમયે સૂવું, ગમે તેવું ખાવું, ગમે તે સમયે ખાવું વગેરે) પ્રાકૃતિક જીવન તરફની બેદરકારી (એટલે કે પ્રકૃતિના પંચમહાભૂતોથી વિરક્ત જીવન જીવવું) ને લીધે શરીરમાં વિષદ્રવ્યોનું પ્રમાણ વધતું હોય છે, જે અનેક રોગોને જીવનમાં આમંત્રણ આપે છે. તનની અશુદ્ધિ બે રીતે દૂર કરી શકાય ૧) સ્નાન દ્વારા અને ૨) યોગ્ય પૌષ્ટિક સાત્વિક આહાર દ્વારા. પરંતુ આપણે junk food (જંક એટલે કચરો) ખાઈ શરીરમાંથી અશુદ્ધિ દૂર કરવાને બદલે અશુદ્ધિ વધારીએ છીએ અને પછી બીમાર પડી અનેક એલોપેથીની દવા દ્વારા શરીરને વધુ ને વધુ અશક્ત બનાવી મૂકીએ છીએ. ટૂંકમાં જીવનભર ન કરવાના કાર્યો જ આપણે અવિરતપણે કર્યા કરીએ છીએ, કોઈ પ્રકારની સભાનતા કેળવતા જ નથી અને પછી જીવનભર કર્મ અને પ્રારબ્ધને દોષ દઈ સ્વહસ્તે ઊભી કરેલી અશુદ્ધિઓના પરિણામરૂપ અનેક તકલીફો અને પીડાઓને સહન કરતાં રહીએ છીએ. છતાં શુધ્ધિ તરફ અગ્રેસર થતાં નથી કે સમસ્યાના મૂળભૂત કારણ સમાન અશુદ્ધિને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા નથી. આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય શકે? આપણું શરીર શુદ્ધ હોય, આપણું ઘર શુદ્ધ હોય, આપણી આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ હોય તો આપોઆપ જીવન અનેક તકલીફો મુશ્કેલીઓ બીમારીઓ રોગોથી મુક્ત થઈ જાય. સ્વચ્છતાપૂર્ણ જીવનશૈલી એ જ સાચું સંસ્કારી જીવન છે. પરંતુ આપણે બધા કહેવાતા બુદ્ધિશાળી અને ભણેલાગણેલા લોકો બધું સમજતા હોવા છતાં અણસમજુ જ રહી ગયા છીએ. સમસ્યાના મૂળ સુધી પહોંચી જ શકતા નથી અથવા કદાચ પહોંચવા માગતા જ નથી. સમસ્યાનું કારણ સમજી તેને દૂર કરવાનો પ્રયન્ત ન કરીએ તો સમાધાન કે મુક્તિ મળે કેવી રીતે? શારીરિક શુદ્ધિ માટે શરીર સાથે જોડાયેલ અનેક પ્રકારની અશુદ્ધિઓને સમજવી પડે તે વગર સમસ્યામુક્ત જીવન શક્ય ન બની શકે અને સાચી સુખ-શાંતિ પણ ન મેળવી શકાય.

અશુદ્ધિઓનો બીજો પ્રકાર છે મનની અશુદ્ધિ. મન એક વૈશ્વિક ચેતના છે. મનની શક્તિ અગાધ છે. જે માત્ર મનુષ્ય પાસે છે. તેના ઉત્તમ ઉપયોગ દ્વારા જીવન સ્વર્ગ બની શકે અને તેનો અયોગ્ય ઉપયોગ જીવનને નર્ક સમાન પણ બનાવી શકે. મનની શુદ્ધિ જીવનની દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. મનની અશુદ્ધિ એટલે નકારાત્મકતા, સ્વાર્થ, હતાશા, અસંતોષ, નિરાશા, ભય અને તણાવ. વ્યક્તિના જેવા વિચારો તેવું તેનું જીવન. એવું કહેવાય છે કે વ્યક્તિ સાથે શું થાય છે તે એટલું મહત્વનું નથી જેટલું તે પરિસ્થિતિને કેવી રીતે લે છે તેનું મહત્વ વધુ છે એટલે કે “what happens to you is not that important but how you take it is very much important” ઘણાને માથે આભ તૂટી પડે તો પણ તે સ્વસ્થ હોય છે અને ઘણાને નાની એવી તકલીફ તોડી નાખે છે. અરે થોડી ગરમી વાતાવરણમાં વધી જાય તો પણ ઘણા લોકો ડિસ્ટર્બ અને પરેશાન થઇ જતા હોય છે. આમ મનની સ્થિતિ વ્યક્તિના જીવનની દિશા નક્કી કરે છે. કોઈને અતિ મોટું દુઃખ પણ દુઃખી નથી કરી શકાતું જ્યારે કોઈને નાની એવી મુશ્કેલી પણ અતિશય પીડાદાયક લાગે છે. વ્યક્તિ કેટલું સુખ મેળવશે કે કેટલું સુખ ભોગવી શકશે તેનો સંપૂર્ણ આધાર વ્યક્તિના મનની સ્થિતિ પર રહેલો છે. ઘણા લોકો પાસે તમામ પ્રકારના ભૌતિક સુખ-સગવડના સાધનો અને સાહિબી હોવા છતાં તેના જીવનમાં બિલકુલ આનંદ પ્રસન્નતા કે શાંતિ જોવા મળતી નથી. આજીવન ફરિયાદો સાથે જ તે જીવન પસાર કરે છે કેમ કે જીવનમાં સંતોષ નામનું તત્વ જ નથી. ઉપરાંત વ્યક્તિનો સ્વાર્થ હંમેશા એ હાઈટનો રહેતો હોય છે કે તેને બીજાની તકલીફ તો ક્યારેય દેખાતી જ નથી પરંતુ સૃષ્ટિ પરનું જીવન તો સહિયારું છે જેથી એક ને દુઃખી કરી અન્ય કદાપિ ખુશ રહી શકે નહી કેમ કે પ્રકૃતિના દરેક તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. વળી મનુષ્ય સતત કોઈ અજ્ઞાત ભયની જાળમાં કેદ રહે છે જેમ કે ભવિષ્યમાં શું થશે, હું બીમાર પડીશ તો શું થશે, વૃદ્ધાવસ્થામાં સંતાનો સેવા નહીં કરે તો મારું શું થશે વગેરે જેવી મનોદશા જીવનમાં ચિંતા નિરાશા હતાશાનો માહોલ સર્જે છે. વ્યક્તિની કોઈ નાની એવી ઇચ્છા કે અપેક્ષા પણ પૂર્ણ ન થતાં તે અતિશય ચિંતિત નિરાશ કે હતાશ થઈ જતો હોય છે. જીવનમાં સફળતા અને ધન પાછળની દોડ (materialistic success) એટલી તીવ્ર બની છે કે દેખાદેખી અને અન્યથી આગળ નીકળવાની ઇચ્છામાં તે સતત તણાવયુક્ત જીવન જીવે છે. જે તેની નિરાશા હતાશા ચિંતા ભય તનાવ અસંતોષમાં વધારો કરે છે. અનેક નિષ્ફળતાઓ કે કડવા અનુભવોને લીધે તેને થાય છે દુનિયામાં કોઈ સારું છે જ નહીં, બધા સ્વાર્થી છે, કોઈ ઉપયોગી નથી, બધા સ્વાર્થના અને લાભના સગા છે, આવી અનેક પ્રકારની નકારાત્મકતા તે જાણે-અજાણે અવિરત સર્જે છે. આજીવન આવી અનેક નકારાત્મકતા વચ્ચે વ્યક્તિ જીવે છે જે તેને આંતરિક રીતે ખતમ કરી નાખે છે. પરંતુ કમનસીબે તેને જીવનપર્યંત એ સમજાતું જ નથી કે નકારાત્મકતા કે અશુદ્ધિની સમગ્ર જાળ તેણે પોતે જ રચી છે. એમાંથી બહાર નીકળવા માટે શુદ્ધિપૂર્ણ પ્રયત્નો એણે પોતે જ કરવા પડશે. તે કોઈ અજ્ઞાતશક્તિ કે ભગવાનના ભરોસે બેઠો રહે છે પરંતુ ભગવાન પણ એને જ મદદ કરે છે જે પોતાના માટે કંઈક કરે, જાગૃત બને. ટૂંકમાં બીજા પ્રકારની અશુદ્ધિ એ માનસિક અશુદ્ધિ છે મનની અશુધ્ધિ છે જેને દૂર કર્યા વગર સમસ્યામુક્ત પ્રસન્ન જીવન શક્ય નથી.

ત્રીજી અશુદ્ધિ છે આત્માની અશુદ્ધિ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ મૂળભૂત રીતે અતિ શુદ્ધ સ્વસ્થ અને સુઘડ છે. પરંતુ આત્માને યુગોથી (જન્મોથી) વળગેલી કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર અને ઈર્ષારૂપી અશુધ્ધિઓએ તેની અસીમ શક્તિને હણી લીધી છે. હજારો વોટનો કોઈ બલ્બ હોય, જેનો પ્રકાશ ખૂબ તેજ હોય પરંતુ તેની આજુબાજુ સખત જાડા અને કાળા કપડાં વીંટી દેવામાં આવે તો તીવ્ર પ્રકાશ ધરાવતો તે બલ્બ શક્તિશાળી હોવા છતાં તેના વાસ્તવિક સ્વરૂપનો અને શક્તિનો લાભ લઇ શકે નહીં એટલે કે પોતાના પ્રકાશિત સ્વરૂપમાં રહી શકે નહીં. એ જ રીતે મનુષ્યના આત્માને કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર-ઈર્ષા જેવી અશુદ્ધિઓ વળગેલી છે. જેથી તે અસીમ શક્તિશાળી હોવા છતાં કંઈ જ કરવા સક્ષમ રહ્યો નથી. મનુષ્યની અમર્યાદિત ઇચ્છાઓ કામનાઓ વાસનાઓ તેને લોભી બનાવે છે, ઈચ્છા પૂર્ણ ન થતા ક્રોધ જન્મે છે, ઈચ્છાપૂર્તિમાં સાથ આપનાર પર આસક્તિ અને રાગ વધે છે, ઈચ્છાપૂર્તિમાં નડનાર અને વિઘ્નો પેદા કરનાર શત્રુ સમાન જણાય છે, જેના માટે અણગમો અને દ્વેષ ઉદભવે છે. આ રીતે અશુદ્ધિઓ સતત વધતી જાય છે. અશુદ્ધિની આ યાત્રામાં વ્યક્તિગત અહંકાર એટલો બધો વધી જાય છે કે વ્યક્તિ પરમાત્મામાંથી વિખુટો પડતો જાય છે. પરમાત્મા એટલે બીજું કાંઈ જ નહીં અસીમ દિવ્યશક્તિ અને સનાતન અસ્તિત્વ. જેની સાથે જોડાયેલા રહીને જ વ્યક્તિ સમસ્યામુક્ત, સ્વસ્થ અને શુદ્ધ રહી શકે. પરંતુ વ્યક્તિગત અહંકાર મનુષ્યને શુદ્ધ સ્વસ્થ અને સમસ્યામુક્ત રહેવા દેતો નથી. સમુદ્રનું કોઈ ટીપુ અહંકારયુક્ત થઈ સમુદ્રથી છુટું પડે તો તેનો વિનાશ તો નક્કી જ છે. કેમ કે તેણે પોતે જ પોતાની જાતને અસીમ શક્તિ અને અસ્તિત્વથી છુટી પાડી દીધી છે. એ જ રીતે જીવમાત્ર દિવ્યશક્તિથી પરમાત્માથી દૂર રહી સ્વસ્થ શુદ્ધ અને સમસ્યામુક્ત જીવન જીવી શકે જ નહીં, એટલું તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાતા મનુષ્યે સમજવું જ રહ્યું.

ટૂંકમાં જીવનમાં સુખ-શાંતિની અપેક્ષા રાખનાર, દરેક પ્રકારની સફળતા ઇચ્છનાર, આનંદપ્રમોદ વાળી જીંદગી જીવવાની ઇચ્છા ધરાવનાર, કષ્ટ અને સમસ્યાની જીવનમાંથી બાદબાકી કરવા ઇચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણ શુધ્ધિ કેળવવી જ પડે. સંપૂર્ણ શુધ્ધિ એટલે શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ. શારીરિક શુદ્ધિ માટે પ્રાકૃતિક જીવનના નિયમોનું પાલન કરવું પડે, સ્નાન-આહાર અંગે જાગૃતતા કેળવવી પડે, શરીરમાંથી વિષદ્રવ્યો (ટોક્સિન) દૂર કરવા પડે. ઉપરાંત મનને અશક્ત અને અશુદ્ધ કરનાર નકારાત્મકતા, ચિંતા, ભય, હતાશા, નિરાશા, સ્વાર્થ, અસંતોષ, દેખાદેખી, તણાવ જેવી અનેક અશુદ્ધિથી મુક્ત થવું પડે. તેમજ ષડરિપુ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ-મદ-મત્સરને જીવનમાંથી તિલાંજલિ આપવી પડે. જેનાથી તન-મન આત્મા ત્રણે શુદ્ધ બને, શક્તિશાળી બને અને જીવન પીડામુક્ત બને.

તન મન અને આત્મા ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. સશક્ત અને શુદ્ધ આત્મા દ્વારા આપોઆપ મન સશક્ત શુદ્ધ શક્તિશાળી બને છે. જે તનને પણ સ્વસ્થ શુદ્ધ શક્તિશાળી અને રોગમુક્ત બનાવે છે ટૂંકમાં જીવનના દરેક સુખ સામે મોટો અવરોધ બીજો કોઈ નહીં પરંતુ અશુધ્ધિ છે અને શુદ્ધિપ્રાપ્તિના પ્રમાણિક નિયમિત પ્રયત્નો વગર અશુદ્ધિ દૂર થઈ શકે નહીં. જ્યાં સુધી જીવનમાં અશુદ્ધિઓનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સક્ષમ સમર્થ સફળ શક્તિશાળી સુખી અને પ્રસન્ન થવું શક્ય નથી. શુદ્ધિની ઈચ્છા રાખનારે અશુદ્ધિના મૂળને ઓળખી તેનો ત્યાગ કરવો અનિવાર્ય છે. તો આવો આજે જ ત્રણે પ્રકારની અશુદ્ધિનો ખાત્મો કરવાનું પ્રણ લઈએ અને જીવનને અસ્તિત્વને શુદ્ધ બનાવી આજે જ શુદ્ધિપ્રાપ્તિની પ્રતિજ્ઞા કરીએ. એકવાર શુદ્ધિ પ્રાપ્તિની પ્રતિજ્ઞા તો કરો પછી જુઓ જીવન ખુશીઓથી છલકાઈ જાય છે કે નહીં ! કદાચ તમે કહેશો કે આ બધું તો અમને ખબર જ છે વળી કહેવું સહેલું છે કરવું અઘરું છે. તો હું એટલું તો અવશ્ય કહીશ કે આપણને જન્મથી બધું આવડતું નહોતું. પ્રયત્ન અને પ્રેક્ટિસ દ્વારા જ આપણે બધું શીખ્યા છીએ અને આજે પણ દરરોજ કંઈક નવું નવું શીખ્યા જ કરીએ છીએ. (પરંતુ જે ખરેખર શીખવાનું છે તે નથી શીખી શકતા એ જ કરુણતા છે) આમ દ્રઢ સંકલ્પ અને નિયમિત પ્રયત્નો દ્વારા અશક્ય તો કશું જ નથી. સંકલ્પ તો કરો, તે અંગે અગ્રસર તો બનો પછી જુઓ બધું સહજ અને સરળ બની જાય છે કે નહીં. ઇશ્વર દરેકને તેના પવિત્ર સંકલ્પની પૂર્તિમાં મદદ કરે એ જ અભ્યર્થના.

Related

SendShare49Tweet31Scan
ADVERTISEMENT
Previous Post

બટેટા-મખાનાનું શાક

Next Post

ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

Related Posts

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

by iGujju
0
432
વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
સાહિત્ય અને કલા સમાચાર

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે. ઇતિહાસ વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા...

Read more

રંગમંચે આ સૌએ જીવી જવાનું

by iGujju
0
323
રંગમંચે આ સૌએ જીવી જવાનું
કલા-સાહિત્ય

અજવાળું અંધારું ઝાંખપ તેજ લીસોટો... મોહરા ચહેરે યોગ્ય અયોગ્ય... સત્ય જૂઠ અવિરત દોડ ક્યારેક પોરો ... અમાપ સૃષ્ટિ ને છતાં સંકડાશ ને પછી સંવાદે બંધન-મૂક્તિ.... આંસુના દરિયામાં ઉજળાં એકજ સ્મિતે.... ઝળહળે છે જીવન રંગમંચ.... રચના: નિલેશ બગથરિયા "નીલ" રંગમંચે આ સૌએ જીવી જવાનું આપેલું જ પાત્ર ભજવી જવાનું.

Read more

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

by iGujju
0
366
કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે
જાણવા જેવું

ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. 'વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત...

Read more

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

by iGujju
0
336
ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુ સંસ્કૃતિમાં આપણે બાળપણથી વડીલોના મુખે શિવજીના ત્રીજા નેત્રની કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે અને સર્વસ્વ ભસ્મ થઈ જાય છે. બચપણમાં તો હું ત્રીજા નેત્રથી ખૂબ ડરતી, આપણી સંસ્કૃતિમાં બાળકોમાં ઇશ્વરનો ડર પેદા કરી તેમને અનૈતિક કાર્યો કે પાપોથી (દુર્ગુણોથી) દૂર રાખવાની કદાચ આ વ્યવસ્થા હશે. પરંતુ હવે જ્યારે આ ઉંમરે આધ્યાત્મિક સમજણ ઈશ્વર કૃપાથી થોડી કેળવાઈ છે ત્યારે સમજાય છે કે ત્રીજું નેત્ર વાસ્તવમાં છે શું અને તે કોણ મેળવી શકે અથવા તો તે કેવી રીતે મેળવી શકાય. ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે અધિકાર સિદ્ધ ચોક્કસ કરવો પડે પરંતુ તે પ્રાપ્ત...

Read more

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

by iGujju
0
263
મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા
કલા-સાહિત્ય

ત્યાં જઈને આવ્યો જ્યાં થી સપના ની શરૂઆત થઈ હતી ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપના રમે છે ના લખોટી ને ના અડી અડીને છુટ્ટા , પણ ત્યાં મોબાઇલ જમે છે હતી શાંતિ જાણે સમય ને ખરીદી ને બેઠા હોય લગાવ એટલો જાણે તેને લક્ષ્મણ ના રામ કહેતા હોય હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ? ત્યાં છોડીને ને ગયો જ્યાં મન શાંતી સાથે હાથ મિલાવ્યા કરતું વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ...

Read more

આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ

by iGujju
0
319
આજે વિશ્વ કવિતા દિવસ & વિશ્વ ચકલી દિવસ
જાણવા જેવું

આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...

Read more

કોઇ દીકરી પારકી નથી !!!

by iGujju
0
341
કોઇ દીકરી પારકી નથી !!!
મહિલા વિશેષ

દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...

Read more

તમે તો કહો કે stress નહીં લેવાનું

by iGujju
0
434
તમે તો કહો કે stress નહીં લેવાનું
બાળ વિશેષ

તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...

Read more

જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર

by iGujju
0
62
જાપાનીઝ વિદ્યાર્થીના વાલીને પ્રિન્સિપાલનો પત્ર
બાળ ઉછેર (પેરેન્ટીંગ)

જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...

Read more

આંખ વરસી જાય એવું છે હવે

by iGujju
0
406
આંખ વરસી જાય એવું છે હવે
યુવા વિશેષ

વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા

Read more
Load More
Next Post
ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

ફ્લશ કરતા પહેલા ટોયલેટ સીટનું ઢાંકણું બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જાણો કારણ

જાણવુ જરૂરી / ઉનાળાની ઋતુમાં કારની અંદર ના રાખો આ નાની બોટલ, વાહન અને તમને પહોંચાડી શકે છે મોટુ નુકશાન

જાણવુ જરૂરી / ઉનાળાની ઋતુમાં કારની અંદર ના રાખો આ નાની બોટલ, વાહન અને તમને પહોંચાડી શકે છે મોટુ નુકશાન

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

ચૈત્ર મહિનામાં કડવા લીમડા નું સેવન શા માટે?

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

માણસની કૂતરાઈ કે કૂતરાની માણસાઈ

પાળિયાના ૧૧ પ્રકારો

પાળિયાના ૧૧ પ્રકારો

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા

રંગમંચે આ સૌએ જીવી જવાનું

રંગમંચે આ સૌએ જીવી જવાનું

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

કોણ હતા સમ્રાટ વિક્રમાદિત્ય જેમનું નામ જોડાયું છે સંવત સાથે

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

મારા સપના ની કલ્પ્ના…… મારી શાળા

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!